________________
વાસુદેવ કે ચક્રવર્તિ હોય, મતલબ કે કેડે કલ્પ જાય તે પણ કરેલા કર્મોને ક્ષય થતું નથી. શુભ અથવા અશુભ જે પ્રકારના કર્મો જીવે રસપૂર્વક બાંધ્યા હોય તે તેને અવશ્ય ભેગવવા જ પડે છે. કર્મો એ બંધનની બેડીઓ જ છે.” ભલે શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, શુભ કર્મ સેનાની બેડી છે અને અશુભ કર્મની બેડી એ લેખંડની બેડી છે. બેઉ બેડીઓ તે જરૂર છે. કેઈ એક શહેરના રાજાએ ઢંઢેરો પીટાવીને જાહેરાત કરી છે, જેને મારા જેવું, અને મારા કરતાં પણ વિશેષ સુખ એટલે રહેવા માટે સારામાં સારે મહેલ, બહુ જ રૂપ રૂપના અંબારસ્ત્રીઓ, ખાવા પીવા જે જોઈએ તે, આખો દિવસ કપડા-ઘરેણા જે કાંઈ વસ્તુ જોઈએ તે છુટ, પણ છુટ કેટલી ? બાર મહિનાની. પછી શરત એ કે જે આ સુખ ભોગવવા તૈયાર હોય તેને બાર મહિના સુધી દેવે જેવું સુખ, પછી જીંદગી સુધી એક અંધારી કેટડીમાં રહેવાનું, ખાવા પીવા ધુળ ને માટી. પીવા માટે પરૂ અને દરેક જાતની યાતનાઓ ભોગવવી પડશે. એ પણ શરત ભેગી. તે પ્રિય વાંચકે ! તમે કઈ શરત કબુલ કરશો ? પુણ્યની અનુકુળતાએ માનવી ભલે, મિથ્યા મગરૂબી ધરાવતા હોય, પણ જે તે પોતાના જીવનના વિવિધ તબક્કાઓને અભ્યાસ કરે, તેમજ પિતાના આસપાસના માનવે તેમજ પ્રાણીઓના જીવનમાં ડોકિયું કરે તે મગરૂબી સાચી સમજના રૂપમાં ફેલાઈ જાય. અને ચંચળ પુણ્યમાં આંધળો વિશ્વાસ મૂકીને વિષય-કષાયની