________________
૯૨
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
અને આ બાજુ તે નગરમાં સુંદર નામનો મહર્જિક સાર્થવાહ વસે છે. તેને શ્રેષ્ઠરૂપવાળી બાળપણથી પંડિતા, બુદ્ધિ તેમજ નામથી સરસ્વતી પુત્રી છે. તે જ લેખાચાર્ય બ્રાહ્મણની પાસે સ્ત્રીજનને ઉચિત કળાઓ ભણે છે. હવે કોઈક વખત બ્રાહ્મણ પોતાની સ્ત્રીને મારે છે. પછી દેવદિન્ન વગેરે અભ્યાસીઓ તેને મારતા વારે (૨ોકે) છે પણ એક સરસ્વતી વા૨વા માટે પોતાના સ્થાનપરથી ઊભી ન થઈ. દેવદિન્ત કહે છે કે તું આ કૂટાતી અધ્યાપકની સ્ત્રીની ઉપેક્ષા કેમ કરે છે ? પછી સરસ્વતી પણ કહે છે કે તમે સાંભળો. (૧૭) શું તે સ્ત્રી કહેવાય ? જે પોતાના દાસની જેમ પતિપાસે પોતાના પગને ધોવડાવે છે. આપત્તિમાં પડેલ પતિને સહાય પણ કરતી નથી ઇત્યાદિ સરસ્વતીએ કહ્યું. તેને સાંભળીને આ નિરકુંશ ગર્વિત હૃદયવાળી છે એમ વિચારીને ખરેખર મારે આને પરણીને છોડી દેવી અને દૃષ્ટિથી એને નહીં જોઉં જેથી તે પોતાના ગર્વના દુઃખને અનુભવે. એમ વિચારીને દેવદિન વણિકપુત્ર મૌન રહ્યો. સરસ્વતીએ સ્વમતિથી દેવદિન્તના આ અભિપ્રાયને જાણ્યો. (૨૧)
પછી કળાઓ ભણીને કાળથી બંને પણ પોતાના ઘરે રહે છે. દેવદિન પાસે ત્યાં ઘણી કન્યાઓ આવે છે. દેવદિન્ન માતાપિતાને કહેવરાવે છે કે આ નગરમાં સુંદર સાર્થવાહની સરસ્વતી નામે પુત્રી છે તે મને પરણાવો. જેના વચન ક્યારેય પણ નકારી ન શકાય તેવો મારે એક જ પુત્ર છે તથા સંબંધ ઉચિત છે તેથી પ્રિયંગુણિકે સુંદર સાર્થવાહને એ પ્રમાણે પુછાવ્યું. સુંદરે પણ સ૨સ્વતીને પૂછ્યું. તેણે પણ કહ્યું કે હે તાત ! અહીં શું અયુક્ત છે ? પછી મોટા આનંદથી પ્રશસ્ત દિવસે તે બેનું પાણિગ્રહણ કરાયું. પરણ્યા પછી દેવદિને તેને દૃષ્ટિથી પણ ન જોઈ માતા, પિતા અને મિત્રો વડે એવું કોઈ વચન નથી જે દેવદિનને સમજાવવા ન કહેવાયું હોય તો પણ કોઈના વચનને તેણે ન માન્યું. અક્ષય શીલવાળી સરસ્વતી પણ પિતાના ઘરે રહે છે. (૨૭)
પછી યૌવનને પ્રાપ્ત થયેલ દેવદિન ઘણાં કરિયાણાઓ લઈને વહાણ ઉપર ચઢીને પા૨સકૂલે ગયો. પછી પ્રિયંગુવણિક સરસ્વતીને પોતાના ઘરે તેડી લાવ્યો. સાસુ સસરાની વિનયથી સેવા કરતી તે રહી. દેવદિન્ન પણ ઘણાં કાળથી પારસકૂલ પહોંચ્યો. ત્યાં રત્નોને લઈ જઈને રાજાને ભેટ્યો. પારસકૂલમાં ઘણી બુદ્ધિ અને કપટનું અદ્ભુત ભંડાર એવી એક પરિવ્રાજિકા વસે છે. તે પણ સંકટમાં ફસાયેલ રાજાને એવી કોઈક બુદ્ધિને (ઉપાયને) બતાવે છે જેથી રાજા આપત્તિમાંથી બચીને, શત્રુરાજાને જીતીને તેની સર્વરિદ્ધિને ગ્રહણ કરે છે. પછી રાજા તેને ઘણું ધન આપે છે અને કૃપા કરે છે. દેવદિને તેને સભામાં બેઠેલી જોઈ. (૩૩)
પછી બીજા દિવસે પરિવ્રાજિકાએ દેવદિનને નિમંત્રીને પોતાના ઘરે અતિશય ગૌરવપૂર્વક ભક્ષ્ય ભોજનથી ભોજન કરાવ્યું. પરિવ્રાજિકાએ દેવદિન્તના આવાસે કોઈપણ છૂપી જગ્યાએ એક સુવર્ણનો થાળ સ્વયં મુકાવ્યો. પછી ભોજન ક૨ી દેવદિનની પાછળ, ‘અમારો એક સુવર્ણ થાળ ખોવાયેલ છે તમારો કોઈ છોકરો લઈ ગયો છે તેથી તમારા ઘરમાં તપાસ કરો' એમ શીખવાડીને એક માણસને પાછળ મોકલ્યો પછી દેવદિન વડે ધમકાવીને પુછાયેલો સર્વપણ પરિજન પોતાના ઘરમાં તપાસ કરે છે અને દેવદિન્ને આવાસમાં તપાસ કરી પણ ચાંય સુવર્ણથાળ મળ્યો નહીં.
હવે સવારે પરિવ્રાજિકા રાજકૂળદ્વારે ગઈ. રાજકૂળદ્વારે પરિવ્રાજિકાવડે દેવદિન્ન ધારણ કરાયો અને ત્યાં મોટો વિવાદ થયો એટલે પરિવ્રાજિકાએ કહ્યું કે જો હું કોઈપણ રીતે તારા આવાસમાં સુવર્ણથાળને જોઉં તો હું તારી સમગ્રરિદ્ધિને લઈશ અને તું મારો યાવત્ જીવ સુધી દાસ થશે. હવે જો હું ત્યાં સુવર્ણથાળને ન જોઉં તો મારી સમગ્રરિદ્ધિ તારી થાય અને જાવજીવ સુધી હું તારી સુશ્રુષા કરનારી દાસી થાઉં. દેવદિને આ