SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨ સ્વામી એવો વજસાર નામનો વણિક વસે છે જે હંમેશા પણ દાનથી* મત્ત ગજેન્દ્રની જેમ પ્રઝરે છે. ઉત્કર્ષને પામેલો તે યાચકોથી પ્રશંસા કરાય છે તેથી વિટયાચક-ભાંડ-માયાવી આદિ અનુચિત લોકોને પણ ધન આપે છે. તેથી અસ્થાને ધનનો વ્યય કરવાથી તથા પુણ્યના ક્ષયથી કાળે કરીને તેનું સર્વ પણ ધન ક્ષીણ થાય છે, જ્યારે યાચક વર્ગ નિષ્ફળ પાછો ફરે છે ત્યારે અપૂર્ણ મનોરથવાળો એવો આ વિચારે છે કે મારું માન નષ્ટ થયું છે તેથી હમણાં મરવું જ ઉચિત છે.અહીં રહીને કોઈપણ રીતે અસમાન જનથી (હલકા લોકોથી) થતું અપમાન અને યાચકોની નિષ્ફળ પ્રાર્થનાથી થતા વ્યાકુળપણાને સહન કરવું ઉચિત નથી. (૯) રત્નપુરમાં ધનથી યુક્ત મારો મામો વસે છે તેથી તેની પાસે જાઉં એમ વિચારીને તેણે પ્રયાણ કર્યું. માર્ગમાં ગિરિપુર નગરમાં કોઈ મુસાફર રત્નપુરથી આવેલો મળ્યો અને તેને મામાના ખબર પુછ્યા. તેણે કહ્યું કે રાજાએ તેના અમુક અપરાધને ઉદ્દેશીને તેનું સર્વ ધન હરીને નિર્ધન કર્યો છે તેથી હમણાં તે વજસાર નામના પોતાના ભાણેજ પાસે ગયો છે. આ હકીકત સાંભળીને વજથી હણાયેલાની જેમ વજસાર વિચારે છે કે હા દેવ ! તને છોડીને અકાળે પ્રહાર કરવાનું કોણ જાણે છે ? મારા વિભવને પણ હરી લીધો. મામાના વિભવના નાશથી મને જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ મારા પોતાના વિભવના નાશથી થતું નથી અથવા આવું વિચારવાથી શું? અમારી વિચારણાથી કાંઈ બળેલા ભાગ્યવાળા મામાનો દુષ્ટ પરિણામ નાશ થતો નથી. (૧૪) નહીં બનનારું પણ બને છે, સુઘટિત મનનું ઇચ્છિત પણ નિષ્ફળ થાય છે, દુષ્ટ વિધિના અનંત ચરિત્રોને કોણ નાશ કરે છે અથવા જાણે છે ? (૧૫) ઇત્યાદિ વિચારીને તે જ ગિરિપુર નગરની અંદર મામાને શોધવા માટે ચાલ્યો. અને માર્ગમાં જતા તેણે દિશારૂપી ચક્રને પ્રભાથી ઉદ્યોત કરતી નગરની બહાર પડેલી રત્નાવલીને જોઈ. પછી તેણે વિચાર્યું કે આ અદત્તાદાન છે, શાસ્ત્રમાં વિશિષ્ટ પુરુષોને પડેલી વસ્તુને પણ દૂરથી જ ત્યાગવાનું કહ્યું છે. પરંતુ મારા મામા તેવા પ્રકારની દુ:સ્થિતિમાં પડેલા છે એવું મેં સાંભળ્યું છે તેથી આ અકાર્યને કરીને તેની દુઃસ્થિતિનું નિવારણ કરું. એમ વિચારીને તેણે નાવલીને ઉપાડી લીધી અને વસ્ત્રની અંદર સારી રીતે છૂપાવીને રાખી. પછી નગરના દરવાજે ગયો અને દરવાજા પર રાજ-આયુક્ત પુરુષો પ્રવેશતા અને નીકળતા પુરુષોની જડતી* લે છે. પછી તેઓ વજસારને પણ તપાસવા લાગ્યા. તેની તપાસ કરે છે ત્યારે ક્ષોભ પામેલા વજસારના કેડમાંથી રત્નાવલી પડી અને તેની સાથે રાજા પાસે લઈ જવાયો ગુસ્સે થયેલ રાજાએ તેને વધની આજ્ઞા કરી. (૨૨) અને આ બાજુ તે ઘરમાંથી કહ્યા વગર ચાલી ગયો એટલે તેની પાછળ અપશેરીથી** ત્યાં માતા અને સ્ત્રી આવી. અને તેઓએ વજસારને વધ્ય સ્થાને લઈ જતા રાજપુરુષોને જોયા. લોક પાસેથી વ્યતિકરને જાણ્યા પછી આ બંને દુ:ખ સહિત, સકરુણ, વિવિધ પ્રલાપોથી પ્રલાપ કરવાને શરૂઆત કરી. વિભવનો ભ્રંશ તથા ઇષ્ટનો વિયોગ કરીને હે દેવ ! તું ખુશ ન થયો જેથી હજુ પણ આને આવી આપત્તિમાં નાખ્યો. દાન કરતા એવા આણે પોતાના દ્રવ્યને ધૂળ સમાન પણ નથી માન્યું તેથી પણ હા દેવ ! તેં આવી અવસ્થા કેમ કરી ? એ પ્રમાણે રડતી એવી તેઓએ આખા નગરને રોવડાવ્યું. એટલીવારમાં કોઈક પુણ્યોથી અતિવલ્લભ રાજપુત્રી નગરના યક્ષની યાત્રાએ નીકળી. રાજપુત્રીએ તેઓને પ્રલાપ કરતા જોઈને પછી કરુણાથી તેઓના વ્યતિકરને પુછ્યો. તેઓ સવિસ્તર વ્યતિકરને જણાવ્યો. નગરના લોક સહિત સર્વવડે પ્રાર્થના કરાયેલી રાજપુત્રીએ હું આને છોડાવીશ એમ સ્વીકાર કર્યો. રાજપુત્રીએ એક ક્ષણ આ રક્ષકોને અટકાવ્યા. પછી પિતા * હાથીના પક્ષમાં દાન=મદ, જેવી રીતે મદોન્મત્ત હાથી દાન(મદ)ને ઝરાવે છે તેવી રીતે વણિક દાનને ઝરાવે છે. (આપે છે.) • જડતી એટલે ખાસ કરી ચોરીના આરોપમાં ચોરનાં અંગો તેમજ તેના સ્થાનોની લેવામાં આવતી તપાસ. • અપશેરી એટલે સ્થાને પહોંચવાનો કાચો નજીકનો રસ્તો.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy