________________
ખંડ : ૧ લે - સરળ માર્ગ – જગત અનેક દુઃખથી આક્રાન્ત છે. દુઃખ એ ભૂલનું પરિણામ છે, માણસ ધર્મનું અર્થાત કર્તવ્ય માર્ગનું પાલન કરવાની ભૂલ કરે છે, તે માટે જ તેને દુઃખ થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવી મનુષ્યને એને કર્તવ્ય પથ બતાવી દીધું છે. જેના માર્ગે ચાલદથી એનું કલ્યાણ સધાય છે. લેભવૃત્તિ ઓછી કરી, ઉપાધિ કમ કરી સમુચિત સંયમના રસ્તે જીવનને સુખ શાંતિવાળું બનાવવું એજ વ્રતને ઉદ્દેશ છે. મનુષ્ય જીવન ધર્મના વિકાસ તરફ ગતિમાન થાય એજ ધર્મ માર્ગનું પ્રજન છે. અને સત્ય, અહિંસા, સંયમ, સતેષ, સેવા એ સદ્ ગુણની સાધના એ જ ધર્મ માર્ગ છે.
મનુષ્ય માત્રને એમ કહી શકાય કે જે વખતે જે ગ્રાહ્ય વસ્તુ આપણને મલે તેને પ્રસન્નતાથી ઉપયોગ કરી સનેષ માનવે એમાં હરકત નથી. પરંતુ તે વસ્તુ વારંવાર મલે એવી ઈચ્છા થવી અને તેના વિયોગમાં–તેની અપ્રાપ્તિદશામાં ચિત્તની બેચેની અથવા અસ્વસ્થતા અનુભવવી એ અશક્તિ અથવા તૃષ્ણા છે. જેના પરિણામે જીવન અસ્વસ્થ બને છે. આ અશકિતને વશ ન થવાનું હૈયે તે અને શક્તિ માર્ગ છે. અને ઈચ્છાને રોકવી તે પણ તપ છે.
આપણું જીવન ઉપર કાળ અને ક્ષેત્રની મેટી અસર હોય છે. જેવા કાળ અને ક્ષેત્રમાં રહીયે એ પ્રમાણે આપણું - જીવનનું ઘડતર થાય. કાળ અને ક્ષેત્રના પરિવર્તનથી આપણા શુભ કે અશુભ ભાવ પણ બદલાય છે.