SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૧૭ હવે મોટોભાઈ જે જે અલ્પ વ્યવસાય કરે છે તેનાથી પણ ઘણું દ્રવ્ય ઉપાર્જન કરે છે અને નાનો ભાઈ વહાણમાં બેસીને પરદેશ ગયો અને સમુદ્રમાં જતાં તેનું વહાણ ભાંગ્યું અને એક પાટીયાથી સમુદ્ર ઊતરીને કોઈક દ્વીપાંતરમાં ગયો. તે ત્યાં દ્વીપમાં વાણિજ્યાદિ ક્રમથી કંઈક દ્રવ્યને ઉપાર્જન કરે છે. તસ્કર-જલાદિના ઉપસર્ગોના સમૂહોથી તેને પણ ગુમાવ્યું. એ પ્રમાણે તેણે અનેક વાર દ્રવ્ય ઉપાર્જન કર્યું અને ગુમાવ્યું. પણ પુણ્યથી મોટાભાઈનું ધન દિન પ્રતિદિન વધે છે. પછી લાંબા કાળે નિધન થયેલો સુંદર પોતાના નગરમાં પાછો આવે છે. ત્યારે મોટો ભાઈ અતિસમૃદ્ધિવાળો થયો. પછી સુનંદે વસ્ત્ર-ભોજનાદિથી સુંદરનું સન્માન કરીને કહ્યું કે હે ભાઈ ! હમણાં તું અહીં રહે અને આ મારું સર્વ ધન તને સ્વાધીન છે. તું ફક્ત ધર્મની જ આરાધના કર અને હું જ કુટુંબ સહિત તને ભોજન વસ્ત્રાદિ સર્વ પણ પોતાની જેમ જ આપીશ એમ સુનંદે કહ્યું. સુંદર વિચારે છે કે જુઓ આ મને શું કહે છે ? શું હું એવો કાયર પુરુષ છું જેથી ધંધા વગરનો ધર્મને કરતો રાંડની જેમ તેની આપેલી આજીવિકાથી જીવું? પરંતુ વિભવથી ઉત્પન્ન થયેલ ગર્વથી સમુન્મત્ત થયેલા જીવો વાચ્યઅવાચ્યના ભેદને તથા સ્થાન-અસ્થાનને જાણતા નથી. વિભવના મદથી નચાવાયેલા એવા આ મારા ભાઈના અનાખ (અનુચિત કથન કે વર્તન)ને જોઈને અથવા સાંભળીને હું સહન નહીં કરું. વિપરીત પરિણામને પામેલો સુંદર એ પ્રમાણે વિચારીને અદુષ્ટ ભાવવાળા પણ મોટાભાઈ ઉપર ગાઢ દ્વેષી થયેલો કોઈક સજ્જન પાસે કંઈક પણ ધન લઈને દરિયાપારના વ્યાપારથી ફરી પણ દીપાંતરમાં ગયો. (૩૫) સરળ મનવાળો, પોતાના અભિગ્રહને પાળનારો, ધર્મમાં તત્પર સુનંદ પણ નિત્ય ન્યાયથી ક્રોડો રત્નોને ઉપાર્જન કરે છે. જેમ જેમ તેનો વિભવ વધે છે તેમ તેમ ઘર અને યૌવનના સ્વરૂપને જાણનારો સુનંદ સાતેય ક્ષેત્રોમાં ધનને વાપરે છે. એ પ્રમાણે જેમ જેમ ધનને વાપરે છે તેમ તેમ વધતો છે રત્નનો સમૂહ જેનો તથા વિબુધોથી પ્રશંસા કરાઈ છે જેની એવા સુનંદે શ્રેષ્ઠી પદને પ્રાપ્ત કર્યું. જેવી રીતે સુવર્ણ-રત્નોથી નિર્મિત ઘણાં આભરણી પોતાની પાસે હોવા છતાં પણ ઘોડો જેમ મૂચ્છથી રહિત હોય છે તેમ આ વિભવને વિશે મૂચ્છ રહિત છે ધન ધાન્યના પરિમાણને કરેલો સુનંદ ક્યારેય પણ મૂર્છાને કરતો નથી, વારંવાર ઉપયોગવાળો રહે છે અને જિર્ણોદ્ધારાદિ સ્થાનોમાં ધનને વાપરે છે. પોતે કરેલા જુના અને નવા ચૈત્યોને વાંદે છે પ્રવચન પ્રભાવક પૂજાઓ અને યાત્રાઓ કરાવે છે. આહાર-વસ્ત્ર-પાત્રાદિથી હંમેશા મુનિગણને પૂજે છે. દીનોને દાન આપે છે અને સાધર્મિકોનું વાત્સલ્ય કરે છે. (૪૨) અને પુણ્યરૂપી પવનથી ભેગા કરાયેલ ધનને ઉકરડાની જેમ માને છે અને પૌષધાદિ ભાવાનુષ્ઠાનને કરે છે એ પ્રમાણે મૂર્છાથી રહિત, અનુત્સુક, ગર્વથી મુક્ત, સમુપાર્જિત કરાયું છે ઘણું પુણ્ય જેના વડે એવો સુનંદ ઘણાં ફેલાયેલા યશવાળો થયો ત્યારે પૂર્વોક્ત ન્યાયથી જ સમગ્ર દેશોમાં ભમીને, સકલ પણ વ્યવસાયો નિષ્ફળ થયે છતે, ફરી પણ વિલખા હૈયાવાળો, દીન, સર્વને શોકનીય એવો સુંદર ભદ્દિલપુરમાં પોતાને ઘરે પાછો ફર્યો. (૪૯) પછી મોટાભાઈને વિસ્તૃત સમૃદ્ધિવાળો જોઈને પ્રàષને પામેલો, સુનંદવડે ઘણો સન્માનિત કરાવા છતાં પણ સુંદર આ પ્રમાણે વિચારે છે કે આના ઘરે રહી પછી મોટો વિશ્વાસ ઉત્પન્ન કરીને વ્યાપારના બાનાથી ઘણું ધન પોતાને સ્વાધીન કરીને પછી ગુપ્ત પ્રયોગ કરીને આને મારું. આવું કર્યા પછી ઘણું ધન મારું જ થશે, તેનાથી બીજું ધન કમાવીને ક્રમથી હું જ શ્રેષ્ઠીપદને પ્રાપ્ત કરું અથવા અજ્ઞાત ધનસંખ્યાવાળો થાઉ ઇત્યાદિ વિચારીને સુનંદની પાસે ભોજન કરે છે અને રહે છે. પછી તેની પાસેથી ઘણું દ્રવ્ય મેળવીને નગરની અંદર વ્યાપાર કરે છે. ઘણું દ્રવ્ય હાથમાં આવ્યા પછી ક્લિષ્ટ પરિણામવાળો વિચારે છે કે હું સુનંદને ગુપ્ત રીતે જ મારું જેથી આ સર્વ પણ દ્રવ્ય મારું જ થાય. પછી સુનંદ પણ ચૌદશના દિવસે ઘરના ઓરડામાં એકલો પૌષધને
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy