SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨ વસ્ત્રને જારની પાસે રહેલું જુએ છે. ધન જલદી ઘરે જઈ પત્નીને કહે છે કે તારું જે અમુક ઉત્તરીય વસ્ત્ર છે તેનું મારે હમણાં કંઈક કામ છે તો તું તેને જલદી લઈ આવ. આ સાંભળી ધનની પત્ની ક્ષોભ પામી અને શંકિત થયેલી ધનને કહે છે કે હમણાં તે વસ્ત્ર બહેનપણી માગીને લઈ ગઈ છે. તે વસ્ત્રનું તમારે શું કામ છે ? મારી પાસે તમારી કૃપાથી બીજા ઘણાં વસ્ત્રો છે તે વસ્ત્રોથી આપનું કાર્ય પાર પાડો. (નીપટાવો.) ધન કહે છે કે મારે બીજા કોઈ વસ્ત્રનું પ્રયોજન નથી તેથી તું તારી સખીને બતાવ જેથી હું તેને ઘરે જઈ સ્વયં લઈ આવું. પછી જેટલામાં ભય પામી ભૂમિ પર આળોટેલી બીજા જૂઠા ઉત્તરો આપે છે તેટલામાં મિત્રે કહેલી વાતની ધનને ખાત્રી થઈ અને મનમાં વિચાર્યું કે અન્યમાં આસક્ત થયેલી એવી આના વડે આટલા દિવસોમાં હું મરાયો નથી તે મને મોટો લાભ છે. (૨૨) જો મરાયો હોત તો ધર્મનો ભાઈ વિમલ મળે છતે ધર્મ કર્યા વિના હું પશુની જેમ મરીને દુર્ગતિમાર્ગમાં ગયો હોત. ઘર-પત્ની-સ્વજનમાં આસક્ત થયેલા મનવાળો હું મૂઢ રહ્યો અને અજ્ઞાનથી આંધળા બનેલા એવા મેં પિશાચોની વંશ પરંપરા ચલાવી. જેમ ધતૂરો પીધેલાઓને માટીના ઢેફામાં પણ સુવર્ણની ભ્રાંતિ થાય છે તેમ મારાથી ઓતપ્રોત થયેલી (અતિરિક્ત) આવા પ્રકારની વ્યભિચારીને મેં સુવર્ણ જેવી શીલવતી માની. તેથી જેટલામાં આ મારી સ્ત્રી લજ્જા છોડીને મારી પાસેથી ભાગી ન જાય તેટલામાં હું મારું પોતાનું કાર્ય આદરું (૨૬) એ પ્રમાણે વિચારીને વિમલને લઈને સાધુ પાસે જઈને, સંવિગ્ન પરિણામવાળો ધન દીક્ષાને ગ્રહણ કરે છે. જલદીથી સૂત્ર અને અર્થને ભણીને ગીતાર્થ થયો. દેવોને પણ અક્ષોભ્ય એવો દઢધર્મ થયો. પછી એકલ વિહારી પ્રતિમાને સ્વીકારીને સંસાર રૂપી કારાગૃહથી ઉદ્વિગ્ન ગુરુની અનુજ્ઞાથી એકલો વિચરે છે. હવે કોઈક વખત બરફના કણોથી મિશ્રિત પવનથી પ્રાણીઓના સમૂહને કંપાવતો, કમળવનને નાશ કરતો એવો શિયાળો સર્વત્ર શરૂ થયો (૩૦) જે શિયાળો દુષ્ટ રાજાની જેમ દુસહ થયો. સર્વ પક્ષીઓના સમૂહને નાશ કર્યા. ઝાડપરના પત્રોનું સર્વત્ર વસ્ત્ર નિર્માણ કરાયું અને લોકોના ગળામાં બાજુબંધ કરાયો. સફેદ ફુલોના બાનાથી પાટલપુષ્પો વૃક્ષસમૂહપર હસે છે. પાંદડા અને ફુલોનો સમૂહ મરી ગયો. અને મુસાફરોનો સમૂહ કંપ્યો. જ્યાં નિપુણમતિઓ પણ નદી અને સરોવરના બરફભૂત થયેલ પાણીનું વહેવાપણું કે સ્થિરપણું ન જાણી શક્યા. (૩૩) જ્યાં પુરુષો ચંદનના લેપથી વિલેપન કરાયેલી, પુષ્ટ ઉન્નત અને ગાઢ બે સ્તનવાળી એવી પ્રિયકામિનીઓના સંગને પ્રભાતસમય સુધી પણ છોડતા નથી. આ પ્રમાણે શિશિર સમય પ્રવૃત્ત થયો ત્યારે કયાંયથી પણ વિહાર કરતા ધન સાધુ અટવામાં આવ્યા. સૂર્યાસ્ત સમયે કાઉસ્સગ્નમાં રહ્યા. રાત્રીમાં નિરાવરણ ધન સાધુ ઠંડીથી શિલાની જેમ નિચ્ચેષ્ટ થયા. મચ્છરોએ તેના સર્વાંગને ભક્ષણ કરવા શરૂઆત કરી. પછી તે ધન સાધુ મનમાં ભાવના કરે છે કે હે જીવ ! આ શરીર તારાથી અન્ય છે. આ શરીર ડાંસ અને મચ્છરોનું ભક્ષ્ય (ભોજન) છે. તેથી જો આ ડાંસ-મચ્છરો સ્વયં જ ભક્ષણ કરે છે તો તારે આઓ ઉપર દ્વેષ કરવો ઉચિત નથી. (૩૮) જેમ અન્યત્વભાવના ભાવવાથી સ્ત્રી સ્વજન આદિ વિશે અનુગ્રહ અને વિઘાતથી તને સુખ દુઃખ થતા નથી તેમ અન્યત્વભાવનાથી શરીર વિશે પણ જાણ. અને અહીં ઉપસર્ગમાં તને જે પીડા થાય છે તે પણ કર્મ નિત છે અને આગળ ઉપર કર્મ ભોગવવાના છે તો પછી અહીં સારું છે કે જિનધર્મની સહાયથી મનમાં વિવેકભાવ ઉત્પન્ન થયો છે ત્યારે અનંતા પલ્યોપમ અને સાગરોપમના દુ:ખો નરકમાં સહન કરાયા છે તેની અપેક્ષાએ આ દુ:ખ કેટલામાત્ર છે ? તેથી સ્થિર થઈ સત્ત્વને અવલંબીને (ધરીને) હે જીવ! તું એક ક્ષણ ઉપસર્ગને સમભાવે સહન કર. જેથી થોડાકથી પણ તું ઇચ્છિત કાર્યને સાધી શકીશ. આ પ્રમાણે ભાવના કરતો ધનસાધુ
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy