________________
૧૯૮
સધ યાને ધર્મનું સ્વરૂપ તિષ દેવકને વિષે જેટલું આયુષ્ય હતું તેટલા આયુષ્યને ભોગવીને ત્યાંથી ચવ્યું કે કનકખળ નામનું જે આશ્રમસ્થાન હતું તે આશ્ચમસ્થાનમાં પાંચસો તાપસેના અધિપતિ જે કુલપતિ હતાં તે કુળપતિની ગૃહિણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. અને ઉચિત સમયે તે જન્મ પામ્યો. તેનું કૌશિક એવું નામ સ્થાપિત કરવામાં આવ્યું. આ કૌશિક સ્વભાવથી જ ઉગ્ર એવા રેષને ધરનારે હતા. જેના કારણે બીજા તાપસકુમારને છેડા પણ અપરાધમાં કુટી નાખત હતું. તે તાપસકુમારો પોતપોતાના પિતાની પાસે ફરિયાદ કરતા હતા અને કહેતા કે કૌશિક કૂટે છે. પરંતુ એ આશ્રમમાં કૌશિક નામના તે બીજા પણ ઘણા તાપસકુમારો હતા. એટલે તાડન કરનારે કૌશિક કોણ છે તે ઓળખી શકાય એ માટે તે તાપસીએ તે કૌશિકનું ચણ્ડકૌશિક એવું નામ સ્થાપિત કર્યું. ભવાતરના સંસ્કારનું આ પરિણામ છે. હવે કેટલાક સમય પછી ચડકૌશિક તાપસકુમારના પિતા કુલપતિ તાપસ મૃત્યુને પામ્યા એટલે બાકી બધા તાપસેએ તે ચડકૌશિકને કુલપતિના પદે સ્થાપિત કર્યો, કુલપતિ બનેલે ચણ્ડકૌશિક બીજા બધા તાપસજનેને તે ઉપવનમાંથી ફૂલ અને ફળ આદિને ગ્રહણ કરતાં બળાત્કારે પણ અટકાવવા લાગે. આ પ્રકારની ચડકૌશિકની અટકાયતે તે તાપસજેને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા. બધા તાપસેએ વિચાર કર્યો કે હવે આપણે કરવું શું ! કારણ કે ફૂલ અને ફળ વગેરે, એ તે આ લોકેનું આજીવિકાનું સાધન હતું. એ લોકોને જે ફૂલ-ફળ આદિ મળે નહિ તે તેમને ભૂખ્યાં