________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
સત્તર ક્ષુલ્લક ભવ થઈ શકે છે (વધારે નહીં) વિશેષ સૂક્ષ્મ પ્રક્રિયા આગમ ગ્રંથોથી જાણવી.
પ્રશ્ન : તો પછી ફરી ફરી તેમાં જ ઉત્પન્ન થયેલો અને મરેલ ક્ષુલ્લકભવ પ્રમાણ આયુવાળો જીવ તે નિગોદમાં કેટલા ભવ કરે ? ઉત્તરઃ તેમાં જ ઉત્પન્ન થતો અને મરતો જીવ અનંત ભવો પણ કરે. આ એકેન્દ્રિયમાં જીવો જે રીતે ઉત્પન્ન થાય છે તે રીતે બતાવે છે.
पुत्ताइसु पडिबद्धा अन्नाणपमायसंगया जीवा । उप्पजंति धणप्पियवणिउ व्वेगिदिएसु बहुं ।।१८५।। पुत्रादिषु प्रतिबद्धाः अज्ञानप्रमादसंगता जीवाः
उत्पद्यन्ते धनप्रियवणिगिव एकेन्द्रियेषु बहून् वारान् ।।१८५।। ગાથાર્થ પુત્રાદિને વિશે રાગી થયેલ, અજ્ઞાન-પ્રમાદવશ જીવો ધનપ્રિય વણિકની જેમ એકેન્દ્રિયમાં ઘણીવાર ઉત્પન્ન થાય છે. 'बहुं' ति मृत्वाऽपि पुनः पुनस्तत्रैव बहूत्पद्यन्ते, अनन्तवारा: पौन: पुन्येन तेष्वेव जायन्त इत्यर्थः, शेषं सुगमं ।। कथानकं तूच्यते - ટકાર્થ: વહુ' એટલે મરીને ફરી ફરી તેમાં જ ઉત્પન્ન થાય છે અર્થાતુ કહેવાનો ભાવ એ છે કે ફરી ફરી તેમાં જ અનંતવાર ઉત્પન્ન થાય છે. કથાનક કહેવાય છે
ધનપ્રિય વણિકનું કથાનક કુર્ત દેશમાં શૌર્યપુર નામનું મહાનગર છે જેમાં રોષ (ક્રોધ)ને જ મરાય છે અને હૃદયને જ હરાય છે અને તેમાં ધન-ધાન્ય-સુવર્ણ-રત્નોનો સ્વામી મહારિદ્ધિથી યુક્ત નામથી અને અર્થથી (ગુણથી) જ ધનપ્રિય નામે વણિક છે અને તે સદા આરંભપ્રિય, મિથ્યાદૃષ્ટિ, ઘરમાં, વિભવમાં અને સ્ત્રીમાં રાગી અજ્ઞાનથી આંધળો બનેલો દિવસો પસાર કરે છે અને તેને ધનવતી નામની સ્વભાવથી ભદ્રિક ગૃહિણી છે. તેઓને એકેય પુત્ર નથી તેથી પુત્ર માટે ઘણાં દુ:ખી છે. (૪)
હવે કોઈ વખત પરિભ્રમણ કરતો કોઈક પુરુષ ત્યાં આવ્યો. વણિકે તેને પુછ્યું કે તેં શું કંઈપણ કૌતુક જોયું? તેણે કહ્યું કે અહીંથી નજીકમાં જ દીર્ઘશાળા નામે મહાઇટવી છે જેની અંદર વિદ્યાધરોવડે સુંદર નેમનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે અને તેની નજીકમાં જંબુનામની દેવતાનું મંદિર છે. મોટા ઉપાયોથી પૂર્ણ થઈ છે આશા જેની એવો ઘણો લોક ત્યાં આવે છે એમ તમે જાણો અથવા તમારે પણ કાર્યની સિદ્ધિ માટે ત્યાં જવું જોઈએ એમ કહીને તે ગયો. શ્રેષ્ઠી અને ધનવતી સ્નાન કરી ઉત્તમ શ્વેત વસ્ત્રો પહેરીને બંને પણ ચંદનથી તે દેવીને આલેપીને, શ્રેષ્ઠકુસુમોથી, બલિથી અને સુગંધી ધૂપથી ભક્તિથી પૂજે છે. પછી પગમાં પડીને તેઓ કહે છે કે જો અમને પુત્ર થશે તો તમારા મંદિરમાં આવીને વિભૂતિથી ઘણો ધનવ્યય કરીને વિસ્તારથી તારી યાત્રા કરશું. પછી તે જ દિવસે ધનવતીને ગર્ભ રહ્યો. (૧૨) તે ક્રમથી પ્રસૂતા થઈ અને મહાભયંકર સાપનો જન્મ થયો. પછી ભય પામેલા સર્વે જ ત્રાસ પામી દૂરથી પલાયન થયા.