________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
ટીકાર્થ : મહાઘોષ પરમાધામીઓ સ્વયં જ નારકોને વિવિધ પ્રકારની તીવ્ર કદર્થનાઓ કરે છે, પછી કદર્થનાના ભયથી પલાયમાન થતા ના૨કોને ત્યાં જ મહાઘોષ પરમાધામીઓ વધસ્થાને પશુઓની જેમ ભેગા કરીને પકડી રાખે છે. બીજે જવા દેતા નથી.
૫૫
તેથી એ પ્રમાણે તે અધમ અંબાદિ ભવનપતિ દેવોનો કદર્થનાનો વ્યાપાર માત્ર દિશા સૂચન રૂપે સંક્ષેપથી જણાવ્યો. વિસ્તારથી તો સર્વ પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો પણ કહી શકે નહીં અને આ પરમાધામીઓ નારકોની પાપની પરિણતિથી પ્રેરાયેલા જ નારકોને વાઘની જેમ કદર્થના કરે છે. અને તેથી તે પરમાધામીઓ પણ કદર્થના નિમિત્તે પાપો બાંધીને અહીં (તિતિ લોકમાં) માછલાદિ તિર્યચોમાં ઉત્પન્ન થઈને નરકોમાં જાય છે અને બીજા પરમાધામીઓ વડે તેઓ પણ કદર્થના પમાડાય છે.
પ્રશ્ન : એ પ્રમાણે આ નારકો કરપાત્રાદિથી ચીરાયેલા અને છેદનાદિથી તલ તલ જેવડા ટૂકડા કરાયેલા કેમ મરતા નથી ?
ઉત્તર : નીચેની ગાથામાં આનો ઉત્તર આપવામાં આવે છે.
तह फालिया वि उक्कत्तिया वि तलिया वि छिन्नभिन्ना वि । दड्ढा भुग्गा मुडिया य तोडिया तह विलीणा य । । १२१ । । पावोदएण पुणरवि मिलंति तह चेव पारयरसो व्व । इच्छंता वि हु न मरंति कह वि हु ते नारयवराया ।।१२२।। तथा पाटिता अपि उत्कर्त्तिता अपि तलिता अपि छिन्नभिन्ना अपि તથા: મુન્ના મોટિતાા ત્રોટિતા: તથા વિછીનાશ્રુ ।।૨।। पापोदयेन पुनरपि मिलन्ति तथा चैव पारदरस इव
इच्छन्तोऽपि न म्रियन्ते कथमपि खलु ते नारका वराकाः ।। १२२ ।।
ગાથાર્થ : તે પ્રમાણે ચીરાયેલા પણ, કપાયેલા પણ, તળાયેલા પણ, છિન્ન ભિન્ન થયેલા પણ, બળાયેલા, કોળીયો કરાયેલા, મરડાયેલા, અને તોડેલા તથા પીગળી ગયેલા નારકો પાપોના ઉદયથી ફરી પણ પારાના રસની જેમ તે પ્રમાણે શરીર રૂપે મળે છે. મરવા ઇચ્છતા હોવા છતાં પણ તે વરાકડા નારકો કોઈપણ રીતે મરતાં નથી. (૧૨૧-૧૨૨)
यद्यपि प्राणान्तकारिण्यस्ता वेदनास्तत्करास्फालिताश्च ते मर्तुं वाञ्छन्ति तथापि न म्रियन्ते वराकाः दीर्घायुः स्थितेर्वेद्यासातकर्म्मणश्च सद्भावात् शेषं सुगमं । तर्हि ते तथा कदर्थ्यमानाः किं चेष्टन्त इत्याह -
ટીકાર્થ : બંને ગાથાનો અર્થ સુગમ છે. જો કે તે વેદનાઓ મરણાંત છે અને તે ના૨કો મરવાને ઇચ્છે છે તો પણ તેઓ વરાકડા મરતા નથી કારણ કે આયુષ્યની સ્થિતિ ઘણી દીર્ઘ હોય છે અને અસાતાવેદનીય કર્મ ભોગવવાનું બાકી હોય છે.
તો પછી તેઓ તેવી રીતે કદર્થના કરતા કેવી ચેષ્ટા કરે છે તેને જણાવતા કહે છે. भांति तओ दीणा मा मा मारेह सामि ! पहु ! नाह ! । अइदुसहं दुक्खमिणं पसियह मा कुणह एताहे ।। १२३ ।।