________________
૨૫૬
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
પાછળ લાગેલો તરલાલ પણ તેને જોતો ઘરે આવ્યો. (૨૧) અને તરલાક્ષ ભોજનાદિ ક્રિયાઓ વસ્ત્રમય પુતળીની આગલ કરે છે. પછી લે-વેચનું કાર્ય પૂર્ણ થયું ત્યારે સર્વે વણિક પુત્રો સ્વદેશ પાછા આવવા નીકળ્યા અને પાછા આવતા રસ્તામાં અટવીમાં ચોરોએ લુંટ્યા અને પુતળીઓ પણ લઈ ગયા પછી તેના પુતળીઓના) વિરહમાં ગાંડો થયેલો તરલાક્ષ અસંબંધ ચેષ્ટા કરે છે. પછી સર્વે વણિકપુત્રો ભેગા થઈને વિચારે છે કે જેમ પૂર્વે આણે સુસ્થાવસ્થામાં શ્રેષ્ઠીને સંતાપિત કર્યો છે અને હમણાં ઉન્મત્ત થયો છે તેથી શ્રેષ્ઠીના મનને મોટા ઉદ્વેગને કરશે તેથી અટવીમાં જ આને મૂકીને આપણે ત્યાં જઈએ અને શ્રેષ્ઠી આ વિશે આપણને કંઈ પૂછશે તો આપણે કોઈપણ બાના બતાવીશું. પછી તેઓએ તેમજ કર્યું અને ગ્રહીલ તરલાક્ષ તે અરણ્યમાં ભમે છે અને પુષ્પ-ફળાદિથી આજીવિકાને કરતો આંબા વગેરે શ્રેષ્ઠ વૃક્ષોને જોતો અટવીમાં રહ્યો. (૨૭)
અને હવે કોઈક વખત સુથારોએ જેની પ્રતિકૃતિ રૂપે પુતળીઓ બનાવી હતી તે વિશ્વભર રાજપુત્રને સ્વયંવરેલી રાજપુત્રી વિજયપુર નગરમાં જતી, ભવિતવ્યતાના વશથી તે જ સ્થાને આવાસ કરે છે અને કુમારીઓની સાથે ક્રીડાને કરતી તેના વડે જોવાઈ. પછી અનિમેષ આંખથી તેને જોતો તરલા આ (રાજપુત્રી)
જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેની પાછળ પાછળ જાય છે. હવે કેટલામાં રાજપુત્રી ભોજનવેળાએ પોતાના આવાસે ગઈ અને ભોજન કરતી રહે છે તેટલામાં તરલાક્ષ પણ ત્યાં ગયો અને ઊભેલી, બેઠેલી કે ભોજન કરતી, ચંક્રમણ કરતી, શૈધ્યામાં રહેલી એવી તેને જોતો રહે છે. પછી લાકડીઓ અને મુઠ્ઠીઓને ઉગામીને રાજપુરુષોએ તેને પડકાર કર્યો તો પણ એટલામાં આ ત્યાંથી ખસતો નથી તેટલામાં તેને એવો બાંધીને છોડ્યો કે તેવી સ્થિતિમાં રહેલા એવા તેને મરેલો જોયો. મરીને ફરી ફરી પણ પતંગીયાના ભવોને પામીને અગ્નિમાં પડીને ઘણીવાર માર્યો અને અનંત ભવસાગરને ભમશે.
(ચક્ષુરિન્દ્રિયના વિપાકમાં શ્રેષ્ઠીપુત્રનું કથાનક સમાપ્ત થયું.) ૪૪૦મી મૂળ ગાથામાં ગંધમMય એમાં પ્રિય શબ્દ છે તે દરેકમાં જોડવો અર્થાત્ ગંધપ્રિય કુમાર, ધ્રાણેન્દ્રિયના વિપાકમાં દૃષ્ટાંત છે અને પ્રિય શબ્દને મધ સાથે જોડતા સર્વ પણ મધુર (સંદર) વસ્તુ પ્રિય છે જેને એવો મધુપ્રિય રસનેન્દ્રિયના વિપાકમાં દૃષ્ટાંત છે. તેમાં ગંધપ્રિયકુમારનું કથાનક કહેવાય છે
ગંધપ્રિય કુમાર કથાનક પદ્મખંડ નામનું નગર છે જેમાં સુભગ પણ સ્ત્રીઓ અનિષ્ટ* છે, ગુણોના એક ભંડાર એવા પુરુષો પણ મહાદોષવાળા છે. તે નગરનો પ્રજાપતિ નામનો રાજા છે જેણે સંપૂર્ણ સ્વર્ગની સ્થિતિ* (હયાતી)નો નાશ કર્યો છે. જેણે રાજ્યમાં વિશિષ્ટ પ્રકારના વધને દૂર કરાવ્યો છે. જે બ્રહ્માદિથી પણ ચડી જાય તેવા છે.
અને તે રાજાનો મોટો પુત્ર જે બાળપણથી જે જે સુગંધી વસ્તુઓ છે તેને તેને લાંબા સમય સુધી સૂંઘે છે એ પ્રમાણે સૂંઘવાની પ્રવૃત્તિ વધવાથી આ ધ્રાણેન્દ્રિયને પરવશ થયો અને સુગંધી દ્રવ્યોને માટે સ્વ કે પર ઘરમાં
પદ્મખંડ નગરમાં ઉત્તમ ગુણવાળા પુરુષો વસે છે જેઓની ઉત્તમ શીયળને ધારણ કરનારી સ્ત્રીઓ છે. છતાં પણ પુરુષો બ્રહ્મચર્ય આદિ ગણોના એવા રાગી છે કે શીલવાળી સ્ત્રીઓના સ્પર્શને બ્રહ્મચર્યાદિ પાલનમાં અનિષ્ટ માને છે તેવી રીતે પુરુષો પણ ઉત્તમ ગુણવાળા હોવા છતાં ઉત્તમશીયળને ધારણ કરતી સ્ત્રીઓ પુરુષના સ્પર્શને મહાદોષ માને છે એ અપેક્ષાએ સ્ત્રીઓ અનિષ્ટ છે અને પુરુષો મહાદોષવાળા છે. અહીં ગ્રંથકારે વિરોધાભાસ અલંકારની રચના કરી છે. અર્થાતુ પ્રજાપતિ રાજા પ્રજાનું એવું પાલન કરે છે કે જેથી પ્રજા સ્વર્ગના સુખને ભૂલી ગઈ છે. રાજ્યમાંથી પંચેન્દ્રિયાદિ વધને દૂર કરાવ્યો છે તેથી જીવાદિનું રક્ષણ કરવામાં બ્રહ્માદિથી ઉત્તમ પુરવાર થયા છે. બ્રહ્મા માત્ર પ્રજાને ઉત્પન્ન કરે છે જ્યારે આ પ્રજાપતિ રાજા પ્રજાને ઉત્પન્ન કરનાર હોવા છતાં પ્રજાનું રક્ષણ પણ કરે છે.