________________
ભલ ભાના પ્રકરણ ભાગ - ૨
यहेतुभिरेतेषु जीवा व्रजन्ति तान् सोदाहरणानाह - અવતરણિકા : જીવો જે કારણોથી વિકસેન્દ્રિયમાં જાય છે તે કારણોને ઉદાહરણો સહિત બતાવે છે –
जिणधम्मुवहासेणं कामासत्तीइ हिययसढयाए । उम्मगदेसणाए सया वि केलीकिलत्तेण ।।१८७।। कूडक्यअलिएणं परपरिवाएण पिसुणयाए य । विगलिंदिएसु जीवा वयंति पियंगुवणिओ ब्व ।।१८८।। जिनधर्मोपहासेन कामासक्तया शठहृदयतया उन्मार्गदेशनया सदाऽपि केलीकिलत्वेन ।।१८७।। कूटक्रयेण अलिकेन परपरिवादेन पिशुनतया च
विकलेन्द्रियेषु जीवा व्रजन्ति प्रियङ्गुवणिगिव ।।१८८।। ગાથાર્થઃ જિનધર્મના ઉપહાસથી, કામની આસક્તિથી, હૃદયની ધિઢાઈથી, ઉન્માર્ગ દેશનાથી, ક્રિીડાહાસ્યથી, ફૂટલે વેચથી, જુઠાણાથી, પરપરિવાદથી, પિશુનતાથી, પ્રિયંગુવણિકની જેમ જીવો વિકલેન્દ્રિયમાં જાય છે. (૧૮૭-૧૮૮)
सुगमे ।। कथानकं तूच्यते - કથાનક કહેવાય છે –
પ્રિયંગુ વણિક કથાનક પોતનપુર નામનું શ્રેષ્ઠ નગર છે જેમાં ધર્મશાસ્ત્રોના અર્થોમાં (અર્થો ભણવામાં) લોક અસંતોષી છે પણ | કવ્યરૂપી અર્થમાં અસંતુષ્ટ નથી અને તે નગરમાં રિદ્ધિ સંપન્ન પ્રિયંગુ નામનો વણિક વસે છે જે અતિશય મિથ્યાદષ્ટિ છે અને જિનધર્મના ઉપહાસમાં રત છે. રૂપના અતિશયથી અતિ સમૃદ્ધ પ્રિયમતી નામની તરુણ સ્ત્રીને વિશે કામની આસક્તિવાળો રહે છે. જે દુષ્ટશીલવાળો અને અલિકવાદી, પરપરિવાદી, પિશુન, કૂટક્રય અને કૂટમાનમાં રત છે. કોઈપણ વડે જો શિક્ષા અપાયો હોય તો ઠઠા મશ્કરીથી ઉત્તર આપે છે કે એક પ્રિયતમાના દર્શનને હું માનું છું જેનાથી સરાગી પણ સુખને પામે છે. જિન વગેરેના સર્વ દર્શનો કેવળ દંભના ફળવાળા છે. અહીં કોઈવડે તે દેવલોક જોવાયો છે ? કોઈએ પણ ચક્ષુથી નરકાવાસ જોયો છે ? તે કહો. (૯) નરકમાંથી કોણ આવ્યું છે ? જ્યાં સુધી અહીં તમારે ઘરમાં કંઈપણ ભોગ્ય છે ત્યાં સુધી શંકારહિત ખાઓ, પીઓ અને વિલાસ કરો. પાખંડીઓના વચનોથી ભોળવાયેલા એવા તમે મળેલા ભોગોના ભોગવટાથી પોતાને ઠગો નહીં એ પ્રમાણે ઉન્માર્ગનો ઉપદેશ આપે છે. ()
હવે કોઈક વખત પ્રિયમતીને અતિ શ્રેષ્ઠ લક્ષણથી યુક્ત પુત્ર જનમ્યો. પછી હર્ષ વિભોર પ્રિયંગુશ્રેષ્ઠી વર્યાપન કરાવે છે. ખુશ થયેલા તેઓએ પુત્રનું નામ દેવદિન રાખ્યું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો સુખેથી રહે છે, ક્રમથી મોટો થતો અતિરૂપને ધરનારો કુમારભાવને પામ્યો. પછી માતાપિતાએ કળા ભણવા લેખાચાર્ય બ્રાહ્મણને અર્પણ કર્યો. ક્રમશ: લેખાચાર્યની પાસે બોત્તેર કળાઓ ભણ્યો. (૧૧)