________________
ભવ ભાવના પ્રકરણ ભાગ – ૨
ટીકાર્થ : ત્રીસ લાખ, પચ્ચીશ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, નવાણું હજાર નવસો પંચાણું અને પાંચ એમ બધા મળીને કુલ ચોરાશી લાખ નરકા વાસો જાણવા. (૮૪)
પહેલી રત્નપ્રભાના તેર પ્રત૨માં બધા મળીને ત્રીસ લાખ નરકાવાસો છે.
બીજી શર્કરાપ્રભાના અગીયાર પ્રત૨માં બધા મળીને પચીસ લાખ નરકાવાસો છે.
ત્રીજી વાલુકાપ્રભાના નવ પ્રત૨માં બધા મળીને પંદર લાખ નરકાવાસો છે.
ચોથી પંક પ્રભાના સાત પ્રતરમાં બધા મળીને દશ લાખ નરકાવાસો છે. પાંચમી ધૂમ પ્રભાના પાંચ પ્રતરમાં બધા મળીને ત્રણ લાખ નરકાવાસો છે. છઠ્ઠી તમ: પ્રભાના ત્રણ પ્રત૨માં બંધા મળીને નવાણું હજાર નવસો પંચાણું ન૨કાવાસો છે.
સાતમી તમસ્તમઃ પ્રભાના એક પ્રતરમાં બધા મળીને પાંચ નરકાવાસો છે.
સર્વ મળીને ચોરાશી લાખ નરકાવાસો થાય છે.
૪૧
હવે આ નરકાવાસોના સંસ્થાનાદિ સ્વરૂપને કહે છે.
૩૦,૦૦૦૦૦
૨૫,૦૦૦૦૦
૧૫,૦૦૦૦૦
૧૦,૦૦૦૦૦
૦૩,૦૦૦૦૦
૯૯૯૯૫
-૦૫
૮૪,૦૦૦૦૦
ते णं नरयावासा अंतो वट्टा बहिं तु चउरंसा । हेट्ठा खुरुप्पसंठाणसंठिया परमदुग्गंधा ।।८५ ।। असुई निचपट्ठियपूयवसा मंसरुहिरचिक्खिल्ला । धूमप्पभाइ किंचि वि जाव निसग्गेण अइउसिणा ।। ८६ ।।
ते नरकावासा अंतर्वृत्ता बहिश्चतुरस्राः, अधःक्षुरप्रसंस्थानसंस्थिताः परमदुर्गन्धाः ।। ८५ ।।
अशुचिनित्यप्रतिष्ठितपूतवसामांसरुधिरकर्द्दमाः,
धूमप्रभायां कियन्तोऽपि यावन्निसर्गेणात्युष्णाः ।। ८६ ।।
ગાથાર્થ : તે નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે, તળીયામાં ક્ષુરપ્ર (અસ્ત્રા) સંસ્થાનવાળા છે અને અત્યંત દુર્ગંધવાળા છે. (૮૫)
તે નરકાવાસો હંમેશા અશુચિથી ભરેલા, ગંધાતી ચરબી-માંસ-લોહી રૂપી કાદવવાળા, ધૂમપ્રભા સુધીની સર્વ પૃથ્વીઓના નરકાવાસો તેમ જ ધૂમ પ્રભાના કેટલાક નરકાવાસો સ્વભાવથી અતિ-ઉષ્ણ છે. (૮૬)
पाठसिद्धे, नवरं मांसवसादिवस्तूनि तत्र परमाधार्मिकप्रवर्त्तितानि द्रष्टव्यानि, स्वरूपेण तेषां तत्राभावात् । चतुर्थीपञ्चम्यादिषु तु परमाधार्मिकरहितासु मांसादिविकुर्वणाभावेऽपि स्वरूपेणैव ते अनन्तगुणदुर्गन्धा भवति । अपरं चाद्यासु तिसृषु पृथ्वीषु चतुर्थ्यां च बहवो नरकावासा धूमप्रभायामपि कियन्तोऽपि नरकावासाः, ते स्वभावेनैवोष्णा भवन्ति, तौष्ण्यं कियति माने इति वक्ष्यति ।। परतः का वार्ता इत्याह -
ટીકાર્થ : નરકમાં માંસાદિ વસ્તુઓ જે છે તે ૫૨માધામીઓ વડે વિકુર્વેલી જાણવી પણ સ્વરૂપથી નરકમાં