SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 300 ભિક્ષાને માટે પોતાના ઘરે આવેલા ભાઈને વીરશ્રી બહેને જોયા. પછી કૃશ શરીરવાળા ભાઈને જોઈને બહેન ૨ડી. આ આનો કોઈપણ હૃદયવલ્લભ છે એવો ઉલટો પરિણામ કુંચરાજાને થયો. પછી મુનિ પાછા નીકળે છે ત્યારે રાજાએ તેની પીઠને શક્તિ નામના શસ્ત્રથી ભેદી ત્યારે મૂર્છા ખાઈને સાધુ પૃથ્વીપર પડ્યા. પછી પૂર્વે સિદ્ધ થયેલી મો૨ી વિદ્યા સાધુને ઉપાડીને મો૨ીય સ્કંદ પર્વતપર લઈ ગઈ અને તે સાધું ત્યાં સમાધિને પ્રાપ્ત થયેલા મરીને દેવલોકમાં ગયા પછી તે પ્રદેશનું નામ સ્વામીગૃહ થયું અને તે સ્કંદપર્વત પર કાળ પામ્યો તેથી તે પર્વતનું બીજું નામ સ્કંદક થયું. (૧૭) ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ અને આ બાજુ પોતાનો ભાઈ મરાયો છે એમ જાણીને વી૨શ્રી અધિક રડે છે અને કહે છે કે બાંધવ ! તારા બનેવીએ તારું આતિથ્ય સારું કર્યું. અથવા અહીં તેનો દોષ નથી. પૂર્વે કરાયેલા તેના અને મારા પાપકર્મોનો દોષ છે ઇત્યાદિ તેના પ્રલાપો સાંભળીને તથા આનો ભાઈ અનાર્ય એવા મારા વડે હણાયો છે એમ જાણીને દુ:ખી થયેલો રાજા પ્રલાપને કરે છે કે અવિચારિત કરનારો હું આવા પ્રકારના અતિમોટા પાપથી કેવી રીતે મુકાઈશ એમ તે એવા અતિ મોટા વિષાદને પામે છે જેથી વીરશ્રી પત્નીની સાથે સુગુરુની પાસે દીક્ષાને સ્વીકારે છે પછી વી૨શ્રી ત્રણ વરસ ચારિત્ર આરાધીને દેવલોકમાં ગઈ અને કુંચસાધુ પણ દેવલોકમાં ગયો. (૨૩) अथोपसंहरन्नाह હવે ઉપસંહાર કરતા કહે છે કે - इय एवमाइऊत्तमगुणरयणाहरणभूसियंगाणं । धीरपुरिसाण नमिमोतियलोयनमंसणिज्जाणं ॥। ४६४ ।। इत्येवमादिउत्तमगुणरत्नाभरणभूषितांगान् धीरपुरुषान् नमामः त्रिलोकनमस्यान् ।।४६४। ગાથાર્થ : આમ આગળ વર્ણવાયેલ ઉત્તમ ગુણરૂપ રત્નોના આભરણથી ભૂષિત કરાયું છે શરીર ઃ જેઓનું, ત્રણ લોકને નમનીય એવા ધીરપુરુષોને અમે નમસ્કાર કરીએ છીએ. सम्यग्ज्ञानादयो गुणा एव रत्नाभरणं तेन भूषिताङ्गानां, शेषं सुगममित्येकादशी भावना समाप्ता ।। उत्तमगुणभावनाऽनन्तरमुक्ता, उत्तमगुणानां च मध्ये जिनधर्मप्राप्तिरेवोत्तमोत्तमो गुणः, तद्भाव एव शेषगुणानां सद्भावात् सफलत्वाच्चेत्यत उत्तमगुणभावनाऽनन्तरं विशेषोत्तमगुणरूपजिनशासनबोधिप्राप्तिभावनात्मिकां द्वादशी भावनामाह - ટીકાર્થ : સમ્યગ્નાનાદિ ગુણો જ રત્નના આભરણો છે અને તેનાથી ભૂષિત શ૨ી૨વાળાને અમે નમસ્કાર કરીએ છીએ. બાકીનું સુગમ છે. આ પ્રમાણે અગીયારમી ભાવના સમાપ્ત થઈ. ઉત્તમ ગુણભાવના હમણાં કહેવાઈ. ઉત્તમગુણોમાં જિનધર્મની પ્રાપ્તિ એ જ ઉત્તમોત્તમ ગુણ છે. જિનધર્મ હોય તો જ બાકીના ગુણોનો સદ્ભાવ હોય છે અને સફળ થાય છે આથી ઉત્તમ ગુણભાવના પછી વિશેષ ઉત્તમ ગુણરૂપ જિનશાસનની બોધિની પ્રાપ્તિ સ્વરૂપ બારમી ભાવનાને કહે છે भवरन्नम्मि अणंते कुमग्गसयभोलिएण कहकह वि । जिणसासणसुगईपहो पुन्नेहिं मए समणुपत्तो ||४६५ ।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy