SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ જેઓને પરસ્ત્રી આદિના રૂપના વિષયમાં મુખ-આંખ, હોઠના પલ્લવ, આંખના કટાક્ષ ક્ષેપ, નિરીક્ષણ, બગલ, સ્તન, નાભિમંડલ, ત્રણ રેખાઓથી અંકિત પેટ, નિતંબ, સાથળ વગેરે અવયવો જોવામાં અતિશય આસક્તિ હતી તેઓની આંખને મહા સંતાપ કરનાર, પરમ ઉદ્વેગ કરનાર, સર્વથા ફોડનારા તથા વિઘાતના કારણભૂત ખરતાં તણખાની માળાની જ્વાળાથી ભયંકર તપેલા તાંબાની પૂતળીઓ આદિ રૂપો વિકર્વીને બતાવે છે. अथ गन्धरसगृद्धिविपाकमाह - હવે ગંધ રસની આસક્તિના વિપાકને બતાવે છે. वसमंसजलणमुम्मुरपमुहाणि विलेवणाणि उवणेति । उप्पाडिऊण संदंसएण दसणे य जीहं च ।।१६०।। वसामांसज्वलनमुर्मुरप्रमुखाणि विलेपनानि उपनयन्ति उत्पाट्य संदंशकेन दशनान् जिह्वां च ।।१६० ।। तत्तो भीमभुयंगमपिवीलियाईणि तह य दव्वाणि । असुईउ अणंतगुणे असुहाई खिवंति वयणम्मि ।।१६१।। ततो भीमभुजंगमपिपीलिकादीनि तथा च द्रव्याणि अशुचीनि अनन्तगुणानि इतः अशुभानि क्षिपन्ति वदने ।।१६१।। ગાથાર્થ : ચરબી-માંસ-બળેલા કોલસા વગેરે પદાર્થોથી બનેલા વિલેપનોને વિક્ર્વીને લાવે છે અને સાણસાથી દાંત તથા જીભને ખેંચીને પછી ભયંકર સાપ કીડીઓ વગેરે તથા અનંતગુણ અશુચિ તથા અશુભ દ્રવ્યોને વિતુર્વીને મોઢામાં નાખે છે. (૧૯૦-૧૯૧) येषां तु सुरभिगन्धातिशयगृद्धानां कर्पूरकस्तूरिकोन्मिश्रकृष्णागरुश्रीखण्डविलेपनादिष्वासक्तिरासीत्तेषां वपुषि वसामांसज्वलनमूर्मुरपूयादिविलेपनान्युपनयन्ति-कुर्वन्ति, येषां तु मद्यमांसरजनीभोजनादिरसगृद्धिरासीत् तेषां संदंशकेन दशनान् जिह्वां चोत्पाट्य ततो भीमभुजङ्गमपिपीलिकादीनि वदने क्षिपन्ति, तथा द्रव्याणि वैक्रियाणि कृत्वा वदने क्षिपन्ति, कथंभूतानि ?- अशुचीनि-जुगुप्सनीयानि महादुर्गन्धानि, किमुक्तं भवति ? - अशुचेर्विष्ठायाः अनन्तगुणेनाशुभानि ।। ટીકાર્થ : પૂર્વભવમાં જે પુરુષો કપૂર-કસ્તુરી મિશ્ર કૃષ્ણાગરુ તથા ચંદનના વિલેપન આદિ સુગંધી દ્રવ્યોમાં અતિશય આસક્તિવાળા હતા તેઓના શરીરપર પરમાધામીઓ ચરબી-માંસ-સળગેલા અંગારાપરુ આદિ પદાર્થોને વિક્ર્વીને વિલેપન કરે છે તથા જેઓને મઘ, માંસ, રાત્રીભોજન આદિ રસોમાં આસક્તિ હતી તેઓના દાંત તથા જીભને સાણસાથી ખેંચીને પછી તેઓના મુખમાં ભયંકર સાપ, કીડીઓ વગેરે વિકુર્તીને નાખે છે તથા વૈક્રિય દ્રવ્યો વિક્ર્વીને મોઢામાં ભરે છે. તે વૈક્રિય દ્રવ્યો કેવા છે ? તે વૈક્રિય દ્રવ્યો અપવિત્ર જુગુપ્સનીય અને મહાદુગંધવાળા છે. એનાથી શું કહેવાનું થાય છે? તે પદાર્થો વિષ્ટાની અશુચિથી અનંતગણા અશુભ હોય છે એમ કહેવાનું છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy