________________
૭૮
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
બંનેને પણ પોતાના ઘરે મોકલી દીધા. પછી તે ભીમરાજા સ્વયં મહાપ્રમાદી થયો. શિકારમાં રત તે લાખો જીવોનો ઘાત કરતો અટવીમાં જ વસે છે અને પ્રાય: ત્યાં જ ખાય પીએ છે અને સૂવે છે અને સિંચાણાકૂતરા-ચિત્તા-વગેરેથી શિકારને કરે છે. (૫૨) હૃદયથી નિર્દય, આસક્ત એવો તે કેટલાક પશુઓના કલેજાને ગ્રહણ કરે છે. કેટલાકના હાડકાંને ખાય છે. કેટલાકના ઘણાં માંસને ખાય છે. લાવક. તેતર આદિ પક્ષીઓના ઘણાં પ્રકારના રસોને તથા ચરબીને પીએ છે અને તેનાથી લાખ ગણા સ્વયં તૈયાર કરેલ ચરબી, રસ. માંસ લોકને આપે છે. (૫૪).
અને આ બાજુ ભાનુ અને વિમલ ભમતા એક મહા-અટવામાં આવ્યા અને ત્યાં તેઓએ બિલ્વવૃક્ષથી સળગતા અગ્નિમાં વિદ્યાનો જાપ કરતા એક યોગી પુરુષને જોયો. પછી કુમારે પુછ્યું કે હે ભદ્ર ! તું આ શું કરે છે? તેણે કહ્યું કે હે મહાયશ ! સુગુરુના ઉપદેશથી ઉપલબ્ધ આ વિદ્યાનો જાપ કરતા મારે અહીં ઘણો કાળ ગયો છે. પછી ભાનુકુમાર તેને કહે છે કે હે ભદ્ર ! મારામાં યોગ્યતા હોય તો તું તે વિદ્યા આપ જેથી હું તેને સાધુ અથવા જીવિતનો પણ ત્યાગ કરું. (૫૮) પછી આ પુરુષ સ્વભાવથી સજ્જ છે એમ જાણીને યોગીએ તેને વિદ્યા આપી. પછી તેણે પણ ત્રણ બિલ્વ હાથમાં લીધા. વિદ્યાનો પાઠ કરીને એક બિલ્વને હોમમાં નાખ્યું. પછી બીજાને, ફરી ત્રીજા અને ચોથી વખત સ્વયં જ તેણે હોમમાં ઝંપલાવ્યું. પાછળથી વિમલે ઝંપલાવ્યું. જેટલામાં બંને પણ પડેલા રહે છે તેટલામાં ડાબા હાથમાં રહેલી છે તલવાર જેને એવો ભાનુ કેવળ શ્રેષ્ઠ રત્નમય, સ્કુરાયમાન થતા કિરણોના સમૂહવાળા એવા મહાવિમાનને જુએ છે અને નજીકમાં રત્નથી ઉજ્વળ કંડલથી શોભિત કરાયું છે ગાલ જેનું, હારથી શોભાવાયું છે વક્ષ સ્થળ જેનું, સુપ્રસન્ન મુખવાળી, કાર્યમાં સિદ્ધિનું ઉદ્યાપન હોય તેવી એક દેવીને જુએ છે. (૯૩) પછી દેવીએ કહ્યું કે હે વત્સ ! હું તને સિદ્ધ થઈ છું તું જે માગીશ તે હું આપીશ. પછી કુમારે કહ્યું કે હે દેવી ! આ સાધક યોગીને કૃતાર્થ કર. દેવી કહે છે કે હે વત્સ! એક કોડીની કિંમતને અયોગ્ય એવા આ અપુણ્ય (પાપી)નું નામ પણ લઈશ નહીં. પછી ભાનું દેવીને કહે છે કે હે દેવી ! જો આમ છે તો મારી સાથે આને શ્રેષ્ઠ વિમાનમાં બેસાડ જેથી વિમાનમાં આરૂઢ થયેલો હું વિમલની સાથે દેશો જોઉં. આ દેવી કહે છે હે વત્સ! તને આ સિદ્ધ છે અને બીજું કંઈપણ માગ. પછી કુમારે દેવીને કહ્યું કે મને પિતાની ખબર કહે. દેવીએ પણ કાષ્ઠના પાંજરામાં નાખવા આદિ સર્વ વૃત્તાંત કહ્યો. પછી કુમારે કર રૂપી કમળને જોડીને પ્રણામપૂર્વક કહ્યું કે જો તું આ વચન (વરદાન) આપે છે તો મારા પિતાને રાજ્ય પર સ્થાપન કર. (૧૯) ભીમનો પણ જે ઉચિત ઉપચાર હોય તે સ્વયં પણ કરવો તે પિતૃઘાતકનું હું મુખપણ નહીં જોઉં આજે પણ મારે ઘણાં દેશો જોવાનું કુતૂહલ છે. દેવીએ તેનું વચન સ્વીકાર્યું અને કુમારને આ કહ્યું કે હું પન્નત્તિ મહાવિદ્યા છું તારા વચનને સાધીને અર્થાત્ તારા વચન પ્રમાણે કરીને પાછી ફરેલી હું બીજું પણ સર્વ ઉચિત કરીશ. (૭૨) આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઈ. પછી વિમલની સાથે રત્નમય વિમાનમાં આરૂઢ થયેલો કુમાર વિમાનને રત્નથી ભરેલો જુએ છે. પછી દેવીએ જે કહ્યું હતું તે સર્વ વૃત્તાંત યોગીને કહે છે છતાં પણ કરુણાથી યોગીને રજા આપી અને કહ્યું કે પોતાની ઇચ્છા મુજબ આ રત્નોને ગ્રહણ કર. તેથી ખુશ થયેલ યોગીએ એક મોટી રત્નોની લટને (ગુચ્છાને) ગ્રહણ કરી. (૭૫).
હવે વિમલથી યુક્ત કુમાર આકાશમાં ઊડ્યો અને ઇચ્છિત દેશોમાં ભમે છે. યોગી પણ થોડોક ચાલ્યો તેટલામાં પોતાની લટ ખાલી જુવે છે અને પોતાને નિંદે છે. ભાનુ પણ પોતાના વિમાનમાં તે જ રત્નો જોઈને ફરી ફરી પણ યોગીનો શોક કરે છે (અર્થાત્ ભાનુએ યોગીને આપેલ રત્નો ફરી પોતાના વિમાનમાં આવી ગયેલા જોયા તેથી યોગીની પુણ્યહીનતાનો શોક કરે છે.) (૭૭)