SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૭૩ શરીરમાંથી મળતા લોહીના ગંધથી આકર્ષાયેલી વજ જેવા મુખવાળી કીડીઓના સમૂહથી ખવાઈને ચલણી સમાન દેહવાળો કરાયો. (૧૭) સંવેગને ધારણ કરતો, ભાવનાને ભાવતો, વિશુદ્ધ મનવાળો સકલ અર્થને વિશે પિપાસા વિનાનો, પોતાના શરીર પર પણ મમત્વ વિનાનો, સાતમે દિવસે સમગ્ર કર્મોની સાથે પ્રાણોથી મુકાયો. કેવળજ્ઞાનને મેળવી અંતકૃત્ સિદ્ધ થયા. આ વ્યતિકરને સાંભળીને શીલરક્ષા નિમિત્તે અન્યત્ર નાશી જઈને ચંદ્રલેખા પણ દીક્ષાને સ્વીકારે છે. (વિજય નરેન્દ્ર કથાનક સમાપ્ત થયું) હવે ચિલાતિપુત્રનું કથાનક કહેવાય છે ચિલાતિપુત્રનું કથાનક કોઈ બ્રાહ્મણે પ્રતિજ્ઞા કરી કે મને જે કોઈ વાદમાં જીતશે તેનો હું શિષ્ય થઈશ એમ વિદ્યાના ગર્વથી નાચતો અને પરિભ્રમણ કરતો અને જિનશાસનની નિંદા કરતો એવો આ કોઈપણ સાધુવડે વાદમાં જીતીને દીક્ષા અપાયો અને દ્રવ્યથી પણ વ્રતની આરાધના કરતો તે દેવતાવડે કોઈક રીતે પ્રેરણા કરાયો જેથી તેને ભાવથી પણ ચારિત્ર પરિણત થયું (૩) તો પણ જાતિ મદને છોડતો નથી, દુગંછા કરે છે અને તેની સ્ત્રી તેના પર રાગને છોડતી નથી તથા પોતાને વશ કરવા તેના ઉપર કામણને કરાવે છે. હવે તે આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગયો અને તેની સ્ત્રી પણ તેવા જ વૈરાગ્યથી દીક્ષા લઈને આલોચના કર્યા વિના મરીને દેવલોકમાં ગઈ. પછી પતિનો જીવ ત્યાંથી આવ્યો. જાતિમદ અને બીજાની દુર્ગચ્છા કર્મના ઉદયથી રાજંગૃહ નગરમાં ધન સાર્થવાહને ઘરે ચિલાતિદાસીનો પુત્ર થયો અને તેની ભાર્યાનો જીવ પણ ત્યાં ધન સાર્થવાહના ધનદેવ વગેરે પાંચ પુત્રો ઉપર પુત્રી થઈ અને ચિલાતિનો પુત્ર જ તેનો બાલાધાર (બાળપણમાં સાર સંભાળ રાખનાર) થયો અને તે તેને રમાડતો ઘણાં પ્રકારની ક્રિયાઓ બતાવે છે અને બીજી પણ અવાચ્ય ક્રિયાઓ કરે છે અને ધન વગેરેએ તેને ઘરમાંથી કાઢી મુક્યો અને ભમતો તે સિંહગુફા નામની અટવીની અંદર ગયો અને ત્યાં ચોરોની પલ્લિમાં રહ્યો. પરાક્રમી, ક્રૂર, અગ્રપ્રહારી પછી ક્રમથી તે જ ચોરોનો સેનાપતિ થયો. પછી કોઈક વખત આ ચોરોને કહે છે કે રાજગૃહીમાં આપણે ધનને ઘરે જઈએ. તેની સુસીમા નામની પુત્રી એકને જ હું ગ્રહણ કરીશ બાકીનું સર્વ ધન તમારું એમ કહીને ભિલ્લોની સાથે તે રાત્રીએ ત્યાં ગયો અને બધાને અવસ્થાપિની નિદ્રા આપીને ધનના ઘરમાં પ્રવેશ્યો. (૧૪) તે હું ચિલાતિ પુત્ર છું એમ બોલીને ઘર લૂંટીને સુસીમાને પણ લઈને પછી પલાયન થયેલાની પાછળ પુત્રોની સાથે પાછી લેવા ધન દોડ્યો. પછી ચોરો ધન મૂકીને નાશી ગયા અને ચિલાતિપુત્ર એકલો સુસીમાને લઈને ભાગ્યો. સુમીમાને વહન કરવા સમર્થ ન થયો ત્યારે ધન વગેરે પુરુષો નજીક આવી ગયા છે એમ જાણીને સુસીમાનું માથું કાપી હાથમાં લઈને ભાગે છે. પછી ધનાદિ પાછા ફર્યા. માર્ગમાં ધ્યાનમાં રહેલા એક સાધુને જોઈને હાથમાં ગ્રહણ કરાઈ છે તીણ તલવાર એવો ચિલતિપુત્ર સંક્ષેપથી ધર્મ પૂછે છે અને કહે છે કે જો તું ધર્મ નહીં બતાવે તો આ પ્રમાણે તારા મસ્તકને છેદીશ. પછી આને યોગ્ય જાણીને સાધુએ કહ્યું કે હે ભદ્ર ! ઉપશમ-વિવેક-સંવર એ સંક્ષિપ્તથી ધર્મ છે. (૨૦) પછી એકાંતમાં રહીને તે શબ્દોના અર્થને વિચારે છે અને પૂર્વ ભવના અભ્યાસથી તેને આ પ્રમાણે અર્થ પરિણમે છે ઉપશમથી જ ધર્મ છે તેથી ક્રોધાદિ કષાયો મારાવડે ત્યાગ કરાયા. વિવેકથી જ ધર્મ છે તેથી મસ્તક અને ખગ્નનો ત્યાગ કરે છે. ઇન્દ્રિય-મન-વચન-કાયાદિના સંવરમાં જ ધર્મની સંપ્રાપ્તિ થાય છે એ પ્રમાણે તેનો સંવર કરીને તે ધીર કાઉસ્સગ્નમાં રહે છે. લોહીના ગંધથી
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy