________________
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ” નામના આ ગ્રંથમાં લેખકે સારો એવે સંગ્રહ કર્યો છે. અને જેને કારણે ગ્રંથનીઆ પુસ્તકની શોભામાં તેની કિંમતમાં ઘણે જ વધારે કર્યો છે. વર્તમાન જીવનમાં ઉપયોગી થઈ પડે, તેવાં દૃષ્ટાંતે તે સાથે જૈન જગત શું છે? તેનાં કર્મ અને ધર્મ વિષેના. કેવા સિદ્ધાંતે છે? આ ધર્મના નાયક કેવા કરૂણાસાગર અને ઉપકારી છે જે સ્પષ્ટ રીતે સચિત્ર સમજાવવાને લેખકશ્રીએ પ્રયાસ કર્યો છે.
અહિંસા પરમ ધર્મો અને મહિમા બતાવતાં કુમારપાળ મહારાજા વગેરેનાં રેચક પ્રસંગો આપી લેખકશ્રીએ ખરેખર જનતાને સારે બેધરૂપી જ્ઞાનરસ પીરસ્યો છે.'
સુખ, વિદ્યા અને પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર આ પુસ્તક વાંચવા જેવું છે. અને આગળ જણાવ્યા પ્રમાણે મહાન પુરુષોના વચન સારરૂપ આવા પુસ્તકો વાંચવાને શેખ જરૂર રાખ.
દરેક રીતે આ પુસ્તક ઉપાય છે. સૌ કોઈ આ પુસ્તકને સદુપયોગ કરી, ધર્મ પ્રત્યે આદરવાળા બનશે એવી મારી શ્રદ્ધા અને શુભેચ્છા છે.
લેખકે આથી આગળ “પ્રથમ દર્શને સાચે જેને ધર્મ” નામનું પુસ્તક બહાર પાડેલ તે પણ સુંદર અને સચોટ જ્ઞાન પુરું પાડે છે. શ્રી પાર્ધચંદ્ર ગ૭ ઉપાશ્રય રાયપુરીયાકી ગવાડ –મુનિશ્રી પદ્મયશચંદ્રજી મ. બીકાનેર (રાજસ્થાન) આ સુદ ૮ ને શનિવાર