SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ ભુરી–ભરી અનુમોદના થાય છે, એ પણ કાળ હતે. જે કાળે અનીતિની કમાણી વેપારીને માટે કાળું કલંક કહેવાતી. આજે ભણતર ખૂબ વધ્યું છે. પણ સાથે જીવનનું ઘડતર (સુસંસ્કારી રહ્યું નથી. શિક્ષણ આપવાની સાથે વિનય, વિવેક જેવા ગુણો (સંસ્કાર) જે રેડવામાં આવે તેજ જીવનનું ઘડતર થઈ શકે. આજે કેટલાક વડિલેની સેવા ન. કરતાં એમને તગડી મૂકે છે. સાચે ધર્મ જૈન દેવ-ગુરુ-ધર્મ અને ચેથા માતાપિતા પ્રતિ પણ તેમને આસ્થા નથી. તેનું કારણ એજ છે કે તેમને ઘરગુથ્થીમાંથી ધર્મના જે સંસ્કાર મલવા જોઈએ તે મલ્યાં નથી. પૂર્વકાળમાં રાજા-મહારાજાઓ પિતાના સંતાનને બધી. કળા શીખવતા તેમાં ધર્મકળા પહેલી શીખવતા. પોતાના સંતાન માટે એમને એ ચિંતા હતી કે મારે સંતાન મનુષ્ય ભવ પામીને ધર્મ વગરને ન રહી જાય અને દુર્ગતિએન જાય એની કાળજી રહેતી હતી. સંસ્કારનું સિંચનઃ જીવનની સાર્થકતા કે નિરર્થકર્તાને આધાર બાળકને નાનપણથી કેવા પ્રકારનું શિક્ષણ મળે છે તેના ઉપર છે. બાળકનું શિક્ષણ સૌ પ્રથમ ઘરમાંથી શરૂ થાય છે. ઘરમાં જે સંસ્કાર બાળકમાં પડે છે તેનું આખા ય જીવનમાં મહત્વ પૂર્ણ સ્થાન રહે છે. સુસંસ્કારવાળો કોઈ પણ કામ કરતાં પહેલાં વિચાર કરે છે. યુવાનીને નડ્યો અને બળ હોય
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy