SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૭૯ बारस चेव यं वासा मासा छ खेव अद्धमासो य । वीरवरस्स भगवओ एसो छउमत्थपरियायो ।।९।। इति श्रीमन्महावीरतपः । तदेवमपारः श्रुतसागरः, तत्प्रतिपादिततपसां चानन्ताः कर्तार इत्यतोऽनेकानि स्कन्दकप्रमुखपुरुषविशेषैराचीर्णानि तपांसि श्रूयंते, कियन्तीह लिख्यन्ते ? दिङ्मानं किंचिदेतद् गंधहस्तिपंचाशकादिशास्त्रदृष्टमुपदर्शितं, नतु स्वमनीषिकयेति, अन्येऽपि बहुश्रुताम्नायात् तपोविशेषाः समवसेया इति ।। अथ तपः समाचरणे गुणमुपदशर्यत्राह ટીકાર્થ : કનકાવલિ વગેરે તપ ચિર સંચિત પાપકર્મોની નિર્જરાના કારણો હોવાથી ઉપચારથી “રૂપિયો એ ભોજન' છે એ ન્યાયથી નિર્જરણ કહ્યા છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું છે. નિર્જરા એ કાર્ય છે અને તપ તેનું કારણ છે. જેમ રૂપિયો એ ભોજન નથી પણ ભોજનનું કારણ છે છતાં તેને ભોજન કહેવાય છે તેમ અહીં કારણ એવા તપમાં કાર્ય એવા નિર્જરાનો ઉપચાર કરી તપને જ નિર્જરા કહી. પ્રશ્ન : કનકાવલિ તપ કોને કહેવાય ? ઉત્તર: અહીં કનકાવલિ તપને કહેવાય છે તે આ પ્રમાણે - પ્રથમ ચોથભક્ત કરીને પારણું કરે છે, પછી છઠ્ઠ, પછી અટ્ટમ એમ એક કાહલિકા થાય છે ત્યાર પછી આઠ છઠ્ઠ કરવામાં આવે છે અને આનાથી કાહલિકાની નીચે દાડમની રચના કરાય છે. ત્યાર પછી એક ઉપવાસ પારણું, બે ઉપવાસ પારણું, ત્રણ ઉપવાસ પારણું એ પ્રમાણે યાવતુ ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ૧૬ ઉપવાસ પારણા સહિત ક્રમપૂર્વક કરીને પારણું કરે છે અને આ દાડિમની નીચે કનકાવલિ સંબંધી લતા થાય છે ત્યાર પછી ૩૪ છઠ્ઠ કરે છે. આ ચોત્રીશ છઠ્ઠોથી કનકાવલિની નીચે પદકની સ્થાપના થાય છે અથવા બીજી રીતે પદકની સ્થાપના થાય છે.' ત્યાર પછી ૧૩ ઉપવાસ કરીને પારણું, પછી ૧૫ ઉપવાસ પારણું, ૧૪ ઉપવાસ પારણું, ૧૩ ઉપવાસ પારણું યાવત્ ૧ ઉપવાસ પારણું આ કનકાવલિ સંબંધી બીજી લતા થાય છે અને આને પદકની ઉપર પ્રથમ લતાની પ્રતિલોમ લતા રૂપે ઉપરના ભાગમાં સ્થપાય છે પછી આઠ છઠ્ઠ કરાય છે. આનાથી લતાની ઉપર જમણી બાજુનું બીજું દાડમ રચાય છે. પછી અટ્ટમ, છઠ્ઠ અને ઉપવાસ કરે છે તેનાથી બીજી કાલિકા રચાય છે અને એ પ્રમાણે ઉપર બે કાલિકા પછી બંને બાજુ બે દાડમ, બંને બાજુ બે લતા તેની નીચે બંધાયેલી પદકવાળી કનકાવલિ સિદ્ધ થાય છે. (બને છે.) અને આ કનકાવલિ તપમાં ચાર ચોથભક્ત, ૫૪ છઠ્ઠ, ૪ અટ્ટમ, બે વખત ચાર ઉપવાસ, બે વખત પાંચ ઉપવાસ, બે વખત છ ઉપવાસ, બે વખત સાત ઉપવાસ, બે વખત આઠ ઉપવાસ, બે વખત નવ ઉપવાસ, બે વખત દસ ઉપવાસ, બે વખત અગીયાર ઉપવાસ, બે વખત બાર ઉપવાસ, બે વખત તેર ઉપવાસ, બે વખત ચૌદ ઉપવાસ, બે વખત પંદર ઉપવાસ, બે વખત સોળ ઉપવાસ, અને એ પ્રમાણે સર્વે મળીને ૩૮૪ તપના દિવસો અને ૮૮ પારણા થાય છે. બંને મળીને એક વરસ ત્રણ માસ અને બાવીસ દિવસે પૂર્ણ થાય છે. [જુઓ પાનું ૨૮૧]. અને આ કનકાવલિ તપમાં સર્વ ઇચ્છિત આહારથી પારણું કરી શકાય છે. અથવા નિવિથી કે અલેપ દ્રવ્યોથી કે આયંબિલથી પારણું કરી શકાય છે. ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ એક પ્રકારથી કરી શકાય
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy