SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ પ્રીતિ થવી એમાં શું કારણ છે? પછી મુનિપતિએ કહ્યું કે મગધ દેશમાં ધનાલય નામનું ગામ છે ત્યાં સિંહ નામનો ગામનો મુખી છે અને તે સર્વ પણ રાજાઓને માનનીય છે. (૧૦૮) દત્તનામનો તેનો સ્વચ્છંદાચારી સેવક હતો અને તે ગામમાં નંદ નામે કૌટુંબીક છે જે ઘરમાં રિદ્ધિથી સમૃદ્ધ છે પણ બહારથી બીજાઓ વડે તેવો રિદ્ધિમાન જણાતો નથી અને નંદની નજીક અને ગામની મધ્યમાં વિખ્યાત, દક્ષ તથા સુસભ્ય એવો વત્સ નામનો કુટુંબી વસે છે. કોઈક દિવસે નંદને અતિલક્ષ્મીવાળો જાણીને સિંહ વડે સર્વથા કંઈક ફૂટ સંબંધને ઊભો કરીને તેની સમગ્ર સમૃદ્ધિ છીનવીને ગ્રહણ કરાઈ અને દત્ત કહે છે કે પાપમાંથી ઉત્પન્ન થયો છે લાભ જેઓને એવા આ પુરુષોની રિદ્ધિનું સ્થાન તમારા જેવા ઉદાર (ઉત્તમ) પુરુષોને છોડીને બીજો કોણ થાય ? (૧૧૩) માટે બધુ ગ્રહણ કરો કંઈપણ બાકી રહેવા દેશો નહીં. પછી સિંહે ધન કજે કર્યું ત્યારે નંદને ચિત્તભ્રમ થયો. પછી વસે ત્યાં આવી કરુણાથી કોઈપણ રીતે સ્વસ્થ કર્યો અને સિંહને સમજાવીને કાળે કરી સર્વ સિદ્ધિને પાછી મેળવી આપી. દત્તવડે અનુમોદન કરાયેલો સિંહ બીજા પાપો કરીને દત્તની સાથે જ ઘોર દુ:ખવાળા નરકમાં ગયો. પછી સિંહનો જીવ સંસાર ભમીને હે નરેન્દ્ર ! તું શ્રીદામ થયો. કોઈપણ કર્મના વશથી દત્ત મતિસાગર મંત્રી થયો. નંદ સંસારમાં ભમીને સ્વકર્મને વશ થયેલો ભીમ થયો. વત્સ મતિસાગરનો સુમતિ નમે પુત્ર થયો. ચિરભવ સંચિત કર્મનો જે શેષ હતો તે અહીં ઉદયમાં આવ્યો તેથી ભીમે રાજ્યને ગ્રહણ કરીને તમને બેને પણ પકડ્યા. વત્સનો જીવ સુમતિ પૂર્વભવમાં ઉપકારી હતો તેથી તેની સાથે પ્રીતિ થઈ. એ પ્રમાણે હે રાજન ! જીવો પોતાના કર્મના ફળને જ ભોગવે છે. (૧૨) હે ભગવન્! ભીમ મરીને ક્યાં જશે ? એ પ્રમાણે રાજાએ પુછ્યું ત્યારે સૂરિએ કહ્યું કે હે નરવર ! આજથી ત્રીજા દિવસે મરીને સાતમી નરકમૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થશે. (૧૨૨) આ હકીકત સાંભળીને સંવિગ્ન થયેલો શ્રી દામ રાજા રામને રાજ્ય પર અને પદ્મને યુવરાજ પદ પર તથા સુમતિને સચિવપદે સ્થાપન કરે છે પછી પરમ સંવેગી શ્રીદામ રાજા મહિસાગર તથા કમલિની પ્રમુખ સ્ત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરે છે પછી ઉગ્ર તપ કરીને થોડા જ દિવસોમાં ગુરુઓ તથા શિષ્યો સર્વેક્ષણ કર્મ ખપાવીને મોક્ષમાં ગયા. ભીમ પણ મરીને સાતમી નરક પૃથ્વીમાં ગયો અને ત્યાંથી ઉદ્વર્તન પામી સંસારમાં ભમીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. કેજર નૃપ કથાનક ઘણી રિદ્ધિ અને નીતિથી યુક્ત સિંહપુર નામનું નગર છે જેમાં ધાર્મિક જનો જ પરલોકની ચિંતા કરે છે. ત્યાં વિખ્યાત, ગુણસમૃદ્ધ સિંહગિરિ નામનો રાજા છે જે પરમ શ્રાવક પણ છે. હંમેશા સર્વ અવ્રતથી રહિત છે (અર્થાત્ બાર વ્રતધારી શ્રાવક છે.) હવે રાજ્યનું પાલન કરતા તેને કોઈ વખત ચિંતા ઉત્પન્ન થઈ. જેમકે મારા દિવસો નિરર્થક જાય છે. (૩) જો મારે કોઈ એક પણ પુત્ર હોત તો હું તેને રાજ્ય ભળાવીને સ્વયં દીક્ષા ગ્રહણ કર્યું અને આ પાપોને છોડું. રાજા પોતાની આ ચિંતા શ્રાવકધર્મમાં સમુદ્યત એવા ચિત્રમતિ નામના મંત્રીની આગળ વ્યક્ત કરે છે. હવે રાજાને અતિવલ્લભ અને સુરુપવતી વિજયા નામની મુખ્ય પટ્ટરાણી છે. કોઈક વખત રાત્રી પૂર્ણ થવાના સમયે તે પોતાના ઉદરમાં પ્રવેશતા અને નીકળીને રાજાને ડંસતા ભયંકર સાપને જુએ છે. પછી ગભરાયેલી અને જાગેલી રાણી તે સ્વપ્ન રાજાને કહે છે. (૭) રાજા પણ મંત્રીને કહે છે. મંત્રી પણ રાજાને કહે છે કે હે દેવ ! આ સ્વપ્ન પ્રશસ્ત નથી કેમકે અહીં જે પુત્ર થશે તે જનમવા માત્રથી પણ તમને ડંસે છે. તેથી તમારા માટે સારો નહીં બને. અને
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy