________________
ખંડ : ૧.લો
૧૯૭ જેની જેમ એ તપસ્વી મુનિરાજે પણ ગુરૂની સમક્ષ દેવસિક આલેચના કરી અને બેસી ગયા. પરંતુ સવારે થયેલી દેડકાની વિરાધનાની આલેચના કરી નહિ. આથી પેલા ક્ષુલ્લક સાધુને એમ થઈ ગયું કે આ તપસ્વી મુનિરાજ દેડકીની વિરાધનાની આલેચના કરવાનું વિસરી જાય છે એ ઠીક નહિ, મારે તેમને એ વિરાધના યાદ કરાવવી જોઈએ. આ વિચાર કરીને એ સુલક મુનિએ સવારે થયેલી દેડકીની વિરાધનાનો વૃત્તાંત એ તપસ્વી મુનિને કહ્યો. તપસ્વી મુનિરાજ એ કુલક સાધુના એ કથનને સહી શક્યા નહિ. એમને જાણે એમ થઈ ગયું કે આ શુલ્લકે મારું ઘર અપમાન કરી નાખ્યું ! ગુરૂ મહારાજની સમક્ષ અને અટલાં બધા મુનિઓન સમક્ષ આ મુનિએ મને હલકે પાડી નાખ્યું. તત્ર કોઇ ઉત્પન્ન થઈ જવાના કારણે તેમને જે વિવેક તે નાશ પામી ગયે. એથી તેઓ એ ક્ષુલ્લક સાધુને તાડન કવાને નિમિત્તે ઘણા વેગથી એકદમ દોડ્યા. આમ દોડતાં વચ્ચે આવતાં એક નિષ્ઠર તંભની સાથે અથડાયા. અને તેમાં પણ તેમનું માથું એ સ્તંભની સાથે અથડાયું. સ્તંભ પચે નહિ હતા અને આ પુરા વેગમાં હતા. એ પતંભની સાથે જેવું માથું ભટકાયું તેની સાથે જ તેમના મર્મપ્રદેશમાં ઘા પડી ગયા અને એથી એ મુનિરાજ એ જ વખતે ત્યાને ત્યાં કાળધર્મ પામી ગયા, અને જ્યોતિષ્ક દેવલેકમાં ઉત્પન્ન થયા. આ તે જ ગોભદ્ર છે, કે જેણે વિદ્યાસિદ્ધના અને ચન્દ્રલેખાના રોષાવેશને શમાવી દીધો હતો. પણ પોતાના કોઈને શમાવી ન શક્યા તે પણ એક ભવ્યતા કહેવાય !