SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ લે છે અને ભર રાત્રીમાં ઊઠીને હું ખરેખર આને મારીશ એમ વિચારતો. ધનાકાંક્ષી એવો સુંદર કપટ નિદ્રાથી સૂતેલો રહે છે તેટલામાં મોટા પાપની પરિણતિથી પ્રેરાયેલા કાળા સાપે તેને ડંસ માર્યો અને આ મરીને નરકમાં ઉત્પન્ન થયો. ભાવિત કરાયું છે ભવનું સ્વરૂપ જેનાવડે એવા સુનંદે તેનું સર્વ મૃત્યુ કાર્ય કરીને અને વ્યાપાર માટે જે કંઈ દ્રવ્ય અર્પણ કર્યું હતું તેની વ્યવસ્થા કરે છે. (પક) : હવે ક્યારેક કોઈક મુનિની પાસે પોતાના નજીક રહેલા મૃત્યુને જાણીને, મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને અને ધર્મકાર્યમાં ઘણાં દ્રવ્યનો વ્યય કરીને અને સકળ સંઘને ખમાવીને અર્ધા માસનું અનશન કરીને સમાધિથી મરીને સુનંદ સૌધર્મ દેવલોકમાં અરુણાભ વિમાનમાં શ્રેષ્ઠ દેવ થયો. એ પ્રમાણે જેણે પરિગ્રહનું પરિમાણ કરેલું છે તથા જે મૂર્છાથી રહિત છે તેની પાસે ઘણું દ્રવ્ય હોવા છતાં અને આરંભની પ્રવૃત્તિ હોવા છતાં પણ તેનો પરિગ્રહ ન હોવા બરાબર છે અર્થાત્ તે જીવ પરિગ્રહના તીવ્ર પાપને બાંધતો નથી જ્યારે બીજાને પરિગ્રહનું પચ્ચકખાણ નહીં હોવાથી પાસે ધન નહીં હોવા છતાં ધનની તીવ્ર લાલસા હોવાથી તેની સર્વ પણ પ્રવૃત્તિ આરંભમય બનતી હોવાથી મૂર્છા જ પરિગ્રહ કહેવાયો છે અને તે મૂચ્છ સુંદરને ઘણી હતી કારણ કે આ ભાવથી આરંભ પરિગ્રહમાંથી વિરામ પામેલો ન હતો તેથી ધનવાન હોય કે નિર્ધન હોય પણ પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ, નહીંતર મૂર્છાથી અવિરતિના કારણભૂત કર્મનો આશ્રવ થાય છે. (૩) (પરિગ્રહની અવિરતિના વિપાકમાં સુંદરનું કથાનક સમાપ્ત થયું.) એ પ્રમાણે બીજા પણ દુષ્ટ મન-વચન-કાયાદિના આશ્રવોના દષ્ટાંતો અને આખ્યાનકો સ્વયં જ જાણવા એ પ્રમાણે આઠમી કર્માશ્રવ ભાવના સમાપ્ત થઈ. तस्मादेतानि प्राणातिपाताद्याश्रवद्वाराणि तद्विरमणकपाटस्थगनेन संवरणीयान्येव, अन्यथोक्तप्रकारेणाशुभकर्माश्रवणाद्, अत आश्रवभावनाऽनन्तरं संवरभावनोच्यते, तत्र प्राणातिपाताश्रवद्वारस्य संवरणोपायमाह - તેથી આ પ્રાણાતિપાત વગેરે પાપો આશ્રવોના દરવાજા છે અને તેને વિરમણ રૂપી કપાટથી બંધ કરી અટકાવવા જ જોઈએ નહીંતર હમણાં કહેવાયેલ પ્રકારથી અશુભ કર્મનો આશ્રવ થાય છે આથી આશ્રવ ભાવના પછી સંવર ભાવના કહેવાય છે અને તેમાં (સંવરમાં) પ્રાણાતિપાત આશ્રવારના સંવરણનો ઉપાય કહેવાય છે. (ગળ સંવરમાવના) जो सम्मं भूयाइं पेच्छइ भूएसु अप्पभूओ य । कम्ममलेण न लिप्पइ सो संवरियासवदुवारो ।।४४३।। यः सम्यग् भूतानि पश्यति भूतेष्वात्मभूतश्च कर्ममलेन न लिप्यते स संवृत्ताश्रवद्वारः ।।४४३।। ગાથાર્થ જે જીવોને સમ્યગુ જુવે છે (અર્થાત્ ઉપયોગપૂર્વક જુએ છે) અને જીવોમાં પોતાને જુએ છે અર્થાત્ સર્વ જીવોને પોતાની સમાન માને છે સંવૃત્ત કરાયો છે આશ્રવ દ્વાર જેના વડે એવો તે કર્મમળથી લપાતો નથી. (૪૪૩)
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy