SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ રજપૂતાણીએ કહ્યું કે ગામ બહાર કૂવા પાસેના ઝાડ નીચે એક જેગટો બેઠો છે તેણે મારું હંડહડતું અપમાન કર્યું છે. પછી બધી વાત કરી. રજપૂતે કહ્યું “હમણું જ તેનું માથું ધડથી જુદુ કરી આવું છું તું જરાયે આમણી દ્રમણી થઈશ મા.” ' રજપૂત કૂવા પાસે પહોંચ્યા, ત્યાં ઝાડ નીચે બાવાજી આગળ દસ-બાર રજપૂતોની મંડળી જામેલી હતી. આથી સાહસ કરવું એગ્ય ન લાગ્યું. તે ઝાડની પછવાડે છૂપાઈ ઉભે રહ્યો. અને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ધીરે ધીરે રજપૂતની મંડળી વીખરાઈ ગઈ અને બાવાજી એકલા પડ્યા. એટલે તે બોલવા લાગ્યા કે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી; બીચલી કે જુત્તે કી માર." આ શબ્દો સાંભળી રજપૂત વિચારમાં પડે, અત્યારે અહીં કે સ્ત્રી નથી છતાં આ બાવે આમ કેમ બેલતે હશે, માટે આમાં કાંઈક રહસ્ય છુપાયેલું છે તેથી સાહસ કરવું નહિ. પછી રજપૂતે બાવાજીની સન્મુખ આવીને નમસ્કાર કરી પૂછ્યું કે આપ શું બેલી રહ્યા છે ? બાવાજીએ જવાબ આપે છે તે મારે સમજવાની વાત છે પણ તારે જાણવી હોય તે કહું. “આપણી ત્રણ અવસ્થા છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થા સારી છે કારણ કે તેમાં આત્માને કાંઈ વધે આવતું નથી. બાલ્યાવસ્થામાં સંસારનું અજ્ઞાનપણું હોય છે. અને વૃદ્ધાવસ્થામાં સંસારને પૂરે અનુભવ
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy