________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
૭૧
આકાશમાંથી હાર દ્રવ્યોને ગ્રહણ કરે છે અને તે આહાર પુદ્ગલો પાપના ઉદયથી વિષ્ઠા કરતાં અનંતગણા અશુભ અને મહાવિસૂચિકા (જેમાં ઝાડા થાય તેવા રોગ વિશેષ)ને ઉત્પન્ન કરે તેવા ગ્રહણ થાય છે. પછી તેવા પ્રકારના આહા૨થી ફરી થતી ભારે વિસૂચિકાથી અનંતગણી વેદનાવાળી વિસૂચિકા થાય છે. પછી તેવા પ્રકારના દુઃખને અંતર્મુહૂર્ત ભોગવીને પછી ફરી તેવા પ્રકારના આહારને ગ્રહણ કરે છે. ફરી તેવા દુ:ખને પ્રાપ્ત કરે છે. ફરી અંતર્મુહૂર્ત પછી તેવા પ્રકારના આહારનું ગ્રહણ આમ તે વરાકડાઓનો આહાર પણ સતત અનંત દુઃખનું કારણ છે.
પિપાસાં : તેઓને પણ એવી કોઈ તૃષા ઉત્પન્ન થાય છે કે જે અસત્ કલ્પનાથી સર્વ સમુદ્રોનું પાન કરી જાય તો પણ તૃષા શાંત થતી નથી.
ખણજ : તેઓના શ૨ી૨માં એવી સતત ખણજ ઉત્પન્ન થાય છે કે તીક્ષ્ણ છૂરીથી ખણવામાં આવે તો પણ શાંત થતી નથી.
પરાધીનતા : તેઓને આખા ભવ સુધી પરાધીનતા હોય છે.
જ્વર : અહીંના માહેન્દ્ર (એક જાતના તાવનો પ્રકા૨) તાવ કરતાં અનંતગુણો હોય છે અને મરણ સુધી તે તાવ ઉતરતો નથી.
દાહ : દાહપણ અહીંના દાહ કરતાં અનંતગુણો હોય છે.
ભય અને શોક : હંમેશા પણ ઉપર કહેવાયેલી વેદનાથી કદર્થના કરાતા નારકોના ભય અને શોકની શું વાત કરવી ?
આમ ત્રણ પ્રકારની પણ વેદનાનું પ્રતિપાદન કરીને હવે ઉપસંહાર કરતા કહે છે ય િિવષે વિ પૂર્વોક્ત કહેલા પ્રકારથી પરમાધામી વડે કરાયેલી, પરસ્પરોદીરિત અને ક્ષેત્રના પ્રભાવથી થયેલી એમ ત્રણ પ્રકારની વેદના પ્રથમની ત્રણ નરક પૃથ્વીમાં છે. બાકીની નરક પૃથ્વીઓમાં પરમાધામીઓનો અભાવ હોવાથી પરમાધામીકૃત વેદનાને છોડીને બાકીની બે વેદનાઓ હોય છે. પરંતુ તે બે પ્રકારની વેદનાઓ પણ સ્વભાવથી જ પ્રથમની પૃથ્વીઓ કરતાં અનંત ગુણી હોય છે.
આવા પ્રકારની વેદનાથી પીડાયેલા નારકો ત્યાં કેવી રીતે રહી શકે છે તેને કહે છે.
तत्तो कसिणसरीरा बीभच्छा असुइणो सडियदेहा । नीहरिय अन्तमाला भिन्नकवाला लुयंगा य । ।१६५।। दीणा सव्वनिहीणा नपुंसगा सरणवज्जिया खीणा । चिट्ठति निरयवासे नेरइया अहव किं बहुणा ? ।।१६६ ।। ततः कृष्णशरीरा: बीभत्साः अशुचयः शटितदेहाः निः सारितान्त्रमालाः भिन्नकपाला: लुलिताङ्गाश्च ।। १६५ ।।
दीनाः सर्वनिहीना नपुंसकाः शरणवर्जिताः क्षीणाः
तिष्ठन्ति निरयवासे नैरयिका अथवा किं बहुना ? ।। १६६ ।।
ગાથાર્થ : પછી કૃષ્ણ શરીરી,બીભત્સ, અશુચિવાળા, સડી ગયેલ શ૨ી૨વાળા, નીકળેલી છે આંતરડાની