________________
ખંડ : ૧ લે
- ૧૭ ભક્ત સમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે. અને જેમ ભૌતિક ઘટ, પટ વગેરે જડ પદાર્થોમાં જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સત્તા નથી તેમ ભૌતિક જડ શરીર પણ શાન, ઈચ્છા આદિ ગુણોને ઉપાદાન રૂપ આધાર હોઈ શકે નડિ. શરીરમાં પાંચ ઈન્દ્રિય છે; પરંતુ તે ઇન્દ્રિયને સાધન બનાવનાર આત્મા તે ઈન્દ્રિયેથી જુદો છે. કારણ કે ઈન્દ્રિયો દ્વારા આત્મા રૂપ, રસ આદિનું જ્ઞાન કરે છે. ચક્ષુથી રૂપ જુએ છે. જીભથી રસ ગ્રહણ કરે છે. નાકથી ગંધ હે છે. કાનથી સાંભળે છે. અને ત્વચાથી સ્પર્શ કરે છે. ઇન્દ્રિ આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે. એધી સાધનભૂત ઇન્દ્રિયો અને એમના દ્વારા જ્ઞાન મેળવનાર આત્મા એ એક હોઈ શકે નહિ. મૃત શરીરમાં ઇક્તિ હોવા છતાં મૃતકને તેમના દ્વારા કોઈ જાતનું જ્ઞાન થતું નથી એનું શું કારણ? એટલે એ ઉપરથી જણાય છે કે ઇન્દ્રિય અને તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા. જદે છે. એ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે ઇન્દ્રિયે. એક નથી પણ પાંચ છે. એવી ઈન્દ્રિયોને આત્મા માનવા. જતાં એક શરીરમાં પાંચ આત્માઓ થઈ પડે જે અઘટિત છે. બીજી રીતે જોઈએ તો જે માણસની ચશું ચાલી ગઈ હોય. છે તેને પણ ચકુની હયાતીમાં જોયેલા પદાર્થો યાદ આવે છેસ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઈન્દ્રિયોને આત્મા માનીએ તો આ વાત નહી બને. ઈન્દ્રિયથી આત્માને અલાયદો માનીએ ત્યારે જ આ હકીક્ત બની શકે છે. કારણ કે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ ચક્ષુના અભાવે ન તે ચક્ષુથી થઈ