________________
૫૮
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
નંખાવ્યો. પછી નરકમાં ઉત્પન્ન થયો. ભવોભવ ૨સનાને પરવશ થયેલો એ પ્રમાણે છેદન-મરણાદિથી ઉત્પન્ન થયેલા દુ:ખોને ભોગવશે. માછલાદિ ભવોમાં અનંત દુઃખોને સહન કરતો સંસારમાં ભમશે. એ પ્રમાણે જીવોની ૨સનેન્દ્રિયની લોલતા દુરંત કહેવાઈ છે.
(૨સનેન્દ્રિય વિપાકમાં મધુપ્રિય શ્રેષ્ઠીપુત્રનું કથાનક સમાપ્ત થયું.)
હવે સ્પર્શેન્દ્રિયના વિપાકમાં મહેન્દ્રનું કથાનક કહેવાય છે.
મહેન્દ્ર કથાનક
જ્યાં સકળનગરની જય પતાકાઓ હોય એવી ધનવાનોની ક્રોડ પતાકાઓ ફ૨કતી જણાય છે તે વિશ્વપુર નામનું નગર છે. તેમાં શેષનાગની જેમ ધારણ કરાયું છે પૃથ્વીનું વલય જેના વડે, ચૂડામણિના કિરણથી ઉદ્યોતિત કરાયું છે મુખ જેનાવડે, ભોગથી* યુક્ત એવો ધરણેન્દ્ર નામનો રાજા છે. કામદેવની જેમ રૂપથી સંપન્ન મહેન્દ્ર નામનો પુત્ર છે અને ત્યાં વણિક શ્રેષ્ઠીને મદન નામનો પુત્ર છે મહેન્દ્રકુમાર તેની સાથે મૈત્રી કરે છે અને તેથી બંને પણ સાથે ભોજન શયનાદિને કરે છે, સાથે ભમે છે. તે બેનો સ્નેહ સકલ જનમો પ્રસિદ્ધ થયો. મદનને શ્રેષ્ઠરૂપવાળી ચંદ્રવદના ભાર્યા છે તેના શરીરની સુકુમારતાથી જીતાયેલા કમલિનીના દળોનો વાસ જળમાં થયો છે તથા સિ૨ીશ કુસુમોનો વાસ અરણ્યમાં થયો છે એમ હું માનું છું. (૬) પોતાના હાથથી તંબોલને આપતી ચંદ્રવદનાનો સુકુમાલ હાથ ઘરે આવેલ રાજપુત્રના હાથમાં લાગ્યો. પછી મહેન્દ્ર વિચારે છે કે પૃથ્વીતળ ૫૨ મારો મિત્ર પ્રશંસનીય છે કે જે આવા સર્વ શ૨ી૨ને આલિંગન કરતો સ્પર્શના સુખને અનુભવે છે. આના વડે હાથમાત્રના સ્પર્શથી પણ હું અમૃતની જેમ સિંચાયેલો કરાયો તો પછી આના સર્વાંગ સ્પર્શનાના સુખના સંવેદની શું વાત કરવી ? એને હું પણ જાણતો નથી. ઇત્યાદિ વિચારીને તે આ ભાભી છે એમ બાનાથી તેની સાથે ચતુરાઈ ભર્યા વચનોથી પરિહાસ (મશ્કરી) કરે છે. પછી સ્પર્શમાં લુબ્ધ કોઈ વખત મૂકી દીધી છે સર્વ શંકા એવો આ અનંગ ક્રીડાને કરતો તેના સર્વાંગનું આલિંગન કરે છે. પછી નિત્ય અનાચારમાં તત્પર મહેન્દ્રકુમાર એ પ્રમાણે કામ સેવે છે, લજ્જાથી રહિત તેની સાથે રહે છે અને સરળ સ્વભાવી મદન તેને જોઈને ક્યારેય પણ માનતો નથી અને કહે છે કે આ ભાભીની સાથે મશ્કરી કરે છે. (૧૩)
આ વ્યતિક૨ને નહીં જાણનારો ધરણેન્દ્ર રાજા રાજ્યાભિષેકના કાર્યમાં કુમારને ઉદ્દેશીને સર્વ પણ તૈયારી કરાવે છે. આ બાજુ ચંદ્રવદનાના સ્પર્શમાં આસક્ત મહેન્દ્રકુમાર એક દિવસ પણ તેને છોડતો નથી અને જંગલાદિમાં લઈ જાય છે. અને ઉજાણીના બાનાથી કેટલાક દિવસો જંગલમાં પણ વસે છે. એ પ્રમાણે પ્રાપ્ત થયેલી વગવાળા, ચંદ્રવદનાના સ્પર્શમાં આસક્ત, અવિચારિત પરિણામવાળા મહેન્દ્રકુમારે મદનના દેહને હણનારા મારાઓને ગુપ્ત રીતે રાત્રીએ મોકલ્યા. તે મારાઓએ તેને હણ્યો. રાજપુરુષો વડે પકડાયેલા મારાઓ રાજા પાસે લઈ જવાયા. રાજાએ તેઓને સજા કરી ત્યારે તેઓએ કહ્યું કે તમારા પુત્રે અમને મારવા માટે મોકલ્યા છે. (૧૮)
પછી સર્વ વ્યતિક૨ને જાણીને ગુસ્સે થયેલ રાજા આરક્ષકોને કહે છે કે આ કુમાર દુષ્ટ છે તેથી તેની અમુક અમુક પ્રકારથી વિડંબના કરીને મારીને મને તેની ખબર જણાવો. આજ્ઞાસારવાળા રાજાને જાણીને કરુણાથી સચિવોએ કુમારને કોઈપણ રીતે ખબર આપી અને કુમાર ચંદ્રવદનાને પણ લઈને પલાયન થયો.
શેખનાગના પક્ષમાં ભોગ એટલે ફણા.