________________
૨૮૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
છે. અને ચારેય પ્રકારથી આ તપ પાંચ વર્ષ બેમાસ અને અઠ્ઠાવીસ દિવસોથી સમાપ્ત થાય છે.
રત્નાવલિ તપ પણ આ પ્રમાણે જ જાણવું. ફક્ત બે દાડિમમાં અને પદકમાં છઠ્ઠને બદલે અટ્ટમ જાણવા. બાકીનું સર્વ કનકાવલિની જેમ છે.
હવે મુક્તાવલિ તપ કહેવાય છેઅહીં શરૂઆતમાં ચોથ ભક્ત, પછી બે ઉપવાસ, પછી ફરી ચોથ ભક્ત, ફરી ત્રણ ઉપવાસ, પછી ચોથ ભક્ત, પછી ચાર ઉપવાસ પછી ચોથભક્ત, એવી રીતે ચોથ ભક્તના આંતરામાં ક્રમથી એકેક ઉપવાસની વૃદ્ધિથી સોળ ઉપવાસ સુધી કરવું. આ રીતે અડધી મુક્તાવલિ પૂર્ણ થઈ. બાકીની બીજી અડધી આ પ્રમાણે જ જાણવી પણ પ્રતિલોમ ક્રમથી ઉપવાસ કરવા અર્થાત્ પ્રથમ સોળ ઉપવાસ પછી ચોથ ભક્ત, પછી પંદર ઉપવાસ પછી ચોથ ભક્ત એમ ચોથ ભક્તના આંતરામાં એકેક ઉપવાસની હાનિથી છેલ્લે બે ઉપવાસ કરીને ચોથ વ્યક્ત કરે છે. અહીં સ્થાપના આ પ્રમાણે છે. (જુઓ પાનું ૨૮૨]