SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ c૭ : ખંડ : ૧ લે મહામંત્રી ઝાંઝણા:-માંડવગઢના મહામંત્રી પેથડશાના પુત્ર પ્રાંઝણુશાએ સિધ્ધાચલન સંઘ કાઢયો હતે. મહામંત્રી ઝાંઝણશા શ્રીસંઘમાં પધારેલ સાઘમિ કેની ભક્તિમાં જરા પણ ખામી ન આવે તેની ખૂબ જ કાળજી રાખી રહ્યા છે. એમાં એના માટે ગરીબ અને શ્રીમંત બધા જ સરખા છે. મનમાં કાંઈ પણ ભેદભાવ નથી. પાલીતેની યાત્રા કરવા જતા સંઘ કર્ણાવતી પહોંચ્યા. મહારાજા સારંગદેવને સમાચાર મળતાં પોતાના હાથી ઉપર બેસી ઇઝરાશાની સામે જાય છે. સારંગદેવનું આમંત્રણ:– સારંગદેવ પોતાના રાજમહેલમાં જઈને ઝાંઝાણુશાને પિતાના ખાસ સારા સારા મારા સાથે જમવાનું આમંત્રણ મોકલે છે. સારંગદેવને મારો ઝઝણશા પાસે આવી કહે છે કે-“મંત્રીશ્વર !” મકાજ સારંગદેવ આપને આમંત્રણ આપે છે કે આપના સંઘમાંથી આપને જે ગ્ય લાગે તે બે પાંચ હજાર સારા સારા માણસને લઈને આપ રાજમહેલમાં જમવા પધારો! મનની વાત સાંભળી ઝાંઝણશાએ હસતાં હસતાં જવાબ આ. કે મંત્રીશ્વર ! મહારાજનું આમંત્રણ માટે શિરે માન્ય છે. પણ હું આ રીતે આવી શકું તેમ નથી. મારા બધા સાધર્મિ ઉચ્ચતમ છે. અહીં શ્રી સંઘમાં એકત્રિત થયેલ મારા બધાજ સાધમિએ મારે મન બંધુથી પણ અધિક પ્રિય છે, માનનીય છે, પૂજનીય છે. મારા એક પણ સાધર્મિને છોડી હું જમવા નહિ જ આવી શકું.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy