________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૫
કયાંક ઉત્તરથી મગધને અને દક્ષિણથી અંગદેશને સ્પર્શતી તથા ઘણાં-દેશ-ગ્રામ-નગરને સ્પર્શતી દક્ષિણથી વહીને પૂર્વાભિમુખ વળેલી હજારો નદીઓની સાથે વહેતી ગંગાનદી પૂર્વ સમુદ્રમાં લઈ જવાઈ. ફરી પણ નાગકુમારની પૂજા કરી. સમુદ્રમાં જ્યાં મળી તેથી તે ભાગને ગંગા સાગર એવું નામ આપ્યું. જહ્નકુમારે ગંગાને ઉતારી તેથી જાહ્નવી કહેવાઈ અને ભગીરથ વડે લઈ જવાઈ તેથી ભાગીરથી કહેવાઈ. ભેગા થઈને સ્વજનો વડે પૂજાયેલો ભગીરથ સ્વગૃહે ગયો. તેને રાજ્યપર સ્થાપીને સગરચક્રી દીક્ષા ગ્રહણ કરે છે. (૯૨) શ્રી અજિતજિનની પાસે દીક્ષાને પાળીને સગર સિદ્ધિગતિમાં ગયો. ભાગીરથ પણ રાજ્યને પાળે છે. હવે કોઈક વખત કોઈક અતિશયજ્ઞાનીને પૂછે છે કે હે નાથ ! હું એકલો અહીં કેમ બચ્યો ? અથવા સાઈઠ હજાર કુમારો એક કાળે કેમ મર્યા? તેણે કહ્યું કે હે નરાધિપ ! પૂર્વે એક મોટો સંઘ અષ્ટાપદ પર્વત પર દેવોને વાંદવા માટે ચાલ્યો અને તે સંઘ એક ગામની બહાર પડાવમાં રહે છે અને તે ગામમાં સંઘનો પ્રત્યેનીક એવો સર્વ પણ લોક લાકડી અને ઢેફાઓથી સંઘને હણે છે, અસભ્ય વચન બોલે છે, નિંદા કરે છે, ધૃણા કરે છે પણ તે ગામમાં એક કુંભાર તે સર્વ લોકને પોતાની શક્તિથી વારે છે અને ભદ્રકભાવવાળો આ કુંભાર વસ્ત્રપાત્ર-ઘાસચારોલાકડાં તથા ખાદ્યસામગ્રી વગેરે સર્વ પણ લાવીને ત્યાં સંઘને આપે છે. (૯૮) પછી તે સંઘ ત્યાંથી ગયા પછી તે ભવમાં તે ગામના લોકને સંઘની આશાતનાનું કંઈપણ એવું પાપ આ પ્રમાણે ઉદયમાં આવ્યું. તે ગામનો એક પુરુષ ચોરી કરીને ચોરીના માલ સહિત પણ ભાગીને તે ગામમાં પ્રવેશ્યો પણ રાજપુરુષોને માલ ન આપ્યો. પછી ગુસ્સે થયેલા રાજાએ આ ગામને સળગાવી દીધું અને સાઈઠ હજાર લોકો બળીમર્યા અને તે વખતે પેલો કુંભાર કુટુંબ સહિત બીજેગામ ગયો હોવાથી બચી ગયો. સમગ્ર ગામ લોક બળી મરીને એક
ભેંસના ગમાણમાં છાણમાં કોઈક રીતે સાઈઠ હજાર કીડાઓ રૂપે ઉત્પન્ન થયા. હાથીના પગોથી ચંપાયેલા ' ત્યાં પણ એકી સાથે મર્યા. (૧૦૩) આ પ્રમાણે સામુદાયિક કર્મના પાપો સાથે જ ઉત્પન્ન થાય છે. સંસારમાં
ભમતા તેઓ પ્રાય: સાથે મરે છે. કયાંક શસ્ત્રથી હણાયેલા આમ તેઓ ઘોર સંસારમાં ભમીને કોઈક કર્મના વશથી નારક-તિયચ-મનુષ્ય-દેવોના ભવોમાંથી આવીને અહીં સગરના પુત્રો ઉત્પન્ન થયા. (૧૦૧) કુંભાર પણ મરીને બીજા ભવમાં મહદ્ધિક વણિક થયો અને ત્રીજા ભવમાં રાજા થયો. આ પ્રમાણે ક્રમથી આ કુંભાર આનાથી તરતના આગલા ભવમાં વૈમાનિક દેવપણાને પામીને તું પણ અહીં સગરનો પૌત્ર ભગીરથ થયો. સંઘની આશાતનાના કર્મનું જે શેષ હતું તે અહીં ઉદયમાં આવ્યું તેથી સર્વ પણ તે કુમારો મર્યા અને તું સંઘની ભક્તિના ફળથી બચી રાજા થયો. આ પ્રમાણે ભગીરથ પોતાના ચરિત્રને સાંભળીને સંવિગ્ન થયેલો દીક્ષા લઈને મોક્ષમાં ગયો. -
આ પ્રમાણે સગર પુત્રોનું કથાનક સમાપ્ત થયું. હવે દષ્ટાંતપૂર્વક અશરણ ભાવનાનો ઉપસંહાર કરતા કહે છે કે
इय नाऊण असरणं अप्पाणं गयउराहिवसुओ व्व । जरमरणवेल्लिविच्छित्तिकारए जयसु जिणधम्मे ।।५४।। इति ज्ञात्वाऽशरणमात्मानं राजपुराधिपसुत इव । .
जरामरणवल्लीविच्छित्तिकारके यतस्व जिनधर्मे ।।५४।। ગાથાર્થ : એ પ્રમાણે ગજપુર-રાજપુત્રની જેમ પોતાને અશરણ જાણીને જરા મરણ રૂપી વેલડીને નાશ કરનાર એવા જિનધર્મમાં તું પ્રયત્ન કર.