________________
“સ્વધર્મને મરજીઆત ન બનાવે પણ ફરજીઆત બનાવે.”
વર્તમાનકાળે ભલે નિમિત્તજ્ઞ જ્ઞાનીઓ નથી પણ જૈન શાસન તે એજનું એજ છે. જેન શાસનના શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબનું નાનું પણ અનુષ્ઠાન સંપૂર્ણ શ્રદ્ધા તેમજ સો ટચના શુદ્ધ ભાવ સાથે કરવામાં આવે તે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબના લાભ જરૂર પામીએ.
શ્રી જિનભક્તિમય તપ-જપને પ્રભાવ ત્રણે કાળમાં એનો પ્રભાવ ફેલાવે જ છે.
શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધના જીવનમાં સુખ શાંતિને થતો કહેવા અનુભવ જડતા અને અજ્ઞાનને દ્યોતક છે. સારિક જીવનની પ્રત્યેક પળને પ્રભુની ભક્તિ વડે સાર્થક કરીને દેવદુર્લભ પ્રાપ્ત થયેલા માનવભવને સફળ કરવા જ્ઞાની ભગવંતને આદેશ છે.
આ પણ જૈન શાસનમાં તપનું પણ ઘણું મહત્વ છે; તપસ સિદ્ધિઃ” અન્ય દર્શનમાં પણ મનુસ્મૃતિમાં કેવું છે કે “જે હુસ્તર છે, દુપ્રાપ્ય છે, દુર્ગમ છે તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, તપની આગળ કઈ ચીજ કઠીન નથી. તપથી અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જૈન શાસનને પામેલા આત્માએ તે (શકિત અનુસાર) શક્તિને ગોપવ્યા વિના જે બની શકે તે જાતનું તપ કરવું જોઈએ.