SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ ગૃહસ્થાવાસમાં મારો આટલો અવિધ (કાળ) હતો તે પૂર્ણ થયો છે તેથી મને ૨જા આપો જેથી હું દીક્ષા ગ્રહણ કરું. પગમાં પડીને દેવદિન્ને કહ્યું કે હે પ્રિયા તું એમ ન બોલ, યોગ્ય સમયે આપણે બંને સાથે દીક્ષા લેશું. પછી સરસ્વતીએ તેને પ્રતિબોધીને સુશ્રાવક બનાવ્યો. સંવિગ્ન દેવદિન ભક્તિથી જિનધર્મ આરાધે છે. એ પ્રમાણે પ્રશંસનીય ધર્મની આરાધના કરતા દેવોની જેમ હંમેશા વિપુલ ભોગોને ભોગવતા ઘણાં પુત્રો થયા અને ગૃહવાસને લાંબો સમય પાળીને મોટા પુત્રપ૨ કુટુંબનો ભાર મૂકીને બંનેએ પણ વિધિથી દીક્ષા અંગીકાર કરી. પણ ભારેકર્મી પ્રિયંગુ શ્રેષ્ઠીને પુત્રાદિના સંસર્ગથી પણ ધર્મ પરિણત ન થયો. (૭૭) વિપુલ તપ કરીને અંતે અનશન કરીને પુત્ર અને પુત્રવધૂ મહર્ધિક દેવલોકમાં ગયા. પૂર્વોક્ત દોષથી બળેલો ક્લિષ્ટ આત્મા પ્રિયંગુવણિક પણ મરીને વિકલેન્દ્રિયમાં ગયો અને આગળ સંસારમાં ભમશે. (૭૯) ઉદાહરણ સહિત વિકલેન્દ્રિયનું વર્ણન કર્યું. હવે પંચેન્દ્રિયને આશ્રયીને કહે છે. पंचिंदियतिरिया विहु सीयायवतिव्वछुहपिवासाहिं । अन्नेऽन्नगसणताडणभारुव्वहणाइसंतविया । ।१८९ ।। पंचेन्द्रियतिर्यंचोऽपि खलु शीतातपतीव्रक्षुत्पिपासादिभिः अन्यान्यग्रसनताडनभारोद्वाहनादिभिः संतप्ताः । । १८९ ।। ગાથાર્થ : પંચેન્દ્રિય તિર્યંચો પણ શીત-આતપ-તીવ્રક્ષુધા-પિપાસાથી તથા પરસ્પરના ગ્રસન અને તાડનથી અને ભાર વહન કરીને સંતાપ પામે છે. (૧૮૯) पञ्चेन्द्रियतिर्यञ्चोऽपि न केवलमेकेन्द्रियादय इत्यपिशब्दार्थः, शीतातपादिभिः सन्तापिता वर्तन्ते, ततस्तेषामपि कुतः सुखमिति भावः । पञ्चेन्द्रियाश्च जलस्थलखचरभेदात् त्रिधा, तत्र व्यवहारे प्रायः स्थलचरा वृषभरासभादयः उपयुज्यन्ते, ततस्तानधिकृत्य तावदाह — ટીકાર્થ : પંચેન્દ્રિય તિર્યંચો પણ શીત-આતપ વગેરેથી સંતાપને અનુભવે છે. અહીં ‘પણ’ શબ્દનો અર્થ એ છે કે ફક્ત એકેન્દ્રિયો વગેરે શીત આતપ વગેરેના સંતાપને અનુભવે છે એવું નથી પણ પંચેન્દ્રિયો સંતાપને પામે છે તેથી પંચેન્દ્રિયોને પણ સુખનો અનુભવ ક્યાંથી થાય એમ કહેવાનો ભાવ છે. અને પંચેન્દ્રિયો જળચર, સ્થળચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારે છે. આ ત્રણમાંથી વ્યવહારમાં ઘણું કરીને બળદ, ગધેડા વગેરે સ્થળચરો ઉપયોગમાં લેવાય છે તેથી તેને આશ્રયીને હમણાં વર્ણન કરાય છે पिट्ठ घट्टं किमिजालसंगयं परिगयं च मच्छीहिं । वाहिति तहा वि हु रासहवसहाइणो अवसा । । १९० ।। वाहेऊण सुबहुयं बद्धा कीलेसु छुहपिवासेहिं । वसहतुरगाइणो खिज्जिऊण सुइरं विवज्जति । । १९१ । । आराकसाइघाएहिं ताडिया तडतड त्ति फुट्टेति । अणवेक्खियसामत्थे भरम्मि वसाहाइणो जुत्ता । ।१९२।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy