SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ખંડ : ૧ લો. મરવું પડે. ચકૌશિક એકલે હતું અને શેષ તાપસે ઘણાં હતાં એટલે એ બધાં ધારે તે ચડકૌશિકને દાબી દેવાની શક્તિ પણ શેપ તાપમાં હતી. પરંતુ એ બધા તાપસને એક વિચાર થઈ પડે કે આપણાથી આ ચર્ડકૌશિકની અવગણના થાય શી રીતિએ? ગુરૂની પ્રત્યે જે પ્રકારનો વર્તાવ રાખવો જોઈએ તે જ પ્રકારને વર્તાવ ગુરૂપુત્રની પ્રત્યે રાખવો જોઈએ. આવા વચનને યાદ કરીને તે સર્વ તાપસને તે ઊપવનને તજી દઈને જુદી-જુદી દિશાએ ચાલ્યા ગયાં. આ રીતિએ ઊપવનને તજીને બધાજ તાપજને ચાલ્યાં ગયાં. તેની પણ ચડકૌશિકના અન્તઃકરણ ઉપર કશી જ અસર થઈ નહિ. એનું કારણ એ કે એ ઊપવન ખુબ આસક્ત બની ગયું હતું. એ આસક્તિને લઈને એ ઉપવનમાં જે કંઈ ગોવાળિ વગેરે ફળાદિ લેવાને માટે આવનાં છેતેમને સખ્ત માર મારીને કાઢી મૂકતે હતો. હવે એવું બન્યું કે એ ઊપવનની તદ્દન નિકટમાં આવેલી તાંબા નામની નગરીમાં વસતા રાજકુમાર એ ઊપવનમાં ફળ ગ્રહણ કરવા માટે આવ્યાં, તે ચકૌશિકે તે રાજકુમારને ફળ લેવા દીધા નહિ; એથી એ રાજકુમારે કુપિત થઈને ચાલ્યા ગયા. અવસરે આ અપમાનને બદલે લેવાને નિર્ણય કરી લીધો. બદલો લેવાની તકની રાહ જોવા લાગ્યાં. આ પડકૌશિકને જીવ ગભદ્ર તરીકેના ભવના અન્ત ભાગમાં તીવ્ર રોષાવેશવાળ બન્યું હતું. ત્યાંથી ક્રોધના સંસ્કારોને એ લઈ આવ્યું છે. હવે એવું બન્યું કે કઈ વખતે ચકૌશિકને વાડ કરવાને માટે કાંટાની જરૂર પડી.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy