________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ધર્મમાં વિઘ્ન કરશે તેથી પોતાના સુંદર નામના ભાણેજને આ રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરો અને આ પુત્રના જન્મ પછી સુંદર પણ દીક્ષા ગ્રહણ કરે. (૧૦)
પછી સુંદરને રાજ્યપર સ્થાપીને ચિત્રમતિથી સહિત રાજા દીક્ષા સ્વીકારે છે. ક્રમથી ગર્ભ પણ વધે છે. કોઈક દિવસે વિજયા દેવી શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે છે. પછી સુંદર સકળ નગરમાં વર્ધાપન કરાવે છે. હવે સુંદર વિચારે છે કે આ પુત્રવડે રાજા કંસાયો છે એમ માતાવડે સ્વપ્નમાં જોવાયું છે તેથી આનું પણ નામ કુંજર રખાય કારણ કે જે પોતાને ડંસે છે તે બીજાને સવા સમર્થ થતો નથી એમ વિચારીને બારમા દિવસે આનું નામ કુંજર રાખવામાં આવ્યું (૧૪) પછી કુંજર પ્રતિદિન મોટો થાય છે. સુંદર રાજા પણ તે રાજ્યનું પાલન કરે છે જેટલામાં છ માસ પૂરા થયા તેટલામાં સામત-મંત્રી-નગરજનોને ભેગાં કરીને તેનો રાજ્યપર અભિષેક કરે છે અને આ સુંદર કુંજરકુમારને આદરથી સામેતાદિને અર્પણ કરે છે અને તેના મોસાળ વર્ગને કહે છે કે આ તમારા ભાણેજાની સાથે આ રાજ્ય તમને ભળાવું છું અને હું દીક્ષાને લઈશ. એ પ્રમાણે કુંજરને રાજ્યપર સ્થાપીને જે દેશમાં સિંહગિરિ રાજર્ષિ વિચરે છે તે દેશમાં ગયો અને સુંદર પણ સિંહગિરિના ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. (૧૮)
હવે તે કુંજર રાજા ક્રમથી મોટો થાય છે અને યૌવનને પામ્યો. આભિયોગિક કર્મ જેણે બાંધ્યું છે એવો શ્રીક નામનો તેનો રસોયો છે. તે બહાર ઘણાં પાપી પુરુષોને મોકલાવીને હરણ, સૂકર, સસલા, સબર, રોઝ, લાવક, તેતર વગેરે જીવોને મરાવીને દરરોજ જ મંગાવે છે. પછી પરમ યત્નથી તેઓના માંસને ઉખેડીને સિંધવ, સૂંઠ-પિપર-મરી આદિથી સંસ્કાર કરીને રાજાને આપે છે તથા આદુના રસથી સંસ્કારિત કરી કાંજીને પણ આપે છે. માંસમાં આસક્ત થયેલ રાજા પ્રશંસા કરતો ભોજન કરે છે. જેમ જેમ રાજા પ્રશંસા કરે છે તેમ તેમ રસોઈઓ પણ લાવક તેતરના રસો અને ઘણાં પ્રકારના માંસોને કાળજીપૂર્વક ઉખેડીને કટુ તિક્તાદિથી સંસ્કાર કરીને હંમેશા આપે છે. (૨૪)
હવે કોઈ વખત કોઈએ તરતના મરેલા બાળકના મૃતકને મેળવ્યું અને લાવીને શ્રીકને સોંપ્યું. રસોઈઆએ હર્ષિતમનથી પ્રયત્નથી તે બાળકના માંસને ઉખેડીને સંસ્કાર કરી રાજાને આપ્યું. અતિરસની આસક્તિમાં આરૂઢ થયેલા રાજાએ ભોજન કરીને રસોઈયાને પુછ્યું. શ્રીકે પણ તેના કાનમાં કહ્યું કે બાળકનું માંસ છે'. પછી રાજાએ પણ કહ્યું કે હંમેશા તું આવું માંસ રાંધ. પછી રસોઈઓ પણ પૂર્વે મરેલા અથવા ક્યારેક ગુપ્ત રીતે મરાવીને સંસ્કાર કરી રાજાની ઇચ્છાથી હંમેશા આપે છે તથા બીજા લોકો તથા પોતે પણ ઇચ્છા મુજબ ભોજન કરે છે. (૨૯).
હવે કોઈક વખતે સિંહપુરમાં તે નંદન ઉદ્યાનમાં મુનિઓના સમૂહથી યુક્ત કેવલી ભગવંત પધાર્યા. કેવલી ભગવંત દેવ રચિત સુવર્ણ સિંહાસન પર બેઠા ત્યારે રાજા અને શ્રીકને છોડીને નગરનો સર્વ લોક પણ ભક્તિથી ત્યાં આવ્યો. પછી કેવળીએ હર્ષ-વિસ્મય અને સંવેગ કરનારી એવી સદ્ધર્મકથાની દેશના આપી. પછી નગરનાં લોકોએ પુછુયું કે હે ભગવન્! રાજા સિંહગિરિની વિજયાદેવી રાણીએ પુત્રના ઉપપદ સમયે સ્વપ્નમાં જે સાપ જોયો તેનું શું કારણ છે. પછી કેવળીએ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! કલિંગદેશમાં સુશીમ નામના ગામમાં બે ધનવાનના પુત્રો હતા. તેમાં જે મોટો હતો તેનું નામ શિવ હતું અને કમળ જેવા મુખ અને આંખવાળો જે નાનો હતો તેનું નામ માતાપિતાએ “કમળ' રાખ્યું. પછી કોઈક રીતે યૌવનને પ્રાપ્ત થયેલ કમળ કયારેક શિવની પત્ની સાથે વ્યભિચાર કર્યો. ગુસ્સે થયેલ શિવે તેને મારી નાખ્યો. (૩૯) પછી કોપને વશ થયેલ કમલ મરીને કેટલોક સંસાર ભમે છે. ક્યારેક રોગાદિથી પરાભવ પામેલો પોતાના આયુષ્યના ક્ષયથી