SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભલ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૩ તુચ્છાત્માઓ કંઈક બળ મેળવીને ઊછળે છે. પિતા પણ જલ્દીથી દુ:શીલપુત્રોથી નિંદનીયતાને પામે છે. સૂર્યના કિરણો લોકને તપાવે છે ત્યારે સૂર્ય અદૃષ્ટવ્યતાને પામે છે. અર્થાત્ સૂર્ય સામે કોઈ જોતું નથી. મહાપુરુષો ભ્રમરની જેમ બીજાના ઉપરોધ વિના કાર્ય કરે છે, જ્યારે અધમો કાર્યના અભાવમાં પણ ઊંદરની જેમ પરપીડાને કરે છે. (૩૩) પણ તમે ભુવનમાં વિખ્યાત ગુણવાળા સગરના પુત્રો છો તેથી તમારા એક ગુનાને માફ કર્યો છે પણ બીજી વખતે હું માફ નહીં કરું. તેથી જમ્બુએ પણ કહ્યું કે હે નાગાધિપ ! અમારો આ આરંભ તમારા ભવનોને ભાંગવાનો નથી. પણ અષ્ટાપદના જિનભવનની રક્ષા માટે આ ખાઈ કરી છે તેમાં અજ્ઞાનદોષથી તમારો જે અપરાધ થયો છે તે અહીં ખમવા (ક્ષમવા) યોગ્ય છે. પછી શાંત થઈને જ્વલનપ્રભ ગયા પછી ત્યાં તેઓએ વિચાર્યું કે જળરહિત આ ખાઈ કાળથી ફરી પણ પુરાઈ જશે. આ પ્રમાણે વિચારીને ઝુકુમારે દંડથી પૃથ્વીતટને ચીરીને (ફાડીને) ગંગાનું પાણી લાવે છે અને ખાઈમાં વાળે છે. પછી જળના પૂરથી નાગકુમારોના તે ભવનો ફરીથી ઉપદ્રવિત થયા તેથી ગુસ્સે થયેલો જ્વલનપ્રભ નાગકુમારોની સાથે જ્યાં સગરપુત્રો હતા ત્યાં આવ્યો પછી ગુસ્સાથી તેણે બધા ઉપર એ રીતે દૃષ્ટિ નાખી જેથી તે બધા પણ જીવિતથી મુકાઈને રાખનો ઢગલો થયા. અર્થાત્ જ્વલનપ્રભની દૃષ્ટિની અગ્નિજ્વાળાઓથી બધા બળીને ભસ્મીભૂત થયા. તેથી સકળ સૈન્યમાં કરુણ હાહારવ ઉછળે છે. (૪૧). પછી ત્યાં કુમારોની સર્વ અંતેકરીઓ એવો પોકાર કરે છે કે જેથી પશુઓના સમૂહની સાથે સામંત અને મંત્રીલોક રડે છે. પછી ઘણાં શોકથી યુક્ત સૈન્ય કોઈપણ રીતે સ્વસ્થ થઈને નિરાનંદ સર્વ પણ લોક અયોધ્યાની પાસે પહોંચે છે. ભયભીત થયેલા સર્વે પણ મંત્રી સામંતો આવાસ કરીને રહ્યા. પછી ત્યાં મંત્રણા કરે છે કે અરે ! રાજાને આ ખબર કેવી રીતે આપવી ? કારણ કે પોતાનો સ્વામી તો બાજુ પર રહો પણ - બીજો અહીં જે કોઈ હોય તે પણ આવા સમાચારથી મરણ પમાડાય છે. પણ આવું જોનારા ધીર પુરુષો આવા સમાચાર કહેવાને શક્તિમાન થતા નથી. તેથી નિર્ભાગ્ય એવા અમે ચક્રીને કેવી રીતે કહેશું ? અમે અક્ષત દેહવાળા છીએ પણ કુમારો સર્વે પણ મરણ પામ્યા છે. (૪૬) પૂર્વે ઉપાર્જન કરેલ અને બળેલા ભાગ્યયોગથી એવું કંઈપણ બને છે જ્યાં મરણ પણ સારું છે. પણ જીવવું અસુંદર છે. તેથી અમારે પણ સ્વયં જ વિશાળ જવાળાથી ભયંકર અગ્નિમાં પતંગલીલા કરવી ઉચિત છે અર્થાત્ પતંગીયાની જેમ અગ્નિ જવાળામાં પડી મરવું ઉચિત છે. પણ પુત્રોના મરણના સમાચાર કહેવા ઉચિત નથી. અથવા અવસર ચૂકેલા એવા અમારે બાળ આચરણથી શું? તેઓનો નાશ અને અમારી નિંદા થવાની હશે. (૪૯) આ પ્રમાણે વિચાર કરતા તેઓની પાસે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે તેઓને કહ્યું કે અહો ! તમે આમ વ્યાકુળ કેમ થયા છો ? તમે ધીરજ ધરો, હું જ ચક્રવર્તીને આ ખબર કહીશ એમ કહીને આ બ્રાહ્મણ અનાથ મૃતકને લઈને રાજદ્વારે ગયો. મોટા અવાજથી પ્રલાપ કરતો, રાજાવડે પૂછાયેલો આ બ્રાહ્મણ કહે છે કે મારે એક પુત્ર છે તે પણ સાપ વડે ડંસાયેલો છે અને તેથી નિચેતન થયો છે તેથી એને જીવાડો પછી રાજા ત્યાં ગારુડીને મોકલાવે છે. (૫૩) મંત્રોપચાર કરીને ગારુડીઓએ પણ જાણ્યું કે આ મરી ગયો છે. પરંતુ બ્રાહ્મણ પુત્રનો અતિ અભિલાષ હોવાથી બ્રાહ્મણને બોધ કરવાને માટે ગારુડીઓએ તેને કહ્યું કે જે ઘરમાં પૂર્વે કોઈ ન મર્યો હોય તે ઘરની રાખ લઈને આવ તો અમે આ ફંસાયેલા પુત્રને જીવાડીએ. રાજાએ સમગ્ર નગરી તથા ગામોમાં તપાસ કરાવી તો મરેલાની સંખ્યા ન હોય તેવું કોઈ ઘર ન મળ્યું. પછી રાજાએ કહ્યું કે મારા પણ વંશમાં સાત કુલકરો થયા. પછી ઋષભ જિનેશ્વર, ભરત, બાહુબલિ આદિ રાજાઓ આદિત્યયશ, સોમયશ યાવતું અસંખ્ય ક્રોડ રાજાઓનું મરણ થયું. તેમાંના કેટલાક મોક્ષમાં ગયા અને બીજા દેવલોકમાં
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy