SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ અને આ બાજુ દેવીએ કાંપીલ્યપુર જઈને ભીમને બે બાહુથી ઊંચકીને વૃક્ષની ડાળીમાં ઊંધો લટકાવ્યો અને હંમેશા નીચે બળતા અગ્નિના ધૂમાડાનું પાન કરતો રહે છે. અને તે રાજ્ય પર ફરી પ્રધાન સહિત શ્રીદામ રાજાને સ્થાપન કર્યો અને તેઓને બંને પણ પુત્રોની (ભાનુ અને વિમલની) ખબર આપીને દેવી ગઈ. પછી રાજા કરુણાથી વૃક્ષની શાખાપરથી ભીમને ઉતરાવે છે અને ભોજનને અપાવે છેફરી પણ રાજા ભીમને વૃક્ષમાં લટકેલો જુવે છે. ફરી પણ ઉતરાવે છે, ફરી પણ ભીમને લટકેલો જુવે છે. પછી વારંવાર ભીમને બંધનમાંથી છોડાવવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલ રાજા હંમેશા ભોજન માત્રને જ અપાવે છે. હવે મતિસાગરમંત્રી અને તેના પુત્રો વડે જીવવધક ભીમ ધિક્કારાય છે અને અહીં તે પણ તીવ્ર દુ:ખોનો અનુભવ કરે છે. (૮૩) અને આ બાજુ દેવીએ ભાનુને તે સર્વ વૃત્તાંત કહ્યો. તે વખતે વૈતાઢ્યની ઉત્તરશ્રેણીના રાજાઓની કન્યાઓ હતી તેથી પન્નત્તિ દેવી તેને ત્યાં લઈ ગઈ અને બધી દેવીઓ ભેગી થઈને ગગનવલ્લભપુર નગરમાં વિદ્યાધર ચક્રવર્તી પદે સ્થાપન કરી અભિષેક કર્યો અને ભણવા માત્રથી જ સર્વ વિદ્યાઓ પણ સિદ્ધ થઈ. વિમલને પણ કેટલીક વિદ્યાઓ સિદ્ધ થઈ અને સચિવપદે સ્થાપન કર્યો. પુણ્યથી, ન્યાયથી, પરાક્રમથી થોડા જ દિવસોથી સર્વે પણ વિદ્યાધરો તેના વડે આજ્ઞાકારી કરાયા અને તેઓની પુત્રીઓને પરણ્યો. શ્રેષ્ઠ-હાથી-ઘોડા-રત્નશ્રેષ્ઠવસ્ત્રો વગેરે વિવિધ ભેટોનો સ્વીકાર કર્યો. વધારે શું કહેવું? સર્વ પણ રાજ્ય જાણે પિતાનું હોય એમ તેને પરિણત થયું જેથી વિદ્યાઓ પણ સંતોષ પામી. (૯૭) વિમલની સાથે ભાનુ ચારણ મુનિઓની પાસે જિનધર્મને સાંભળે છે. પુણ્યથી તે જિનધર્મ બંનેને પણ સાંગોપાંગ (રોમેરોમમાં) પરિણત થયા પછી તેઓ નંદીશ્વર વગેરેમાં તથા મહાવિદેહાદિ ક્ષેત્રમાં જિનેશ્વરના સમવસરણમાં પૂજા કરે છે, જિનોની સ્તવના કરે છે અને ધર્મને સાંભળે છે. (૯૮) હવે કોઈ વખત સંસારથી વિરક્ત થયેલ બંને પણ સમસ્તપુત્રોને પોતાના પદો (રાજ્યાદિ) ભળાવીને દીક્ષા ગ્રહણ કરે છે. પછી ભાનુમુનિ થોડા દિવસોમાં ગીતાર્થ થયા. ગાઢ તપને કરતા શરીર ઉપર પણ નિરપેક્ષ એવા તેને અવધિ અને મન: પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયા. તેથી ભાનુમુનિ ચાર જ્ઞાનવાળા થયા. પછી ભાનુમુનિ ગુરુવડે પોતાના પદ પર સ્થાપન કરાયા. પછી ગચ્છની સાથે વિચરતા ભાનુમુનિ કાંપીલ્યપુર પધાર્યા. ક્યારેક ઉદ્યાનમાં દેવવડે કરાયેલ સુવર્ણ કમળમાં બેઠેલા ભાનુમુનિ લોકને નિર્મળ ધર્મનો ઉપદેશ આપે છે. તુષ્ટ થયેલ શ્રીદામ રાજા મતિસાગર મંત્રીની સાથે સર્વ રિદ્ધિથી તેમના વંદન નિમિત્તે આવે છે. વિમલાદિ સુસાધુઓથી - યુક્ત ભાનુમુનિને ભક્તિથી નમીને મતિસાગરથી સહિત રાજા ઉચિત દેશમાં બેસે છે અને મુનિના દર્શનમાં જાણે તે ફક્ત હર્ષમય થયો. (૯૯). રામ,પદ્મ તથા કમલિની અને મતિસાગરના પુત્રો સુમતિ વગેરે ભક્તિથી પ્રણામ કરીને હર્ષથી પુલકિત અંગવાળા ત્યાં બેઠા. પછી મુનિએ કહ્યું કે હે નરનાથ ! સ્નેહની બેડીઓથી નિબિડ બંધાયેલા, અજ્ઞાનથી આંધળા થયેલા, વિમૂઢ જીવો કાર્યાકાર્યને જાણતા નથી અને પોતાના હિત કે અહિતને પણ જાણતા નથી તેથી કોશેટાના કીડાની જેમ કર્મરૂપી કોશથી પોતાને ગાઢ વીંટીને રાંકડાઓ અહીં જ નિધન (મરણ) પામે છે અને ભવસાગરમાં ભમતા ભયંકર દુ:ખોને સહન કરે છે. સામર્થ્ય હોતે છતે સદ્ધર્મ અને સુગુરુની સામગ્રી મેળવીને સ્વર્ગ-અપવર્ગ (મોક્ષ)ના સુખનું કારણ એવા ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૪) પછી રાજાએ પુછયું કે હે મુનિન્દ્ર ! આપે જે કહ્યું તે સર્વ તેમજ છે પરંતુ પ્રસાદ કરીને કહો કે મારાપર તથા મહિસાગર પર ભીમને પ્રàષ થવો, રિદ્ધિ અને પ્રાણોથી ભીમનું ભ્રષ્ટ થવું તથા સુમતિની સાથે ભીમની
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy