SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દન-ઉપયાગ (૨) જ્ઞાનાર્યેાગ. દર્શનાયાગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન, દર્શોન અથવા જોવું તે, જેમઃકેટલેક દૂરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયુ કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી ખાજીનુ' એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનુ, કયા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, કયા કાળમાં બનેલુ છે, તેના રાગ–સ્વભાવ વિગેરે શું છે, વિગેરેનું જ્ઞાન થતું નથી ત્યારે ત્યાં દર્શન ઉપયેગ સાથે જ્ઞાનોપયોગની જરૂર પડે છે. તેથી દશન અને જ્ઞાન બંનેની જરૂરીઆત રહે છે. -: જે પાસે હોય તે અપાય ઃ જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરી, જ્ઞાન મેળવી અન્યને પણ જ્ઞાન આપે છે અને જેણે અજ્ઞાનપણું મેળવ્યુ છે તે અજ્ઞાન જ આપે છે. –; વાસના તેવું ફળ ઃ જો આ જીવને ધર્મો વડે વાસિત કરવામાં આવશે. તા જીવ ધર્મોમાં પ્રવૃત્તિ કરશે તેમ તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે. તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે. તેથી આત્માની વિશુદ્ધિ કરવાની ઇચ્છાવાળા જીવાએ પેાતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમય જ કરવી જોઈએ. આરાધનામય ક્રિયા ન થઈ શકે તેા જ્ઞાનના સારા પુસ્તકાનું વાંચન કરીને, વાંચેલું હૃદયમાં ઉતારીને, જ્ઞાન મેળવીને જીવન સફળ કરવું જરૂરી છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy