SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૧ નીચે બેઠા અને જેટેલામાં ચિંતારૂપી શોક સાગરમાં ડૂબેલા રહે છે તેટલામાં શ્રેષ્ઠગુણવાળા ભિક્ષાને માટે જતા બે સાધુઓને જુવે છે અને વૈરાગ્યને પામેલા વંદન કરીને આ પ્રમાણે પૂછે છે કે હે ભગવન્! તમારું સ્થાન ક્યાં છે? ભોજન પછી અમે ધર્મ સાંભળીશું. તેઓએ પણ તેમની યોગ્યતા જાણીને પોતાનું સ્થાન જણાવ્યું અને બપોરની ભોજનવેળા પછી તેઓ ત્યાં જ ગયા. તેઓ સાધુઓને જિનધર્મ પૂછે છે. સાધુઓ પણ જિનધર્મને કહે છે. (૨૯) અને પછી પિતાએ પુછ્યું કે હે મુનિવરેન્દ્ર ! શું માતાને પોતાના સંતાન ઉપર મારણના વ્યવસાય સુધીનો પ્રàષ હોય છે ? પૂર્વ જન્મનો વૈરી જે સંતાન રૂપે જન્મે છે તેના ઉપર માતાને પણ પષ થાય છે. જેમકે કહેવાયું છે કે “સંસારમાં માતા મરીને પુત્રી, બહેન અને પત્ની થાય છે અને પુત્ર મરીને પિતા અને ભાઈ થાય છે અને શત્રુ પણ થાય છે જ. શત્રુ પણ પુત્ર થાય છે અને તેને વિશે મહાન પ્રષ થાય છે અને કેટલાકોને આ પ્રમાણે આ ભવમાં વૈર પરંપરા વધે છે. તેથી આવા પ્રકારના અનંતા અણઘટતા પ્રસંગોનું ઘર આ સંસાર જ છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. અહીં કોણ કોનો પિતા છે ? કોણ માતા છે ? અને કોણ કોનો ભાઈ છે? અન્ય-અન્ય સ્વરૂપવાળા તેવા પ્રકારના પોતાના કર્મોથી જીવો તેવા તેવા ભવો કરે છે. (૩૩) નિવૃત્તિપુરીને છોડીને બીજું કંઈપણ શાશ્વત રૂપ નથી અને આ સંસારમાં સુખનો લેશ પણ નથી અને આથી જ ધીરપુરુષોએ કષ્ટવાળું અનુષ્ઠાન આચરીને પણ મોક્ષમાં વાસ કર્યો છે અને આ સંસારના દુ:ખોથી મુકાયેલા તેઓ ત્યાં જ વસે છે.” ઇત્યાદિ મુનિવરના વચનો સાંભળીને મોટા સંવેગને વહન કરતા ત્રણેય પણ આ સત્ય છે એમ માનતા પોતાનો વૃત્તાંત મુનિવરને જણાવી સકળ દુ:ખને નાશ કરનારી દીક્ષા તેઓની પાસે સમ્યક સ્વીકારે છે અને થોડા કાળથી સૂત્રો ભણીને ગીતાર્થ થાય છે અને ત્રણેય પણ ધીરો મા ખમણના પારણે માસખમણ કરીને તપ કરે છે એ પ્રમાણે તેઓ તે ભવમાં ઘણાં વરસો સુધી ઉગ્રતાને અને ચારિત્રને આરાધે છે. પિતા કેવળજ્ઞાન પામીને મોક્ષમાં ગયો. અને બંને પણ પુત્રો વિધિથી સંલેખના કરીને નિયાણા વિના લલિતાંગ પાદપોપગમન અનશનનો સ્વીકાર કરે છે અને ગંગદત્ત વિચારે છે કે આ જન્મમાં હું જન્મથી માંડીને જે દુર્ભાગ્યતાને કારણે માતાને પણ અનિષ્ટ થયો એમ વિચારીને નિયાણું કરે છે કે મારા આ દુષ્કર તપનું જો કોઈપણ ફળ હોય તો હું સર્વને પણ પરભવમાં ઇષ્ટ થાઉં. પછી બંને કાળ કરીને મહાશુક્ર દેવલોકમાં મહર્દિક દેવ થયા. (૪૩) પછી દિવ્યભોગોને ભોગવીને, અવીને લલિતાંગનો જીવ આ ભરતક્ષેત્રમાં રોહિણીના ગર્ભમાં આવેલો વસુદેવનો પુત્ર થયો અને ગંગદત્તનો જીવ પણ તેની દેવકી નામની રાણીના ગર્ભમાં પુત્ર થયો. બંને પણ ક્રમથી બળદેવ અને વાસુદેવ થયા. તથા પૂર્વે પણ નેમિનાથ ચરિત્રમાં આ વાત વિસ્તારથી કહી છે એ પ્રમાણે જીવવધ કર્યાનું ફળ દુ:ખ છે અને જીવવધ નહીં કર્યાનું ફળ સુખ છે. પ્રાણાતિપાત નહીં કરવાથી થતા ગુણ વિશે લલિતાંગનું તથા પ્રાણાતિપાત કરવાથી થતા દોષ વિશે ગંગદત્તનું કથાનક સમાપ્ત થયું. હવે મૃષાવાદને વિશે ધનાકર વણિકનું કથાનક કહેવાય છે. ધનાકર વણિકનું કથાનક પરલોકના ભયથી મુક્ત છતાં પણ પરલોક ભીરુ લોકથી આરંભ કરાયો છે ઘણો ધર્મ વ્યાપાર જેમાં એવું આ ભરતક્ષેત્રમાં વિજયવર્ધન નામનું નગર છે. તે નગરમાં સુલસ અને ધનાકર નામના બે સમૃદ્ધિ સંપન્ન વણિકો એક સ્થાને પાસે પાસે આવેલા ઘરોમાં રહે છે. તેમાં મિથ્યાષ્ટિ હોવા છતાં પણ ધનાકર અત્યંત
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy