________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૩૭.
આથી સ્વજનાદિ વિશે કયો રાગ કરાય ? એમ કહેવાનો ભાવાર્થ છે અહીં વિવિહફાળોહિં માં પંચમીના અર્થમાં તૃતીયા વિભક્તિ લાગેલ છે. હવે ઉપસંહાર પૂર્વક ઉપદેશ આપતા જણાવે છે -
इय अनत्तं परिचिंतिऊण घरघरणिसयणपडिबंधं । मोत्तूण नियसहाए धणो व धम्मम्मि उज्जमसु ।।८१।। इत्यन्यत्वं परिचिन्त्य गृहगृहिणीस्वजनप्रतिबंध,
मुक्त्वा निजस्वभावे धन इव धर्मे उद्यच्छेः ।।८।। ગાથાર્થ: આ પ્રમાણે અન્યત્વ ભાવનાનું પરિચિંતન કરીને, ઘર-સ્ત્રી-સ્વજનના રાગને છોડીને, ધનની જેમ પોતાના સ્વભાવને સાધી આપનાર ધર્મમાં ઉદ્યમ કરો. (૮૧).
સુકાના થાન તૂને (તે) – ગાથાર્થ સુગમ છે, હવે કથાનક કહેવાય છે.
ધનનું કથાનક આ જ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ રત્નમય, દીર્ઘ આંખવાળું પૃથ્વી રૂપી સ્ત્રીનું જાણે મુખ ન હોય તેવું દશપુર નામનું નગર છે. તેમાં નામથી અને ગુણથી પણ શ્રેષ્ઠ એવો ધનસાર શ્રેષ્ઠી વસે છે તેને સ્વભાવથી સ્થિર સત્ત્વવાળો ધન નામે પુત્ર છે. યૌવનને પામેલો તે તેજ નગરમાં વસતા વિજયશ્રેષ્ઠીની યશોમતી નામની પુત્રીને પરણે છે અને તે હંમેશા ધનની ભક્તા છે. પછી કાળ ગયે છતે ધનસારનું મૃત્યુ થયું. યશોમતી સહિત ધન સમગ્ર ઘરનો સ્વામી થયો. (૪) પછી તે યશોમતી ધનનો તેવો વિનય કરે છે કે જેથી લોક આશ્ચર્ય પામે છે કે અહો ! ધનના પુણ્યની અહીં શું વાત કરાય ? અને પછી ધન વિચારે છે કે આ મારા ઘરને ધન્ય છે જે ઘરની આવા પ્રકારની સ્વામિની છે. હૃદયમાં ઓતપ્રોત થઈને વિનયમાં તત્પર અને "શીયળથી યુક્ત સર્વે સ્વજનોને યથોચિત ધન સંબંધી વસ્ત્રાદિનું વિતરણ કરે છે પછી આ સ્વજનો વડે પણ યશોમતી પ્રશંસા કરાય છે. (૭) પછી પત્નીના ગુણોથી રંજિત થયું છે હૃદય જેનું એવો ધન ફુલાતો પરિભ્રમણ કરે છે. હંમેશા પણ ઘર-પત્ની-સ્વજનને વિશે ચિત્તમાં રાગ ધરીને રહે છે, અને તેને ઘણી બુદ્ધિથી યુક્ત, શ્રાવક ધર્મમાં દૃઢ એવો વિમલ નામનો મિત્ર છે. વિમલના સંસર્ગથી ધન પણ ભદ્રક ભાવવાળો થયો. કોઈક વખત વિમલ મિત્ર ધનને કહે છે કે હે ભદ્ર ! તારી આ સ્ત્રી સારી નથી તેથી પ્રયત્નથી પોતાનું રક્ષણ કરવું. પછી તું એમ ન બોલીશ કે મને કોઈએ આ ન કહ્યું જેથી કહેવાયું છે કે રાગી થયેલી મહિલા શેરડીના સાંઠાની જેમ મીઠી હોય છે. વિરક્ત (અપ્રીતિવાળી) થયેલી સ્ત્રી કાળા નાગના વિષની જેમ પ્રાણને હરે છે. બુદ્ધિમાનો ગંગાની રેતીને, સમુદ્રમાં પાણીને અને હિમાલયના માનને (પ્રમાણને) જાણે છે પણ સ્ત્રીઓના હૃદયને જાણતા નથી. આ પ્રમાણે સાંભળીને વિસ્મિત થયેલો ધન પણ વિચારે છે હા ! આ શું ? મારો મિત્ર યુગના અંતે પણ અસંબંધ વાક્ય બોલતો નથી. (૧૪) અને આ , જેવી દેખાય છે તેવી પણ સ્ત્રીઓ જો વ્યભિચારી થતી હોય તો ક્યાં વિશ્વાસ કરાય ? એ પ્રમાણે શલ્યથી * પીડિત થયેલો ધન જેટલામાં રહે છે તેટલામાં અન્ય દિવસે અવસરે નગરમાં ભમતા ધને પત્નીના ઉત્તરીય