SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ હવે પ્રભાત થયું ત્યારે નવા ઉત્પન્ન થયેલ દેવની જેમ માતાપિતાએ શ્રેષ્ઠ રૂપને ધરનારા પુત્રને જોયો. માતાપિતા ખુશ થયા. પછી વર્ધાપન કરાવે છે. પછી સજાવટ કરીને મોટા ઠાઠમાઠથી સર્વલોકો જંબુદેવીના ભવનમાં જાત્રા કરવા માટે જાય છે. પછી ઘણાં દ્રવ્યનો વ્યય કરીને ભક્તિથી જાત્રા કરી પછી બધા પોતાના સ્થાને ગયા. ધનવતી અને નાગશ્રી શ્રદ્ધાથી સાધ્વીની પાસે ધર્મ સાંભળીને શ્રેષ્ઠ શ્રાવિકાઓ થઈ. જંબુદિન પણ જિનેશ્વરોએ કહેલ ધર્મને સાધુઓ પાસેથી સાંભળીને અણુવ્રતધારી શ્રાવક થયો. પણ ઘરના વ્યામોહથી ધનપ્રિય વ્યામૂઢ રહ્યો. પછી જંબુદિનને અનુક્રમથી ચાર પુત્રો થયા. ધનપ્રિય પૌત્રોના સ્નેહના વ્યામોહથી સમૂઢ રહ્યો. (૫૪) શ્રાવકધર્મને લાંબો સમય પાળીને અંતે ધનવતીએ શુદ્ધ ભાવથી પંદર દિવસનું અનશન કર્યું. ચાર પલ્યોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવમાં ઉત્પન્ન થઈ. મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને જંબુદિને પણ અતિશય જ્ઞાની ગુરુની પાસે નાગશ્રીની સાથે દીક્ષા લે છે. પછી સ્થવરની પાસે સૂત્રો ભણે છે. નાગશ્રી પણ પ્રવર્તિનીની પાસે સૂત્રોને ભણે છે. ઉગ્ર તપ કરીને ક્રમથી તે બંને સિદ્ધ થયા. ધનપ્રિયે ધર્મઅધર્મના ભેદને કયારેય પણ ન જાણ્યો. અજ્ઞાન અને મોહથી મૂઢ હંમેશા મગશેલ પથ્થરની જેમ રહ્યો. (૫૯) મારા પુત્રો, મારી લક્ષ્મી અને મારી સ્ત્રી-ઘર વગેરે એ પ્રમાણે આર્તધ્યાનમાં મરીને એકેન્દ્રિયમાં ગયો. લાંબો સમય સંસાર ભમીને મહાવિદેહમાં સુકુલની પ્રાપ્તિ કરીને દીક્ષા લઈ ધૂતકર્મ (નાશ કર્યા છે સર્વ કર્મ જેણે) એવો તે પણ સિદ્ધ થશે. (૯૧) उक्ता: सोदाहरणा एकेन्द्रियाः, अथ विकलेन्द्रियस्वरूपमाह - ઉદાહરણ સહિત “એકેન્દ્રિયોનું વર્ણન કર્યું. હવે વિકસેન્દ્રિયના સ્વરૂપને કહે છે. विगलिंदिया अवत्तं रसंति सुन्नं भमंति चिटुंति । लोलंति घुलंति लुठंति जंति निहणं पि छुहवसगा ।।१८६।। विकलेन्द्रिया अव्यक्तं रसन्ति शून्यं भ्राम्यन्ति तिष्ठन्ति लुठन्ति धूसरयन्ति स्खलन्ति यान्ति निधनमपि क्षुद्वशगाः ।।१८६।। ગાથાર્થ : વિકલેન્દ્રિયો અવ્યક્ત શબ્દ કરે છે, શૂન્ય ભમે છે, રહે છે, આળોટે છે, સ્કૂલના પામે છે, ઊંધા વળે છે અને ભુખથી ટળવળે છે અને ભુખથી પીડાયેલા મરણ પામે છે. (૧૮૬). विकलेन्द्रिया:-द्वित्रिचतुरिन्द्रियरूपाः कृमिशंखमत्कोटककीटिकाभ्रमरमक्षिकादयः करणपाटवाभावादव्यक्तं रसन्तिशब्दयन्ति, मनसोऽभावादप्रेक्षापूर्वकारितया शून्यं एवमेव भ्रमन्ति कदाचिदेकस्थान एव तिष्ठन्ति, कर्दमादौ लोलंति, घुलंति-प्रतिपदं स्खलन्ति, निम्नोन्नतादौ लुठन्ति, क्षुदार्ताः घृततैलोष्णावश्रावणादिषु पतिता निधनमपि-विनाशमपि પાન્તરિ || ટીકાર્થઃ વિકલેન્દ્રિય કૃમિ, શંખ, મંકોડા, કીડી, ભમરા, માખી વગેરે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો ઇન્દ્રયની પટુતાનો અભાવ હોવાથી અવ્યક્ત શબ્દ કરે છે. મનનો અભાવ હોવાથી વિચારણાપૂર્વક પ્રવૃત્તિ વિના જ શુન્ય ભમે છે ક્યારેક એક સ્થાને જ રહે છે, કાદવ આદિમાં આળોટે છે, પગલે પગલે અલના પામે છે. નીચી ઊંચી ભૂમિ પર ઊંધા વળી જાય છે અને ભુખથી પીડાયેલા ઘી-તેલ-અવશ્રાવણાદિમાં (કાંજી આદિના ધોવણમાં) પડેલા વિનાશ પામે છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy