SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૬૩ છતાં ખૂટતું નથી. વિસ્મિત થયેલો વિચારે છે કે લાખો દુ:ખોમાં મને આ ભોજન માત્રનું સુખ કેમ ઉપસ્થિત થયેલું દેખાય છે ? હવે ક્યારેક એ પ્રમાણે અટવીમાં વિચાર કરતા તેણે મુનિઓથી પરિવરેલા અને જાણેલાં છે સકળભાવો એવા અતિશયજ્ઞાની આચાર્ય ભગવંતને કોઈ એક વૃક્ષની નીચે બેઠેલા જોયા. કોઈપણ રીતે તેની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્યને પામેલો આ પ્રમાણે પૂછે છે કે અધન્ય, સ્થાનથી ભ્રષ્ટ થયેલો, દુ:ખાર્ત એવો હું હંમેશા પણ કેમ ભયું છે ? અને આ ભોજનમાત્ર મને પ્રાપ્ત થયું છે અને ભોજનને કોણ અને શા માટે મને આપે છે ? પ્રકટ છે સમગ્ર અર્થનો પરમાર્થ જેને એવા હે સૂરિ ! કૃપા કરીને મને કહો. (૩૩) જ્ઞાની પણ તેને પૂર્વ ઘર કાર્યમાં જે જુઠું કહ્યું હતું ત્યાંથી માંડીને સર્વ પણ હકીકત તેને કહે છે અને કહે છે કે હે ભદ્ર ! ઘરના કાર્યમાં તે જે જૂઠું બોલેલ તે કર્મના અવશેષથી સ્થાન ભ્રષ્ટ થયેલો ભમે છે અને તે વખતે તેં સકતુ અને એષણીય જળ સાધુને વહોરાવ્યું હતું તે જ મહાદાન રૂપીવૃક્ષના ફુલના ઉદ્ગમ સમાન અહીં તને ભોજનમાત્ર મળે છે. પણ તેનું ફળ આ ભવમાં બોધિલાભ અને આગળ સ્વર્ગ અને મોક્ષના ફળને આપશે. તારા પુણ્યથી પ્રેરાયેલો વાણવંતર દેવ તને આ ભોજનને આપે છે. જૂઠથી તારા બીજા સર્વે પણ ધર્મો નાશ કરાયા પણ અતીવ પ્રૌઢ અને ગાઢ નિકાચિત એવો સાધુદાનધર્મ વિપક્ષથી (જૂઠ-અધર્મથી) ન હણાયો. એ પ્રમાણે પોતાનું ચરિત્ર તથા જિનધર્મને સૂરિ પાસેથી સાંભળીને અરિહંત એ જ સુદેવ, સાધુ એ જ ગુરુ ઇત્યાદિ સમ્યક્તનો સ્વીકાર કરે છે. મધુ-મદ્ય-માંસાદિનો નિયમ કરે છે પછી જ્ઞાની અન્યત્ર વિહાર કરે છે અને તે પણ ત્યાં વસે છે. (૪૧) ક્યારેક વિજયવર્ધન નગરથી એક પુરુષ ભમતો તે અટવામાં આવ્યો કે જેમાં તે પલિપતિ વસે છે. તરસ્યો અને સુધાથી પીડાયેલો તે વૃક્ષની નીચે કેટલામાં બેઠેલો રહે છે તેટલામાં સૈન્યથી યુક્ત પલિપતિ તેની નજીકમાં આવે છે. સકતુ અને પાણીનો વિભાગ કરીને પોતાના સૈન્યને આપીને પછી નજીકમાં બેઠેલા તે પુરુષને જોઈને તેને પણ સકતુ અને પાણી આપે છે અને પૂછે છે કે તું ક્યાંથી આવેલો છે ? તે કહે છે કે હું વિજયવર્ધન નગરથી અહીં આવ્યો છું. પછી પલ્લિપતિ પૂછે છે કે ત્યાં અમુક પ્રદેશમાં સુલસ અને ધનાકરના ઘરો છે ?. પછી તે પુરુષે કહ્યું કે તે પ્રદેશમાં રણ છે ઘરોનું નામ પણ નથી, તે નગરનો ઘણો ભાગ હમણાં ઉજ્જળ થયો છે. (૪૭) પછી પલિપતિ વિચારે છે કે જે ઘરના કાર્યમાં મેં પાપ ઉપાર્જન કર્યું તે ઘર ખરેખર નાશ પામ્યું પણ તે 'ઘરના કાર્ય માટે કરેલું પાપ હજુ પણ નાશ પામતું નથી તો પણ જીવ હજી બોધ પામતો નથી અહો ! મહામોહ અતિ દુરંત છે. હવે વિહાર કરતા પૂર્વના જ્ઞાની કોઈક વખત ત્યાં જ પધાર્યા. અને તારા મૃત્યુનો સમય નજીક છે એમ સૂરિએ પલિપતિને જણાવ્યું. અનશન વિધિ કરીને સમાધિના યોગથી તે મરીને બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકમાં મહદ્ધિક દેવ થયો ત્યાંથી અવીને પછી આ મહાવિદેહમાં સિદ્ધ થશે. એ પ્રમાણે ધનાકરનું ચરિત્ર સાંભળીને મૃષાવાદનો પ્રયત્નથી ત્યાગ કરો. (પર) (મૃષાવાદના વિપાકમાં ધનાકર વણિકનું કથાનક સમાપ્ત થયું.) હવે અદત્તાદાનના વિપાકમાં વજસારનું કથાનક કહેવાય છે વજસારનું કથાનક પૃથ્વીમંડળ ઉપર વિખ્યાત અવંતિવર્ધન નામનું નગર છે. જેમાં રત્નપ્રદીપને છોડીને બીજા કોઈની અનિવૃત્તિ નથી. (અર્થાત્ તે નગરમાં રત્નપ્રદીપ બુઝાતા નથી તેથી લોકોના મનની સદા સ્વસ્થતા રહે છે, તેમાં ધનનો
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy