SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લે જબ તક તેરે પુણ્યક, પહુંચા નહિ કરાર તબ તક સબ કુછ માફ ઉં, ગુના કરો હજાર જ્યાં સુધી (પૂર્વ) ગત ભમાં કરેલા પુણ્યની પુંજી છે ત્યાં સુધી બધા ગુના માફ થશે. પણ એ પુણ્યની પુંજી ખવાઈ ગયા પછી કરેલા બધા ગુનાઓને હિસાબ તે આપ પડશે. આ વાત સમજાઈ જાય તે ધર્મ ઉપર પ્રેમ જાગે. ધર્મ કરવો તે પુરૂષાર્થને આધિન છે. સમજણની જે વય પછી ખરા શિક્ષણ અને સંસ્કારને પ્રારંભ થાય તે શિક્ષણ અને સંસ્કારની ઇમારત બંધાય તે જીવન ક્ષેત્રમાં ઉપયોગી થાય. પૈસા ઘર સુધી સાથે રહેશે. કુટુંબીઓ મશાન સુધી અને ધર્મ પરભવમાં પણ તમારી સાથે આવશે. જે પરભવમાં સાથે આવે તેની ખરી મિત્રતા રાખો. બધું જ છોડીને ચાલ્યા જવાનું છે. કશું જ સાથે આવવાનું નથી. સાથે તે પુષ્ય ને પાપ આવશે, જીવન ઘડતર પાયો મજ - હાય તે ઇમારત પણ મજબૂત થાય તેમ ધાર્મિક જીવનના કાયામાં નીતિ-ન્યાય જેવા ગુણો હોય તે વ્રત પરચાની મારત પણ ખૂબ મજબૂત થાય છે. મનુષ્ય ભલે વ્રત પચ્ચખાણ કરતાં હોય, ધાર્મિક ક્રિયાઓ કરતાં હોય પણ જે તેમનામાં નીતિ-ન્યાય વગેરે માર્ગાનુસારી ગુણ ન હોય તે ધર્મની હેલના થાય છે. પ્રભાવના થતી નથી. ગૃહ વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં પ્રમાણિકતાથી વર્તતા હોય તે ધર્મશાસન અને ધર્મકિયાશોની પ્રભુતા વધે છે. અને જૈન ધર્મની પણ લેક હૃદયમાં
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy