________________
ખંડ : ૨ જો
૩૪૭
હે રાજન ! દુનિયામાં એવા પણ એકમત છે કે જે મત શરીરને જ આત્મા માની બેઠો છે. જેને પુણ્ય અને પાપની ખબર નથી. તે પાપને કેવી રીતે છોડશે ? અજ્ઞાનીએ પુણ્યને ધમાં ખપાવી દેશે. જ્ઞાની જાણે છે કે પુણ્ય અને ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ આત્માના શુદ્ધ પર્યાય છે ને સહાયક ગુણ છે. પુણ્ય આત્માના માત્ર ભોમીયા છે. પુણ્ય મા અતાવશે પરંતુ આત્માના કલ્યાણ માટે આપણને પોતાના પુરૂષાર્થ જોઈશે. પુણ્યે મુક્તિપુરીમાં જવા માટે ધર્મ કરવાની સામગ્રી ઉભી કરી આપી હોય, તેનો પુરૂષા તા પેાતાને જ કરવાના હોય છે. પુણ્ય એ પણ સેનાની સાંકળનુ અ’ધન છે.' તે એને પણ છેડવાથી મુક્તિપુરી
જવાશે.
:
મગધરાજે કહ્યું : ‘ ધન્ય પ્રભુ ! ધન્ય આપની વાણી ! આપના સમાગમ થવાથી મારૂ જીવન સફળ થયું છે. મારા આનંદની કોઈ સીમા નથી. આપ મારા કલ્યાણ માટે એ શબ્દો કહેવા કૃપા કરો.’
અનાથી મુનિએ કહ્યું : ‘રાજન્ ! શ્રી જિનેશ્વરદેવનુ શાસન જયવંતુ છે. તેમના ઉપદેશમાં તુ અનન્ય શ્રદ્ધા રાખ. તેમણે પ્રરૂપેલાં તત્ત્વાનો એધ કર. તથા તેમણે પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતાના જીવનમાં અમલ કરવાની ભાવના રાખ. આજ કલ્યાણનો માર્ગ છે, આજ અભ્યુદયની ચાવી છે.’
આ શબ્દો પરથી મગધરાજ શ્રેણીકે બૌદ્ધ ધર્મના ત્યાગ કર્યાં અને અંતઃપુર, સ્વજન અને કુટુંબ સહિત