________________
ભવભાવના પ્રકરણ ભાગ- ૨
વાતને સ્વીકારી એટલે પરિવ્રાજિકાએ લોકોને સાક્ષીમાં રાખ્યા અને સાક્ષીલોક તેની સાથે દેવદિન્નના આવાસે પહોંચ્યો. પછી તેના ઘરમાં બીજા બીજા સ્થાનોમાં પ્રથમ તપાસ કરાવીને પછી લાંબા સમયે તે થાળ જ્યાં મૂકવામાં આવ્યો હતો ત્યાંથી કાઢઢ્યો. (૪૩).
હવે પરિવ્રાજિકાએ દેવદિન્નની સર્વપણ રિદ્ધિને ગ્રહણ કરી અને તેને દાસ બનાવ્યો. દેવદિન પણ તેના ઘરમાં કુર્મો કરે છે. પછી દેવદિન વિચારે છે કે જેવી રીતે મારી રિદ્ધિ ગઈ તેવી રીતે અહીં શરણથી રહિત મારા પ્રાણો પણ જશે. આ સમગ્ર પૃથ્વીમાં અહીં મારું રક્ષણ કરવા કોઈપણ સમર્થ નથી તો પણ મારા પિતાને આ યથાવાત જણાવું. પછી વિસ્તારથી લેખ લખીને પિતાને મોકલ્યો અને તે લેખને વાંચીને પિતા ચીસોથી પોકાર કરવા લાગ્યો. સરસ્વતીએ પુછ્યું કે હે તાત ! આ શું છે ! પ્રિયંગુવણિકે સર્વપણ યથા-હકીકત કહી. સરસ્વતીએ કહ્યું કે જો એમ છે તો તમે વિશ્વસ્થ થઈને રહો. હું તેમને છોડાવીને લાવું છું. હવે આનંદિત થયેલા પ્રિયંગુવણિકે તેની સામગ્રી તૈયાર કરાવી. (૪૯) પછી કરિયાણાઓથી વહાણ ભરીને અને પુરુષવેશ કરીને, સંપૂર્ણ નવા પરિવારને લઈને ગઈ. પારસકૂલ પહોંચી. તે જ પ્રમાણે રાજાને મળી. આ વ્યાપારી છે એમ જાણી પરિવ્રાજિકા વડે આમંત્રિત કરાયો અને સુવર્ણમય ડોયો (દાળ-શાક પીરસવાનું સાધન) તેના આવાસમાં મુકાવાયો. સરસ્વતીએ તેને ગુપ્ત રીતે હરાવી દીધો. હવે પરિવ્રાજિકાના ઘરે ભોજન કરવાને આવી ત્યારે રાત્રીના સમયે તેના ઘરમાં અતિમોટી બખોલવાળી આંબલીની અંદર આ ડોયો નંખાવ્યો. પછી પ્રભાત સમયે રાજકારે વિવાદ થયો ત્યારે તે જ પ્રમાણે પ્રતિજ્ઞાઓ કરાઈ. સાક્ષીઓને રાખીને તેના આવાસે ગયા. પરિવ્રાજિકા . ડોયાને શોધે છે પણ ક્યાંય મળતો નથી. (૫૫) પછી સર્વલોક પરિવ્રાજિકાના ઘરે આવ્યો. આંબલીની બખોલમાં
ડોયો મળ્યો એટલે તે વિલખી થઈ. પછી તેની સર્વ રિદ્ધિ લઈ લીધી અને તેને દાસી બનાવી અને દેવદિન્નને - કહ્યું કે તું મારા દાસીનો દાસ છે. દેવદિને તે વાતનો સ્વીકાર કર્યો. પછી દરરોજ વિનયથી તેના પગને ધોવે
છે. પરિત્રાજિકા તેના (સરસ્વતીના) કાર્યને કરે છે.આ સોમદત્ત નામનો વ્યાપારી અયોધ્યા નગરીમાંથી આવ્યો છે. એ પ્રમાણે સર્વ લોકમાં પ્રચાર કરીને તે સરસ્વતી સર્વ કરિયાણાને વેંચે છે. પછી દેવદિન વણિક પણ તૈયાર થઈ જેટલામાં પોતાના દેશમાં જવા મળશે એમ જાણી ખુશ થયો. પછી સરસ્વતી તૈયાર થઈ જેટલામાં પોતાના દેશમાં જવા નીકળે છે તેટલામાં રાજા નમ્રવાણીથી સંન્યાસી ધર્મના કારણે પરિવ્રાજિકાને છોડાવે છે. પછી પરિવ્રાજિકાને મૂકીને સરસ્વતી પોતાના દેશમાં જાય છે. માર્ગમાં જતી સ્ત્રીના રૂપને પ્રકટ કરીને, ઉભટ અતિ વિસ્મય કરનાર શૃંગારને કરીને દેવદિનને કહ્યું કે તું મને ઓળખે છે કે નહીં ? હવે કેટલામાં દેવદિન વિસ્મિત થઈને આનંદિત રહે છે તેટલામાં સરસ્વતી કહે છે કે હું સુંદર સાર્થવાહ શ્રેષ્ઠીની પુત્રી એવી તારી ભાર્યા છું. બાળપણમાં પરણીને તેં મૂકી દીધેલી રહી છું. પણ હમણાં સસરાએ તમારી આપત્તિ કહીને મને તમારી પાસે મોકલી છે હવે પછીનું બાકીનું તમે જાણો જ છો. (૧૬)
એમ સાંભળીને વિલખો થઈ કંઈક હર્ષિત તથા સલજ્જ થયેલો જેટલામાં રહે છે તેટલામાં સરસ્વતીએ કહ્યું કે હે નાથ ! વિષાદ ન કરવો, સંસારમાં તેવો કોઈપણ પ્રસંગ (બનાવ) નથી જે ન સંભવે તેથી ધીરચિત્તથી રહેવું. હવે તે દિવસથી માંડીને સરસ્વતી દેવદિન પતિને વિનયથી આરાધે છે. વિપુલ ભોગોને ભોગવતા ક્રમથી સ્વસ્થાને પહોંચ્યા. પછી સહર્ષ પિતા તથા સસરો ઘણે દૂર સુધી તેઓને લેવા ત્યાં સામે આવે છે. (૭૦) બંને કૂળમાં મોટા પ્રમોદથી વર્યાપન કરાયું. પછી સરસ્વતીએ દેવદિનને આ પ્રમાણે કહ્યું કે હે નાથ !