________________
એકતા સધાતી નથી. પણ ધર્મ આત્માના કલ્યાણ માટે કરવાનું હોય છે. એટલે જેને જે ક્રિયાઓની અનુકુળતા હોય તે પ્રમાણે કિયા કરે. ફક્ત રાગ-દ્વેષ મૂકીને કરે. જૈન ધર્મ ડેઈને વેચાત લીધેલ ધર્મ નથી. કરે તેનો (જૈન) ધર્મ અને પૂજે તેના વીતરાગ) દેવજિનેશ્વર ભગવાને ભાખેલે ધર્મ જૈન ધર્મ કહેવાય છે એ ધર્મને ગમે તે ભવ્યાત્મા ગમે ત્યારે સ્વીકારી શકે છે. વીતરાગના વચનેમાં શ્રદ્ધા રાખવાથી ભવસાગર તરી શકાય છે.
આ પુસ્તકમાં જૈન અને જગત, કર્મ અને ધર્મને સમજવા માટે સુંદરમાં સુંદર વાંચન છે. ઉપરાંત નાનામોટાં ઘણાં છે. તે સિવાય “ગલે ને પગલે નિધાન” ઉપર અને “ધર્મને જ પાપને ક્ષયની કથાઓ ઉપરાંત કુમાર પાળ રાજાને પૂર્વભવ, કુમારપાળ રાજાએ અહિંસાથી કરેલું રાજ્યનું દષ્ટાંત, ક્રોધ કષાય ઉપર ચંડકૌશિક સર્પને પૂર્વ ભવ વગેરેનો સમાવેશ થાય છે, ચંડકૌશિક સર્પને ભગવાન મહાવીર સ્વામીને ભેટો થઈ ગયે પણ મને (સંપાદક) કયા ભગવાનને ભેટો કયારે થશે તે જ્ઞાની જાણે. આ પુસ્તકના વાંચનમાં જેને વાંચતા કંટાળો આવે તે સમજી લેવું કે આવા વાંચનમાં એને રસ નથી, જેમાં રસ હોય તેમાં કંટાળો આવે નહીં. સિનેમા ને ટી. વી. જોવામાં કલાકોના કલાકે જાય એમાં કંટાળો આવતે નથી કારણ તેમાં તેને રસ છે. જેને જેવું વ્યસન. અફીણના બંધાણીને પાંચ કૂવાન્ન થાળીમાં પીરસશે તે ગમશે નહી પણ તેને