________________
ભક ભાવનાપ્રકરણ ભાગ- ૨
૨૫
પાસે જઈને, રાજાના પગમાં પડીને ગાઢ આગ્રહથી તેને વધમાંથી છોડાવ્યો. પછી ગાઢ વૈરાગ્યને પામેલો સાધુપાસેથી ધર્મ સાંભળીને માતા અને પત્ની સહિત વ્રતને લઈને સર્વ પણ અદત્તાદાનાદિ સાવદ્યના પચ્ચક્માણ કરે છે. એ પ્રમાણે પડેલું પણ ગ્રહણ કરાયેલું પરદ્રવ્ય અતિમોટા વિપાકને આપે છે એવી પરિભાવના કરીને સર્વ પણ પર દ્રવ્યને ત્રિવિધ ત્રિવિધ ત્યાગો. (૩૪) હવે મૈથુનવ્રતના વિષયમાં વણિકપુત્રનું કથાનક કહેવાય છે.
વણિક પુત્રનું કથાનક કૌશાંબી નામની નગરી છે જેની ચિત્રશાળાઓમાં કુતૂહલથી ખેંચાયેલા સ્વર્ગમાંથી જુદા જુદા પ્રકારના દેવો જાણે ન આવ્યા હોય તેવું દેખાય છે. તે નગરીમાં વિમલધન નામનો શ્રેષ્ઠી વસે છે અને તેનો શિવ નામે પુત્ર ધનના સમૂહને કમાઈને સર્વત્ર વિખ્યાત થયો. પિતાનું મરણ થયા પછી તે ક્યારેક ગર્ભવતી સ્ત્રીને છોડીને અને પ્રચુર કરિયાણું ભરીને વ્યાપાર માટે દૂર દેશમાં ગયો અને તે દેશમાં લે-વેચથી લાંબો સમય રહ્યો અને ઘણું ધન કમાયો. ખુશ થયેલા તે દેશના રાજાએ તેને શ્રેષ્ઠ આભરણ, છત્ર અને ઘોડો આપ્યા તથા તેનું નામ પણ “શ્રીપતિ’ એમ સ્થાપન કર્યું અને તેની પત્નીએ કૌશાંબીની અંદર શ્રેષ્ઠ પુત્રીને જન્મ આપ્યો. (૫) અને વૃિદ્ધિને પામેલી અર્થાત્ મોટી થયેલી એવી આ પુત્રી સ્ત્રીજનને ઉચિત કળાઓ ભણે છે અને તે શ્રેષ્ઠ દેવોના મનને હરનાર એવા યૌવનને પ્રાપ્ત થઈ. ઉજ્જૈની નગરીના રહેવાસી બંધુદત્ત નામના વણિક પુત્રની સાથે પરણાવાઈ. ઉજ્જૈની નગરીમાં રહેલી પણ વણિકપુત્રની સાથે વિષયસુખને અનુભવે છે અને લાંબા સમય પછી પોતાના પિતા પોતાની નગરી તરફ જતો ઉજ્જૈનમાં આવ્યો અને વર્ષાકાળમાં ઉજ્જૈનમાં તંબુ તાણીને રહે છે. વ્યવહાર અર્થે દરરોજ બંધુદત્તના ઘરે જાય છે અને ત્યાં પોતાની પુત્રીને જુવે છે અને પોતાની પુત્રીના રૂપ-લાવણ્યમાં મૂઢ થયેલ હૈયાવાળા શિવને પુત્રીની સાથે સંબંધ થયો અને તેની સાથે અનાચારને સેવે છે એ પ્રમાણે ચોમાસું ત્યાં રહીને વણિકપુત્ર શ્રીપતિ ક્રમશ: કૌશાંબી નગરીમાં પોતાને ઘરે ગયો. વર્ધાપનક કરાવીને તે મોટી સમૃદ્ધિથી ત્યાં રહે છે. પછી પિતાના દર્શન માટે કોઈક વખત માતા પુત્રીને ઉજ્જૈનીથી બોલાવે છે. સ્નાન માટે સ્નાન ઘરમાં પિતા ગયો ત્યારે તે પુત્રી આવી. પિતાએ ઘરમાં પ્રવેશતી પુત્રીને કોઈ પણ પુત્રએ પિતાને ન જોયો. પછી હૈયામાં ફાળ પડેલો શ્રીપતિ વિચારે છે કે અહો ! આ શું? ચાર માસ સુધી જેની સાથે હંમેશા અનાચાર સેવેલો છે તે આ મોટા પાપનું ઘર એવા મારી જ પુત્રી છે તેથી અજ્ઞાનથી આંધળા બનેલા પાપી એવા મારું કોણ મોટું જુવે ? આવા પ્રકારની પાપની શુદ્ધિ મારે કયા સ્થાને થશે ? તેથી આજે પણ આ મારી પુત્રી પાપને કરનારા એવા મને જ્યાં સુધી ન જુવે ત્યાં સુધી હું ક્યાંય પણ ચાલ્યો જાઉ અને અદશ્ય થાઉં કેમકે પરસ્ત્રીના સંગથી વિરામ નહીં પામેલા અનાર્ય આત્માઓની પાપપ્રવૃત્તિઓ આલોક અને પરલોકમાં દુઃખદાયક છે એ પ્રમાણે વિચારીને પરિજનને કહ્યા વિના જ ઘરના ઉપવનના પાછળના મધ્યભાગના દરવાજાથી નીકળી ચાલ્યો ગયો. પછી જ્યાં સુધી લાંબો સમય સુધી પણ પાછો ફરતો નથી તેટલામાં ભય પામેલો પરિજન ચારે તરફ તપાસ કરે છે પણ ક્યાંય ખબર પણ મળતી નથી. (૨૦) શિવવણિક પણ કોઈક સાર્થની સાથે દેશાંતરમાં જાય છે અને સર્વથા પણ કોઈક અપરિચિત નગરમાં જઈને રહે છે અને તે દેશમાં સાધુની પાસે હિંસા-અલીક-સ્તેય-મૈથુન વગેરે આશ્રવોના વિપાકને સાંભળીને અને સ્વયં અનુભવીને વૈરાગ્યને પામેલો દીક્ષા ગ્રહણ કરે છે અને દીક્ષાને સમ્યગુ આરાધીને અને વિપુલ તપ કરીને તે વૈમાનિક દેવલોકમાં જાય છે. ખેદ પામેલી તેની પુત્રી પણ વિચારે છે કે જુઓ ! હું અહીં આવે છતે અકસ્માતું મારા પિતા અહીંથી નીકળીને ક્યાં ગયા ? એમ વિચારે છે ત્યારે કોઈક મનુષ્ય પરિજનને એવા વચનો કહ્યા કે જ્યારે અમે