________________
• એ ૩ શ્રી આદિનાથાય નમ:
– આત્મ સ્વરૂપ:આ વિશ્વમાં ચૈતન્ય અને જડ સિવાય અન્ય કઈ પણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા જીએ તે બંને તત્તના લક્ષણે જાણવા જોઈએ. જે આ બંનેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે, તેઓ અજીવને ત્યાગ કરી જીવ તત્તમાં લીન થયા છે. જીવ તત્વમાં લીન થતાં રાગ-દ્વેષને નાશ થાય છે અને રાગ-દ્વેષ દૂર થતાં નવિન કર્મો આવતા અટકે છે. અને પૂર્વે બંધાયેલા કર્મો ઓછા થઈ જાય છે. આમ નવિન કર્મોનું ઉપાર્જન બંધ થવાથી અને સંચિત કર્મોને નાશ થવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. માનવ જીવન અમૃત છે. પરભવનું ભાથું બાંધતાં આવડે અને પરભવ સુધારી લે તે મનુષ્ય જીવન શ્રેષ્ઠ બની જાય. *
જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થવું છે? તે શરણ લે એક માત્ર અરિહંતનું, સદ્ગુરૂનું, સર્વાસ અરિહંત કથિત અહિંસામય ધર્મનું.
આત્માનું લક્ષણઉપગ" એ આત્માનું લક્ષણ છે. આત્મા પિતાની શક્તિને પ્રકાશ પિતાની મેળે તથા સાધનો દ્વારા કરે છે તેને ઉપયોગ કહે છે, તે ઉપગ બે પ્રકાર છે.