SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ જાય છે. કવચ પહેરીને બંને આવ્યા પરંતુ મધુરાજા અલ્પ સૈન્યવાળો છે. દુશ્મન રાજા ઘણાં સૈન્યવાળો છે અથવા સમુદ્રના પાણીની તોલે દુશ્મન સૈન્ય સાતમુઠ્ઠી પ્રમાણ છે તો પણ ક્ષત્રિય ધર્મને અનુસરનારો મધુરાજા પીછેહઠ કરતો નથી. પછી ક્ષોભ પામેલો બીજે દિવસે પરબલવીરની સાથે મંત્રણા કરે છે. પરબલવીર કહે છે કે હે દેવ ! તમે ધીર થાઓ. આજે રાત્રીમાં સર્વ વ્યવસ્થિત કરી તમને સમર્પણ કરું છું. (૭) પછી તેણે રાત્રીના સમયે થોડા થોડા સૈન્યને બધા ઊંટો પર બેસાડીને મોટેથી વાગતા ઢકા આદિ વાજિંત્રોથી સહિત સૈન્યને મોકલીને ગજપુરને ચારે તરફથી ઘેરી લીધું. પછી ગજપુરસ્વામી જ્યાં હતા ત્યાં સમ્યફ જાણીને સ્વયં ત્યાં ગયો. પછી તેણે તે રાજાના પ્રાણગ્રહણ કરીને તેનો નિગ્રહ કર્યો. પછી તેણે નાયકથી રહિત થયેલ સર્વ સૈન્યને લુંટ્યું અને મધુરાજાએ હાથી-ઘોડા-થો તથા કોશ સર્વને ગ્રહણ કર્યું. રાજા પરબલવીર પર ખુશ થયો અને મંડલાદિક ઘણું દ્રવ્ય આપ્યું જેને મધુરાજા પાછું ગ્રહણ કરતો નથી. પછી મધુરાજાના ચિત્તમાં આ માન્યતા દૃઢ થઈ કે ચતુરંગ સૈન્યમાં પદાતિઓ જ મુખ્ય અંગ છે. આવાઓથી જ લડાઈ જિતાય છે, આવાઓની બુદ્ધિથી જ બાકીના ઘોડાદિનું સંચાલન થાય છે તેથી આ જ રાજાઓના હિતકારી છે. આ માન્યતાના વશથી પદાતિઓનો સંગ્રહ કરે છે, મધુરાજાએ ક્રોડની સંખ્યા થાય ત્યાં સુધી સૈનિકોની ભરતી કરી. (૧૫) પછી સૈન્યોના સમૂહને જોઈને રાજા હંમેશા ખુશ થાય છે અને અભિલાષી થઈ સૈનિકોના સૈન્યનું સતત દર્શન કરે છે. વધારે શું ? તેઓની કથા, દર્શન અને ચેષ્ટાથી ખુશ થાય છે અને સૈનિકોથી વીંટળાયેલો જ ભમે છે. પછી કોઈક વખત તે રાજાને ગાઢ વિસૂચિકા ઉત્પન્ન થઈ. પછી વિસૂચિકાથી આક્રાંત થયેલ રાજા મારું સૈન્ય, મારા શ્રેષ્ઠ સુભટો, મારું રાજ્ય, મારો વિભવ, મારા પરિવારમાં આટલો લોક એમ પ્રલાપ કરતો તથા શ્રેષ્ઠબાણ - સબલ (શસ્ત્ર વિશેષ), બરછી, ભયંકર તલવાર અને ભાલાઓ છે હાથમાં જેઓના એવા સર્વ મળેલા તે સૈનિકોની ચારે બાજુ જોતો મધુરાજા જીવિતથી મુકાયો. પછી તે મધુરાજા એકલો જ નરકમાં લાખો તીવ્ર દુ:ખોને સહન કરે છે અને તેના ક્રોડો સુભટો અહીં જ રહ્યા. (તથા આ કથાનકની સમાપ્તિમાં ત્રીજી એકત્વ ભાવના સમાપ્ત થઈ) અન્યત્વ ભાવના भवत्वेकाफी जीवः, परं य एते शरीरविभादयः पदार्थाः ते जीवेन सहातिसनिकृष्टत्वादति वल्लभत्वाझाभिन्ना भविष्यन्ति, अतस्तदर्थे पापान्यपि करोत्वयं, नैतदेवमित्युपदेष्टुमेकत्वभावनाऽनन्तरमन्यत्व भावनामाह પ્રશ્ન : જીવ એકલો ભલે રહે પણ જે આ શરીર-વિભવ વગેરે પદાર્થો જીવની સાથે અતિ નજીક હોવાથી અને અતિ વલ્લભ હોવાથી અભિન્ન જ હોય છે આથી આ પદાર્થોને માટે આ જીવ ભલેને પાપોને કરે. ઉત્તરઃ ના, આ એમ નથી. અર્થાત્ શરીર-વિભવ વગેરે જીવથી અભિન્ન નથી. તેને બતાવવાને માટે એકત્વ ભાવના પછી તરત જ અન્યત્વ ભાવનાને કહે છે. अन्नं इमं कुडुम्बं अन्ना लच्छी सरीरमवि अन्नं । मोत्तुं जिणिंदधम्मं न भवंतरगामिओ अन्नो ।।७०।। अन्यदिदं कुटुम्बं अन्या लक्ष्मी: शरीरमप्यन्यद् । मुक्त्वा जिनेन्द्रधर्मं न भवान्तरगामिकः अन्यः ।।७०।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy