________________
ભગવાન એવા સુખ આપતા નથી અને બતાવતા પણ નથી. એ તે અખંડ અવ્યાબાધ સુખને બતાવે છે. એ સુખને પામવા પુરૂષાર્થ તે આપણને જ કરવાનું હોય છે. એટલે જ આપણી ગાડી જો ઊંધા પાટે ચડી ગઈ હોય તે (આપણે એટલે જેન કુળમાં જન્મેલા એમાં હું પણ આવી જાઉં છું) તેને સીધે પાટે લેવા આવા વાંચનની જરૂર છે.
આ લાંબા નિવેદનમાં મારા અંતરના ભાવ (વિચારે) રજુ કરી દીધાં છે તેમાં કોઈને મન દુઃખ થાય તેવું કંઈ લખ્યું નથી છતાં વાંચક પાસેથી ક્ષમા માગી લઉં છું. આશાતનાથી બચવા આ પુસ્તકને ગમે ત્યાં નાખી ન દેતાં વાંચે અને વંચાવે ને લાભ લેવા ચુકશે નહિ. એજ ભાવના સાથે નિવેદન પુરૂ કરું છું. શક્તિ. શાન્તિઃ શાન્તિઃ સર્વ મંગલ માંગયમ, સર્વ કલ્યાણ કારણભૂ; પ્રધાન સર્વ ધર્માણમ્, જેનમ્ જયતિ શાસનમ્