________________
| ગઈ નમઃ | ૐ નમ: સિદ્ધ II आ शैशव शील शालिभ्यां श्रीमद् विजय
नेमि-लावण्य सूरीश्वराभ्यां नमः ॥
= યત્કિંચિત્ = " આજે સમસ્ત વિશ્વ અશાંતિ, અસંતેષ, અતૃપ્તિ, હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, પરિગ્રહ, ઈત્યાદિની કોળીયાની જાળમાં એવું ફસાયું છે કે -રમેને પોતાને જ સમજ નથી પડતી કે શું કરવું ? ક્યાં જવું ? કઈ રીતે બચવું ?
જાણે, અજાણે ગતિ પ્રગતિના નામે દુર્ભાગ્યે દુર્ગતિને માર્ગ કંડારાઈ રહ્યો છે. માનવ આંખ બંધ કરીને આંધળી દેટ મૂકી રહ્યો છે - શિષ્ટતા, સભ્યતા, આધુનિકતાના નામે મધ, માંસ, ઇંડા ઇત્યાદિ જીવલેણ સંસ્કારનાશક અખાદ્યને વપરાશ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે ! તામસિકતાને વિસ્તાર વધી રહ્યો છે. સાત્વિકતા દવલી બની છે. માનવતા બેડાલ બનીને પિક મૂકીને રડી રહી છે. અંધકાર ગાઢ-અતિગાઢ બની રહ્યો છે. લૂંટફાટ, અનીતિ-અત્યાચાર-ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની આર્ય–સંસ્કૃતિની ગંભીર ઠેકડી ઉડાડી રહ્યો છે.
આ આર્યદેશ માટે જે સદાચાર માનવજીવનમાં તાણાવાણાની જેમ સહજ વણાઈ ગયે હતે. આજે તે