________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨પ૭
ભટકે છે અને સકળનગરમાં તેનું ગંધપ્રિય એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું અને પોતાના પુત્રને માટે રાજ્યની અર્થી એવી સાવકીમાતા જેને હણવા છિદ્રો શોધે છે અને કોઈકવાર તે શ્રેષ્ઠી વેશ્યાઓથી યુક્ત અને મિત્રો સહિત ઘણી નાવડીઓ વડે નદીના પાણીમાં ક્રીડા કરે છે. (૯)
પછી સાવકી માતા વિષથી મહારુદ્ર ચૂર્ણને ભેળવીને પડિકામાં બાંધીને દાબડામાં મૂકે છે. દાબડાને મંજૂષા (પેટી)માં મૂકે છે. પેટીને બીજી પેટીમાં મૂકે છે, બીજી પેટી ત્રીજી પેટીમાં મૂકે છે એ પ્રમાણે અનેક પેટીઓમાં ક્રમથી મુકાયેલા દાબડાને નદીના પ્રવાહમાં વહન કરાવે છે અને નદીમાં વહેતો તે દાબડો નજીક આવે છે ત્યારે તે પોતાની પાસે મંગાવે છે. હવે કેટલામાં બધી પેટીઓને ક્રમથી ઉઘાડી દાબડો કાઢી તેમાં પડિકાને જુએ છે જે સુંઘવા માત્રથી પ્રાણને હરે તેવા ચૂર્ણને બધાની વારવા છતાં લાંબા સમય સુધી સૂંધ્યું પછી વિષ પરિણત થયે છતે આ જલદીથી પ્રાણોથી મુકાયો પછી સર્વ પણ લોકે આ વૃત્તાંતને જાણ્યો. એ પ્રમાણે ધ્રાણેન્દ્રિયને વશ થયેલો તે રાજ્યથી ભ્રષ્ટ થયો અને ભવરૂપ સમુદ્રમાં ડૂબેલો મુશ્કેલીથી સહી શકાય તેવા દુ:ખોને સહન કરશે. - હવે મધુપ્રિયની કથા કહેવાય છે.
મધુપ્રિયનું કથાનક સિદ્ધપુર નામે નગર છે જેમાં ધર્મ-અર્થના પ્રકર્ષને પામેલા પણ મોક્ષના અર્થ એવા મનુષ્યો ધર્મ અને અર્થમાં રાગી નથી. તે નગરમાં ઘણાં વૈભવવાળો વિમલબુદ્ધિ નામે શ્રેષ્ઠી વસે છે અને અનેક માનતાઓથી તેને પુત્ર થયો. મોટો થતો એવો તે પણ રસનેન્દ્રિયની લોલતાથી ઉપાધ્યાયને સોંપ્યો. રસવાળા ભોજનની લાલસાથી તે કંઈપણ સમ્યગુ ન ભણ્યો. કળામાં દુઃશિક્ષિત એવો તે કોઈક વણિકપુત્રીને પરણે છે. કડવાતીખા-ખારા-ખાટા-તુરા અને મધુર એવા છ રસોથી યુક્ત એવી રસોઈને દરરોજ વણિકપુત્રીની પાસે કરાવે છે અને પોતે બીજા બીજા લોકોની સાથે રસોઈના દાન અને ગુણના વિચારને કરતો રહે છે. માતા પિતાથી પ્રેરણા કરાતો છતાં પણ કોઈપણ વ્યવસાયને કરતો નથી અને ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય રસોની કથા કરતો દિવસ પસાર કરે છે. (૭)
હવે કોઈ વખત વિચારે છે કે અમારા કુળમાં અભોજ્ય એવા મદિરા અને માંસ રસ વિના સર્વ રસોને મેં અનુભવ્યા તેથી જ્યાં સુધી હું તેનું ભોજન ન કરું ત્યાં સુધી મારી મનોવાંછના પૂર્ણ ન થાય તેથી જે થવાનું હોય તે થાય પણ મારે તેનું ભોજન કરવું જોઈએ. એ પ્રમાણે વિચારીને ગુપ્ત રીતે મદિરા અને માંસનું ભોજન કરવા લાગ્યો આસક્ત થયેલો પાછળથી પ્રકટપણે રાત અને દિવસ ખાય છે અને પછી માતાપિતાવડે ખેદથી પ્રયત્નપૂર્વક વાર કરાયો અને બીજા પણ વૃદ્ધો, લોક તથા ગુરુ તથા મિત્રોથી વારણ કરાયો છતાં પણ આ મદિરા-માંસ ભક્ષણથી વિરામ પામતો નથી ત્યારે માતાપિતાએ રાજકુળમાં લેખથી જણાવીને પોતાના ઘરમાંથી કાઢી મુકાવ્યો. પછી નિરંકુશ એવો આ અભોજ્યોનું ભોજન કરતો, અપેયનું પાન કરતો, અકાર્યોને સેવતો ભમે છે. કાળથી મનુષ્યના માંસમાં આસક્ત થયેલો ગામ નગરોમાં ભમે છે અને નિર્દય એવો તે મનુષ્યોના બાળકોને ગુપ્ત રીતે હણે છે. તે સર્વ પણ મનોજ્ઞ વસ્તુનો તથા સર્વ રસનો અભિલાષ કરે છે તેથી લોકોએ “મધુપ્રિય' એવું ગુણ નિષ્પન્ન નામ કર્યું. (૧૫)
હવે કોઈક વખત કોઈક ગામની ભાગોળે રમતા બાળકનું હરણ કરીને પલાયન થયેલો મધુપ્રિય બહાર પુરુષો વડે પકડાયો અને બાંધીને રાજાને સોંપ્યો. રાજાએ ઘણી વિડંબનાથી લાંબો સમય ત્રાસ આપીને મારી